કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૬. અવતારી નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૬. અવતારી નથી| }} <poem> છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી; મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી. બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી; કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી. તારલાઓની...")
 
No edit summary
 
Line 27: Line 27:
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૪૦)}}
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૪૦)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૫. શૂન્યનો વૈભવ
|next = ૪૭. લીલાલહેર
}}

Latest revision as of 10:48, 14 November 2022

૪૬. અવતારી નથી


છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી;
મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી.

બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;
કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.

તારલાઓની સભા પર મીટ માંડી શું કરું?
દિલ વિનાની કોઈ પણ મહેફિલ મને પ્યારી નથી.

થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ —
ભાગ્યનું નિર્માણ કૈં મારી ગુનેગારી નથી!

એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ —
બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી.

પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર —
પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.

જ્યારે જ્યારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં —
શૂન્ય દોડે છે વહારે, જોકે અવતારી નથી.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૪૦)