કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૯. રસ્તો થયો

૪૯. રસ્તો થયો


ત્યાગ પંથે જિંદગી ચાલી તો કૈં રસ્તો થયો,
બંધ આંખે પ્રેરણા આલી તો કૈં રસ્તો થયો,
મન સ્મરણની ભીડમાં અટવાઈ મૂંઝાતું હતું,
વિસ્મૃતિએ આંગળી ઝાલી તો કૈં રસ્તો થયો.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૭૭)