કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૧. તેજ-ઉલ્લાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૧. તેજ-ઉલ્લાસ|પ્રહ્લાદ પારેખ}} <poem> પ્રશાન્ત થઈ સિન્ધુનાં જ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪૦. વહાણું | ||
|next = | |next = ૪૨. સાદ કરે છે | ||
}} | }} |
Latest revision as of 04:46, 25 June 2022
૪૧. તેજ-ઉલ્લાસ
પ્રહ્લાદ પારેખ
પ્રશાન્ત થઈ સિન્ધુનાં જળ પડ્યાં સમાધિ મહીં,
વિરાટ અહીં શક્તિ આ અતલ મૌન ધારી રહી;
દિસે ન જળરાશિ એ ક્ષુભિત ક્યાં ય આજે જરી,
કૃતાર્થ દૃગ દર્શને મુજ અતાગ વિસ્તારના.
વિહંગ નવ બોલતાં, જરી ય ઝાડ ના ડોલતાં,
પ્રકાશ પણ થંભિયો, તિમિર થંભિયું આ જતાં;
ઉરે ઉભયને રહે ભય ઃ સમાધિ આ તૂટશે,
થતાં રવ જરી ય તો ? ચરણ તેથી ના ઊપડે.
સમાધિ થકી લબ્ધ હોય ત્યમ સિન્ધુને અંતરે,
પ્રકાશ તણું ચક્ર ત્યાં ક્ષિતિજમાં નિહાળું ઊઠે;
પળે પળ વધ્યે જતું પરમ તેજ એ ઊગિયું,
અને જળ અપાર તેજ થકી એ છવાયે જતું.
હલે પવન, ઝાડવાં, જળ બની જતાં ચંચલ,
વિહંગ ટહુકી ઊઠે પરમ તેજ-ઉલ્લાસમાં.
(સરવાણી, પૃ. ૨૮)