26,604
edits
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(7 intermediate revisions by the same user not shown) | |||
Line 15: | Line 15: | ||
ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.</Poem> | ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.</Poem> | ||
(ત્રણ ગોળીબારના અવાજ-મધ્યમાં સૂત્રધાર પર પ્રકાશ)</Poem> | |||
}} | }} | ||
{{Role | {{Role | ||
|role_name = {{Color| | |role_name = {{Color|Red|સૂત્રધાર}} | ||
}} | }} | ||
{{Story | {{Story | ||
Line 156: | Line 156: | ||
{{Role | {{Role | ||
|role_name = {{Color| | |role_name = {{Color|Red|સૂત્રધાર}} | ||
}} | }} | ||
{{Story | {{Story | ||
Line 214: | Line 214: | ||
{{Role | {{Role | ||
|role_name = {{Color| | |role_name = {{Color|Red|સૂત્રધાર:}} | ||
}} | }} | ||
{{Story | {{Story | ||
Line 282: | Line 282: | ||
{{Role | {{Role | ||
|role_name = {{Color| | |role_name = {{Color|Red|સૂત્રધાર:}} | ||
}} | }} | ||
{{Story | {{Story | ||
Line 319: | Line 319: | ||
{{Role | {{Role | ||
|role_name = {{Color| | |role_name = {{Color|Red|સૂત્રધાર: }} | ||
}} | }} | ||
{{Story | {{Story | ||
Line 357: | Line 357: | ||
{{Role | {{Role | ||
|role_name = {{Color| | |role_name = {{Color|Red|સૂત્રધાર:}} | ||
}} | }} | ||
{{Story | {{Story | ||
Line 392: | Line 392: | ||
{{Role | {{Role | ||
|role_name = {{Color| | |role_name = {{Color|Red|સૂત્રધાર: }} | ||
}} | }} | ||
{{Story | {{Story | ||
Line 462: | Line 462: | ||
{{Role | {{Role | ||
|role_name = {{Color| | |role_name = {{Color|Red|સૂત્રધાર:}} | ||
}} | }} | ||
{{Story | {{Story | ||
Line 506: | Line 506: | ||
નિષ્ઠાપૂર્વક આપનો,</Poem> | નિષ્ઠાપૂર્વક આપનો,</Poem> | ||
}} | }} | ||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>હું ઉતર્યો હતો અંબાલાલ સારાભાઈના બંગલે | |||
પણ આશ્રમમાં ગયો હતો | |||
અને ત્યાં મારું કેવું ભવ્ય સ્વાગત થયું હતું!</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ગુરુદેવ, તમને કલ્પના નથી કે | |||
તમારે માટે બંધાવેલી કમાનો | |||
અને તમને કરેલા તિલક માટે | |||
મારા માનીતા અનુયાયીઓએ કેટલી ધમાલ કરી હતી. | |||
વિનોબા ભાવે અને મગનલાલ, | |||
જે મારો ભત્રીજો અને આશ્રમનો પ્રાણ હતો, | |||
તે બંને ખૂબ અકળાયા હતા. | |||
મારે તેમને સમજાવવા પડેલા કે | |||
મેં તો માત્ર આશ્રમિકોની ઇચ્છાને માન આપ્યું હતું. | |||
મારે કરવાનું હોત તો મેં કમાનો ન ઊભી કરી હોત. ગુરુદેવને સન્માનવાનો હું કોઈ બીજો ઉપાય કરત | |||
જેમાં ઓછી શક્તિ ખરચ થાય. | |||
પણ જે થયું તે માટે હું તટસ્થ છું. | |||
હું માનું છું કે ગુરુદેવને યોગ્ય રીતે સન્માનવાની | |||
આપણી ફરજ હતી | |||
અને હું નથી માનતો કે | |||
વિદ્યાર્થીઓએ આ કામમાં સમય આપીને | |||
કાંઈ ગુમાવ્યું હોય. | |||
આપણે ખ્યાલ રાખવો જોઈએ કે | |||
ગુરુદેવ એક ખાસ વ્યક્તિ છે | |||
જેમનામાં કવિતા, રાષ્ટ્રપ્રેમ અને ભલાઈનો સમન્વય થયો છે. | |||
આ એક વિરલ વ્યક્તિત્વ છે. તે સન્માનીય છે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>મહાત્માજી, તમને પડેલી તકલીફ માટે મને માફ કરજો. | |||
મને પેલી સભા પણ યાદ આવે છે | |||
જ્યાં શ્રોતાઓએ | |||
મારા ભાષણના ગુજરાતી અનુવાદની માંગણી કરી હતી. | |||
ત્યાં હાજર રહેલા ગુજરાતી સાહિત્યના માંધાતાઓએ | |||
પોતાની અશક્તિ દર્શાવી હતી | |||
અને તમે આવીને તરત જ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કર્યો હતો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>હવે ગાંધીજીના હાથમાં રાજકીય સૂત્રો હતા | |||
અને રવીન્દ્રનાથ પ્રખર મેધાવી પુરૂષ તરીકે | |||
સમગ્ર દેશમાં પ્રસિદ્ધ હતા. | |||
ગાંધીજીએ અંગ્રેજી શાળાઓ અને કૉલેજોનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું હતું | |||
અને સત્યાગ્રહ, ચરખો અને સ્વદેશીને | |||
સ્વરાજની લડતમાં સ્થાન આપ્યું હતું. | |||
રવીન્દ્રનાથે આ બધાંનો | |||
સામયિકોમાં લેખ લખીને કે મિત્રોને પત્રો લખીને | |||
વિરોધ કર્યો હતો. | |||
ગાંધીજી એ જ માધ્યમ દ્વારા | |||
પોતાના અભિગમનો દૃઢતાપૂર્વક બચાવ કરતા હતા. | |||
ચર્ચા નો વિષય હતો રાજકારણ | |||
પણ તેનું માધ્યમ હતું ફિલસૂફીના સ્તરે | |||
અને ભાષા હતી ઉચ્ચ કોટિના સાહિત્યકારને શોભે તેવી!</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ભારતમાં બ્રહ્મવિદ્યાનો હેતુ છે મુક્તિ – | |||
જ્યારે બૌદ્ધધર્મમાં છે નિર્વાણ. | |||
એમ કહી શકાય કે બંને જુદા નામથી | |||
એક જ વિભાવનાની વાત કરે છે. | |||
પણ નામથી મનની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે | |||
અને તે સત્યના કોઈ ખાસ અંશ પર ભાર મૂકે છે. | |||
મુક્તિ હકારાત્મક છે | |||
જ્યારે નિર્વાણ સત્યનો નકારાત્મક અંશ છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>મારા નમ્ર મત પ્રમાણે અસ્વીકાર | |||
એ પણ સ્વીકાર જેટલો જ અર્થપૂર્ણ આદર્શ છે. | |||
અસત્યનો અસ્વીકાર, સત્યના સ્વીકાર જેટલો જ જરૂરી છે. બધા જ ધર્મો શીખવે છે કે | |||
બે પરસ્પર વિરોધી બળોનો પ્રભાવ | |||
આપણા ઉપર પડતો હોય છે | |||
અને માણસનો પ્રયાસ | |||
શ્રેણીબદ્ધ સ્વીકાર અને અસ્વીકાર કરવાનો હોય છે. | |||
દૂષણ સાથેનો અસહકાર ને ભૂષણ સાથે સહકાર, | |||
બંને આપણી ફરજ છે. | |||
હું હિંમતપૂર્વક સૂચન કરું છું કે | |||
કવિએ નિર્વાણને નકારાત્મક જણાવીને | |||
અજાણતાં બૌદ્ધધર્મને અન્યાય કર્યો છે. | |||
હું દૃઢતાપૂર્વક માનું છું કે | |||
મુક્તિમાં નિર્વાણ જેટલી જ નકારાત્મકતા છે. | |||
શરીર સાથેના બંધનમાંથી મુક્તિ કે બંધનનું નિર્વાણ, | |||
બંને આનંદ પ્રતિ દોરી જાય છે. | |||
ઉપનિષદો-બ્રહ્મવિદ્યાનો અંતિમ શબ્દ છે નેતિ. ઉપનિષદોના કર્તા નેતિથી વધુ ઉચિત શબ્દ | |||
બ્રહ્માના વર્ણન માટે શોધી શક્યા ન હતા. | |||
આટલું કહીને હું મારી આ દલીલનો અંત લાવીશ. | |||
જેમને લોર્ડ હાર્ડિંગ એશિયાના કવિ કહે છે, | |||
તે ડૉ. ટાગોર, હવે વિશ્વકવિ કહેવાય છે. | |||
વધુ ખ્યાતિની સાથે તેમની જવાબદારીઓ પણ વધે છે. | |||
દેશની સેવા તરીકે તેમણે કરવું જોઈએ | |||
જગત પ્રત્યેના ભારતના સંદેશાનું અર્થપૂર્ણ ઘટન. | |||
માટે જ ભારતનો સંદેશો ભ્રામક અથવા | |||
નબળો ન હોય તે માટે તે ઉત્સુક છે. | |||
તે કહે છે કે તેમણે હાલની ચળવળ સાથે | |||
સૂર સાધવાના અથાગ પ્રયત્ન કર્યા છે. | |||
પણ અસહકારના કોલાહલમાં | |||
તેમની વીણા માટે યોગ્ય તેમને કાંઈ જ સંભળાતું નથી. | |||
તેઓ એવા તારણ પર પહોંચ્યા છે કે | |||
એમના દર્શનના ભારતને માટે અસહકાર ગૌરવપૂર્ણ નથી કારણ કે તે | |||
નકારાત્મક, નિરાશા અને સંકુચિતતાનો સિદ્ધાંત છે. | |||
હું નમ્રતાપૂર્વક | |||
કવિની શંકાનું નિવારણ કરવાનો પ્રયાસ કરીશ. | |||
તેમની વાક્પટુતાથી અંજાયેલા વાચકને | |||
હું કદાચ સમજાવી ન શકું | |||
પણ મારે તેમને અને ભારતને ખાતરી આપવી છે કે અસહકારમાં તેમને ભય છે તેવું કોઈ પણ તત્વ નથી | |||
અને અસહકારને અપનાવવા માટે | |||
તેમણે તેમના દેશ માટે શરમિંદા થવાની | |||
કાંઈ પણ જરૂર નથી. … | |||
અસહકારનો સમય હજુ પાક્યો ન હોય એ સંભવિત છે. તો પછી ભારત અને જગતે તેની પ્રતીક્ષા કરવી જ રહી. | |||
ભારત માટે હિંસા કે અસહકાર સિવાય | |||
ત્રીજો કોઈ પર્યાય જ નથી. | |||
દૂષણ સાથે ઇચ્છા કે બુદ્ધિ વિના સામેલ થવા સામે વિરોધ કરવો એ જ અસહકાર. | |||
આપણો અસહકાર અંગ્રેજો કે પશ્ચિમ સામે નથી. | |||
એ તો નબળાનું શોષણ કરતા અને લોભી | |||
ભૌતિક સંસ્કૃતિ પર આધારિત અંગ્રેજ રાજ્યતંત્ર સામે છે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>પશ્ચિમના હૃદયને સ્પર્શતા | |||
સમયની ચેતનાના ચિન્હો હું જોઈ રહ્યો છું. | |||
તેનું સાંપ્રત સ્વરૂપ અસ્વીકાર્ય હોઈને પણ | |||
તેમાં સત્ય પ્રત્યે ઊર્ધ્વગતિ કરવાની આકાંક્ષા | |||
દૃષ્ટિગોચર થાય છે. | |||
આ આકાંક્ષાને આપણે વખોડવી ન જોઈએ. | |||
જગતની જાગૃતિના આ પ્રભાતે | |||
જો તેની સર્વસામાન્ય આકાંક્ષાને | |||
આપણા રાષ્ટ્રીય પ્રયાસોમાં પ્રતિભાવ ન મળે | |||
તો તે આપણી ચેતનાનું દારિદ્ર કહેવાશે. | |||
ક્ષણમાત્ર માટે પણ હું એમ કહેવા નથી માંગતો કે | |||
આપણે આપણા સળગતા પ્રશ્નોને અવગણવા જોઈએ. | |||
પણ પંખી જ્યારે સવારે જાગે છે | |||
ત્યારે તેની જાગૃતિ માત્ર અન્નની શોધમાં નથી સમાઈ જતી. તેની પાંખો થાક્યા વિના આકાશના સાદને પ્રતિભાવ આપે છે, | |||
નૂતન પ્રકાશના આનંદથી તેના ગળામાં ગીતો જાગી ઊઠે છે. | |||
વૈશ્વિક માનવતાએ આજે આપણને સાદ દીધો છે. | |||
તેની પોતાની શૈલીમાં આપણા મનનો પ્રતિભાવ તેને આપીએ કારણ કે સાચી ચેતનાનું ચિન્હ જ છે પ્રતિભાવ.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>તેમની જન્મજાત પ્રકૃતિ પ્રમાણે કવિ જીવે છે ભાવિમાં | |||
અને આપણે પણ તેમ જ કરીએ તેમ ઈચ્છે છે. | |||
આપણી નજર સમક્ષ તેમણે | |||
સવારે આનંદનાં ગીત ગાતાં ગાતાં | |||
આકાશમાં ઊડતાં પંખીઓનું સુંદર ચિત્ર મૂક્યું છે. | |||
આ પંખીઓને તેમનું રોજીંદું ચણ મળેલું છે, | |||
તેમની પાંખોને વિશ્રામ મળેલો છે, | |||
તેમની પાંખોમાં આગલી રાતે નવા લોહીનો સંચાર થયેલો છે. | |||
પણ મેં વ્યથિત નજરે જોયાં છે એવાં પંખી | |||
જે શક્તિના અભાવે પાંખ પણ ફફડાવી શકતાં નથી. | |||
ભારતીય આકાશ નીચે વસતાં માનવપંખી | |||
સૂવાનો પ્રયત્ન કરતી વખતે હોય છે | |||
તેનાથી વધારે અશક્ત જાગતી વખતે હોય છે. | |||
કરોડોને માટે હોય છે સદાકાળ જાગરણ | |||
કે પછી સદાકાળ તંદ્રા. … | |||
કરોડોની ભૂખી પ્રજા માંગે છે માત્ર એક કાવ્ય – | |||
પ્રાણપૂરક અન્ન. | |||
અને તે તેમને આપોઆપ મળતું નથી | |||
તેને માટે તેમણે કામ કરવું પડે છે, પરસેવો પાડવો પડે છે. | |||
જો આપણે આપણો વર્તમાન સાચવી શકીશું | |||
તો ઈશ્વર ભાવિની સંભાળ લેશે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ખલેલ માટે ક્ષમા કરશો, | |||
પણ આ તે રાજકીય વિવાદ છે કે કવિતાની સ્પર્ધા? | |||
ચાલો પાછા અસહકારના વમળમાં!</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>અસહકારની ભાવના રાજકીય વિરક્તિ સૂચવે છે. | |||
આપણા વિદ્યાર્થીઓ શાનું બલિદાન આપી રહ્યા છે? | |||
તેઓ જઈ રહ્યા છે અ-શિક્ષણ તરફ, | |||
સંપૂર્ણ શિક્ષણ તરફ નહીં! | |||
એના હાર્દમાં છે સર્વનાશનો હિંસક આનંદ | |||
જેનું શ્રેષ્ઠ સ્વરૂપ છે વિરક્તિ | |||
અને નિમ્નતમ સ્વરૂપ છે ડરામણો વ્યભિચાર, | |||
જેમાં માણસની પ્રકૃતિ જીવનની વાસ્તવિકતાને ભૂલીને અનુભવે છે એક અર્થહીન બરબાદીનો ઉદાસીન આનંદ, | |||
જે આપણે તાજેતરના યુદ્ધમાં જોયો હતો. | |||
એનું નિષ્ક્રિય સ્વરૂપ છે વિરક્તિ અને સક્રિય સ્વરૂપ, હિંસા! | |||
હું વિદ્યાર્થીઓને શાળાઓનો ત્યાગ કરવાની સલાહ નથી આપતો કારણ કે હું શૂન્યતાની અરાજકતાથી લલચાતો નથી, | |||
ભલે તે હંગામી ધોરણે હોય! | |||
એક સાવ નકારાત્મક કાર્યક્રમની તેમને સલાહ આપવાની જવાબદારી લેવાનું જોખમ હું લેવા નથી માંગતો. | |||
આ કાર્યક્રમથી તેમનું જીવન જડમૂળથી જમીનમાંથી ઊખડી જશે, પછી તે જમીન ભલે ગમે તેટલી પથરાળ કે વેરાન હોય! | |||
આ તે કેવી વિધિની વક્રતા છે કે | |||
સાગરની એક તરફ હું | |||
પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સમન્વયની વાતો કરું છું | |||
અને બીજી તરફ અસહકારનું પ્રતિપાદન થઈ રહ્યું છે! | |||
જેમ હું શરીરને માનવીનું પરમ સત્ય નથી માનતો | |||
તેમ જ મને પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિમાં પણ વિશ્વાસ નથી. | |||
પણ તેથી હું શરીરનો નાશ કરવામાં નથી માનતો | |||
કે જીવનની ભૌતિક જરૂરિયતોની અવજ્ઞા કરવામાં | |||
પણ નથી માનતો. | |||
જરૂર છે માનવીની આધ્યાત્મિક અને ભૌતિક પ્રકૃતિની વચ્ચે સમન્વય સાધવાની, | |||
પાયા અને ઇમારત વચ્ચે સમતુલન જાળવવાની. | |||
હું માનું છું પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સાચા સમન્વયમાં.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>હું પણ મુક્ત વાતાવરણનો કવિ જેટલો જ પ્રખર હિમાયતી છું. | |||
મારું ઘર બંધિયાર હોય કે બારીઓ બંધ હોય | |||
એવું મને પણ નથી ગમતું. | |||
બધા જ દેશોની સંસ્કૃતિના પ્રવાહો | |||
મારા ઘરમાં છૂટથી વહેતા રહે એવું હું ઇચ્છું. | |||
પણ હું કોઈ પણ પ્રવાહમાં ઘસડાઈ જવા નથી માંગતો. | |||
બીજાના ઘરમાં હું ઘુસણખોર, ભિક્ષુક કે ગુલામ થઈને | |||
હરગિઝ નહીં રહું. | |||
ભ્રામક અભિમાન કે બિનજરૂરી સામાજિક ફાયદાને ખાતર | |||
હું મારા દેશવાસીઓ પર | |||
અંગ્રેજી શીખવાનો બિનજરૂરી બોજો લાદવા નથી માંગતો. | |||
કવિને મુખ્યત્વે વિદ્યાર્થીઓની ચિંતા છે. | |||
તેઓ માને છે કે બીજી શાળાઓ ન હોય ત્યાં સુધી | |||
તેમને સરકારી શાળાઓનો ત્યાગ કરવાનું ન કહેવું જોઈએ. | |||
અહીં હું તેમની સાથે સંમત નથી. | |||
હું શિક્ષણની પૂજા કરવામાં ક્યારેય માનતો આવ્યો નથી. | |||
મેં મારા પોતાના અનુભવથી સાબિત કર્યું છે કે | |||
માત્ર શિક્ષણથી નૈતિક ધોરણો જરા પણ સુધરતાં નથી | |||
અને ચરિત્રના ઘડતરમાં શિક્ષણનું કાંઈ પણ પ્રદાન નથી હોતું. | |||
હું દૃઢતાપૂર્વક માનું છું કે | |||
સરકારી શાળાઓએ આપણને | |||
સત્ત્વહીન અને પરાધીન બનાવ્યા છે અને ઈશ્વરથી દૂર કર્યા છે. ત્યાં જવાથી આપણને મળે છે અસંતોષ | |||
અને અસંતોષનો કોઈ ઉપચાર ન હોવાથી | |||
આપણે હતાશ થઈ જઈએ છીએ. | |||
આ શાળાઓનો હેતુ હતો | |||
આપણને કારકુન અને દુભાષિયા બનાવવાનો | |||
અને તે હેતુ બરાબર સિદ્ધ થઈ રહ્યો છે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>સ્વદેશી ચળવળને અનુસરતી આ ચળવળનો વ્યાપ વિશાળ છે | |||
અને તેની અસર આખા દેશ પર જણાય છે. | |||
પહેલાં આપણા રાજકીય નેતાઓનું દર્શન | |||
અંગ્રેજી જાણનાર વર્ગ પૂરતું સીમિત હતું | |||
કારણ કે તેઓે દેશનું અર્થઘટન | |||
અંગ્રેજોના ઇતિહાસમાંથી મેળવતા હતા. | |||
આવા સંજોગોમાં મહાત્મા ગાંધી આવ્યા | |||
અને કરોડોની નિરાધાર જનતાની ઝૂંપડાના દ્વારે | |||
તેમના જેવો જ વેશ પહેરીને | |||
અને તેમની ભાષામાં વાતો કરતા ઊભા રહ્યા. | |||
આખરે તેમને કોઈ પુસ્તકિયું અવતરણ નહીં, | |||
પરમ સત્ય લાધ્યું. | |||
તેથી જ તેમને અપાયેલો મહાત્માનો ખિતાબ | |||
એ જ તેમની સાચી ઓળખાણ છે. | |||
બીજા કોણે આટલા બધા ભારતવાસીઓને | |||
પોતાના અંગત માન્યા છે? | |||
સત્યના સ્પર્શથી | |||
આજ સુધી પૂરાઈ રહેલી પ્રાણની શક્તિ મુક્ત થઈ છે. | |||
ભારતના દ્વારે સાચા પ્રેમનું દર્શન થતાં જ એ દ્વાર ખુલી ગયાં; | |||
બધી જ દ્વિધા અને સંકોચ અદૃશ્ય થઈ ગયાં. | |||
સત્યથી સત્યનો દીપક પ્રગટ્યો. | |||
ભારતનું હૃદય મહાત્માએ પ્રેમથી જીતી લીધું છે; | |||
તે માટે આપણે તેમેની સર્વોપરિતા સ્વીકારીએ છીએ. | |||
તેમણે આપણને સત્યની શક્તિનું દર્શન કરાવ્યું છે | |||
અને તે માટે આપણે તેમના સદાકાળ ઋણી રહીશું. | |||
પણ જો સત્યનું દર્શન કર્યા છતાં | |||
તેનામાં આપણી શ્રદ્ધાનો પડઘો ન પડે તો તેનો અર્થ શું? | |||
જેમ આપણું હૃદય પ્રેમના સત્યનો પ્રતિભાવ આપે છે | |||
તેમ જ આપણા મગજમાં પણ | |||
બૌદ્ધિક સત્યનો પ્રતિભાવ મળવો જોઈએ. | |||
સત્યની શક્તિનું આટલું સ્પષ્ટ દર્શન કર્યા પછી | |||
શું આપણે માત્ર સ્વરાજ મળવાની લાલચથી | |||
તેમાં શ્રદ્ધા રાખવાનું છોડી દઈશું? | |||
જાગૃતિ માટે જરૂરી સત્યને સિદ્ધિની ક્ષણોમાં ભૂલી જઈશું? | |||
આજે દેશ ઉપર એક દમનગ્રસ્ત વાતાવરણનો બોજો છવાયેલો છે. | |||
જાણે કોઈ બાહ્ય જબરદસ્તી | |||
સૌની સાથે એક જ સૂરમાં વાત કરી રહી છે | |||
અને એક જ યંત્ર પર કામ કરવા કહી રહી છે. | |||
મારે જ્યારે ચર્ચા કરવી હતી, પ્રશ્નો પૂછવા હતા, | |||
ત્યારે મારા હિતેચ્છુઓએ હોઠ પર હાથ મૂકીને કહ્યું, હમણાં નહીં! | |||
આજે દેશના વાતાવરણમાં એક જુલમનો, સિતમનો માહોલ છે. | |||
આ જુલમ કે સિતમ કોઈ શસ્ત્રસજ્જ શક્તિ નથી ફેલાવતી | |||
પણ તેનાથી પણ વધુ ખતરનાક કોઈ અદૃશ્ય શક્તિ ફેલાવે છે. | |||
મેં જોયું કે વર્તમાન પ્રવૃત્તિને જે શંકાની નજરે જોતાં હતાં | |||
તેઓ જો તેમની શંકા અંગે | |||
ગમે તેટલી સાવધાનીપૂર્વક કે ધીરેથી પણ વાત કરતાં | |||
તો અંદરથી જ કોઈ તેમને ચેતવતું અને સખત જકડી રાખતું. | |||
એક વર્તમાનપત્રે | |||
એક દિવસ વસ્ત્રદહનની ટીકા કરવાની ધૃષ્ટતા કરી. | |||
બીજા જ દિવસે તંત્રી વાચકોના ઉશ્કેરાટથી સમતુલન ગુમાવી બેઠો. | |||
જે આગમાં કાપડ બળે છે | |||
તે જ આગથી વર્તમાનપત્ર પણ રાખ જ થઈ જાયને? | |||
હું જોઈ રહ્યો છું કે એક બાજુ લોકો અત્યંત વ્યસ્ત છે | |||
તો બીજી બાજુ અત્યંત ભયભીત છે. | |||
ચારે તરફથી હું સાંભળી રહ્યો છું કે | |||
તર્ક તેમ જ સંસ્કૃતિને તિલાંજલિ આપો. | |||
સવાલો પૂછ્યા વિના માત્ર આજ્ઞાપાલન જ આવશ્યક છે. | |||
પણ કોની આજ્ઞાનું પાલન? | |||
કોઈ મંત્રની કે પછી કોઈ વિવેકહીન સિદ્ધાંતની?</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>એક ઉત્તમ અને ઉમદા લેખમાં શાંતિનિકેતનના કવિએ | |||
હાલની ચળવળનો હુબહુ ચીતાર શબ્દચિત્રો દ્વારા રજૂ કર્યો છે | |||
જે તેમના સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી. | |||
એક ક્ષણિક દીવાનગીના આંધળા સ્વીકારને | |||
અધિકાર કે પછી ગુલામીનું માનસ કે | |||
બીજું જે કોઈ નામ આપી શકાય, | |||
તેની સામેનો વાગ્છટાથી સભર વિરોધ તેમાં પ્રસ્તુત છે. | |||
કવિ કહે છે કે જે હૃદય કે મગજને સ્વીકાર્ય ન હોય | |||
તેનો ત્વરિત અસ્વીકાર કરવામાં જ શાણપણ છે. … | |||
આની સાથે સૌએ સંમત થવું જ જોઈએ તેમ જ | |||
સત્ય અને તર્કનો પક્ષ લેવા માટે | |||
બધા જ દેશવાસીઓએ તેમનો આભાર માનવો જોઈએ. | |||
જો દેશવાસીઓ વિચાર્યા વગર, અંધશ્રદ્ધાથી | |||
મને અનુસરે છે એમ મને લાગતું હોત | |||
તો મને અત્યંત દિલગીરી થાત. | |||
સિતમગારના ચાબખાને વશ થવા કરતાં | |||
પ્રેમની આંધળી તાબેદારીમાં રહેલા જોખમોથી | |||
હું સુમાહિતગાર છું. | |||
પાશવી શક્તિના ગુલામને મુક્તિની આશા હોઈ શકે, | |||
પ્રેમના ગુલામને નહીં! | |||
પ્રેમ જો બળજબરીથી આજ્ઞાપાલન કરાવે | |||
તો તે પણ સિતમગાર થઈ જાય છે. | |||
દંભ, જડતા, નિષ્ક્રિયતા, અસહિષ્ણુતા, અજ્ઞાન | |||
કે તેમના જેવા દુશ્મનો સામે આપણને ચેતવીને | |||
કવિએ એક સંત્રીની ફરજ અદા કરી છે. | |||
આંધળા આજ્ઞાપાલનના દૂષણોથી | |||
ચેતતા રહેવાની કવિની સલાહ સાથે હું સંમત છું | |||
પણ એનો અર્થ એમ નથી કે | |||
હું માનું છું કે આજે દેશમાં આંધળું આજ્ઞાપાલન ફેલાયેલું છે. | |||
મેં વારંવાર વિચાર કર્યો છે | |||
અને જો આજે દેશમાં ચરખાનો સ્વીકાર | |||
સમૃદ્ધિની સીડીના પહેલાં પગથિયાં તરીકે થયો હોય | |||
તો તે ગંભીર ચર્ચા અને ઘણા વિવાદ પછી થયો છે. … | |||
સપાટી પરની ધૂળને | |||
નીચે રહેલો પદાર્થ માનવાની ભૂલ કવિએ ન કરવી જોઈએ. … | |||
હું ઇચ્છું છું કે કવિ અને સંત | |||
કાંતણને એક ધાર્મિક વિધિ તરીકે સ્વીકારીને કાંતે. | |||
યુદ્ધના સમયે કવિએ તેની વીણા, | |||
વકીલે તેના કાયદાના કાગળો, વિદ્યાર્થીએ તેનાં પુસ્તકો | |||
બાજુ પર મૂકી દેવા જોઈએ. | |||
યુદ્ધની સમાપ્તિ પછી કવિ સાચા સૂરમાં ગાઈ શકશે, | |||
જ્યારે લોકોને એકબીજાની સાથે લડવાની તક મળશે | |||
ત્યારે વકીલ તેના કાયદાના કાગળો જોઈ શકશે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>આપણા ગુરુ સમાન મહાત્મા પાસેથી | |||
આપણે પ્રેમના પવિત્ર સત્યનું શિક્ષણ લેવું જોઈએ. | |||
પણ સ્વરાજની કળા અને વિજ્ઞાનનું ફલક વિશાળ છે. | |||
આ કામને માટે ભાવના અને આકાંક્ષાથી પણ વધારે જરૂર | |||
વિચાર અને અભ્યાસની છે. | |||
આને માટે અર્થશાસ્ત્રીઓએ વિચારવું પડશે, | |||
કારીગરે મહેનત કરવી પડશે, કેળવણીકારે શિક્ષણ આપવું પડશે અને મુત્સદ્દીઓએ યોજના કરવી પડશે. | |||
ટૂંકમાં આખા દેશમાં સૌએ બધી જ દિશામાં ક્રિયાશીલ રહેવું પડશે. | |||
તદુપરાંત, આખા દેશમાં | |||
ઝીણવટભરી પ્રશ્નોત્તરીનો દોર અખંડ અને મુક્ત રાખવો પડશે. | |||
ખુલ્લી કે ખાનગી બળજબરીથી દેશનું મગજ ડરપોક કે નિષ્ક્રિય ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે. | |||
જે આપણને કર્મના માર્ગે દોરી રહ્યા છે | |||
તે વર્તમાન ગુરુ એક હાકલ કેમ નથી પાડતા? | |||
તેઓ કેમ કહેતા નથી, | |||
આવો, આવો, સૌ ચારે દિશામાંથી આવો, તમારું સ્વાગત છે. | |||
દેશની બધી જ શક્તિને કર્મમાં જોડી દો – તો જ દેશ જાગૃત થશે. | |||
સંપૂર્ણ જાગૃતિ એ જ સ્વાતંત્ર્ય, એ જ સંપૂર્ણ અભિવ્યક્તિ. | |||
મહાત્મા પાસે ઈશ્વરદત્ત અવાજ છે જે હાકલ પાડી શકે છે | |||
કારણ કે તેમનામાં સત્ય છે. | |||
આ જ આપણી તક છે | |||
જેની આપણે લાંબા સમયથી પ્રતીક્ષા કરતા હતા. | |||
પણ એમની હાકલ એક સંકુચિત ક્ષેત્ર પૂરતી જ સીમિત રહી. | |||
સર્વેને તે કહે છે, કાંતો અને વણો, કાંતો અનેે વણો. | |||
નૂતન સમયનો નૂતન સર્જન માટે આ સાદ? | |||
કુદરતે જ્યારે મધમાખીને | |||
મધપૂડાની સીમિત જીંદગીનો આદેશ આપ્યો | |||
ત્યારે લાખો મધમાખીઓએ તેને | |||
માત્ર કાર્યક્ષમતા માટે માથે ચડાવ્યો. | |||
પરિણામે તેમણે પ્રજનનનો હક ગુમાવ્યો. | |||
કોઈ લાલચ કે આદેશને આધીન થવા માટે | |||
જે દેશની પ્રજા નપુંસક થવાનું સ્વીકારે | |||
તેનું કારાગાર તેની સાથે જ હોય છે. | |||
કાંતવું સહેલું છે માટે જ દરેક માણસને તેની શિક્ષા કરવી | |||
એ વ્યાજબી નથી. … | |||
માનવીની પરાકાષ્ટા જ્યારે આંબવામાં આવે | |||
ત્યારે જ તેનું શ્રેષ્ઠતમ ખીલી ઊઠે. … | |||
પોતાના યોગ્ય સ્થાને ચરખો નુકસાન નથી કરતો | |||
એટલું જ નહીં, તે લાભકર્તા પણ છે. | |||
પરંતુ, જ્યારે માણસની પ્રકૃતિમાં રહેલા ભેદને જાણીજોઈને અવગણીને તેને અયોગ્ય સ્થાન મૂકવામાં આવે | |||
ત્યારે કંતાયેલા સૂતરમાં મગજનું મહાન બલિદાન આપાયું હોય છે. | |||
માણસનું મગજ સૂતરથી ઓછું મૂલ્યવાન નથી. … | |||
આપણી આંખો સામે ધ્રૂજતી અને નગ્ન માતૃભૂમિના સંદર્ભમાં વસ્ત્રદહનનો વિચાર કરી જુઓ. | |||
આવી હાકલનો શું અર્થ છે? | |||
કયા ઉત્પાદકનું કાપડ વાપરવું અને કોનું નહીં | |||
એ અર્થશાસ્ત્રીનો વિષય છે. | |||
આપણા દેશમાં આ અંગે થતી ચર્ચા | |||
અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી થવી જોઈએ. | |||
જો આપણને એવી ટેવ પડી ગઈ હોય | |||
જેમાં ચોક્કસ કે ઝીણવટભરી વિચારશ્રેણી અશક્ય હોય | |||
તો બીજું બધું જ બાજુ પર મૂકીને | |||
આપણી પ્રથમ લડત આ મરણતોલ કુટેવ સામે હોવી જોઈએ. | |||
આવી ટેવ આદિ પાપ જેવી કહેવાય | |||
જેમાંથી બીજા બધાં જ દૂષણોનો ઉદ્ભવ થાય છે. | |||
પણ આપણે તો કોઈ જાદુઈ સૂત્રથી | |||
વિદેશી કાપડને અશુદ્ધ કે અપવિત્ર માનીને | |||
આવી ટેવનો સ્વીકાર કરીએ છીએ. | |||
અર્થશાસ્ત્રનું પોટલું બાંધી, તેને બહાર ફેંકી દઈને | |||
તેને સ્થાને કૃત્રિમ નૈતિક ધોરણોને ઘસડી લાવીએ છીએ.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મારે સ્વીકારવું જોઈએ કે | |||
હું અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે | |||
ખાસ કે પછી કોઈ પણ ભેદરેખા નથી દોરતો. | |||
વ્યક્તિ કે રાષ્ટ્રની નૈતિક તંદુરસ્તીને હાનિકારક અર્થશાસ્ત્રને | |||
હું અનૈતિક જ કહું. | |||
આમ જોતાં જે અર્થશાસ્ત્ર | |||
એક દેશને બીજા દેશનું શોષણ કરવા દે | |||
તે અનૈતિક જ કહેવાય. | |||
જ્યારે હું જાણતો હોઉં કે | |||
પડોશના વણકરોએ વણેલું કાપડ પહેરવાથી | |||
મને કપડાં અને તેમને રોજગારી અને અન્ન મળે છે | |||
ત્યારે રીજન્ટ સ્ટ્રીટનાં સુંદર કપડાં પહેરવાં પાપ જ કહેવાય. | |||
આવું પાપ જ્યારે મારી નજર સમક્ષ ઊછળતું હોય | |||
ત્યારે મારે તે વિદેશી કપડાંની હોળી કરીને | |||
મારા આત્માની શુદ્ધિ કરવી જ રહી. | |||
ત્યાર પછી મારે મારા પડોશીએ બનાવેલી | |||
ખરબચડી ખાદી પહેરીને જ સંતોષ માનવો જોઈએ. | |||
જો મારા પડોશી બીજું કામ મૂકીને કાંતતા ન હોય | |||
તો મારે કાંતવાનું શરૂ કરીને તેનો પ્રચાર કરવો જોઈએ | |||
અને તેને લોકપ્રિય બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>બંનેના મિત્ર, ચાર્લી ઍન્ડ્રુઝને ફિકર થતી હતી કે | |||
આવા મતભેદથી બે ઉદાત્ત આત્માઓ વચ્ચે તિરાડ તો નહીં પડેને! | |||
સાવચેતીના પગલા તરીકે | |||
રવીન્દ્રનાથના કોલકતાના પારિવારિક રહેઠાણ, જોરાસાંકોમાં | |||
તેમણે બંને વચ્ચે એક મુલાકાત યોજી. | |||
તે મુલાકાતમાં તેમના ત્રણ સિવાય ચોથું કોઈ જ ઉપસ્થિત ન હતું. | |||
મુલાકાત પછી ગાંધીજી કે રવીન્દ્રનાથે | |||
પ્રેસને કોઈ પણ નિવેદન આપ્યું ન હતું. | |||
ઘણાં વર્ષો પછી | |||
રવીન્દ્રનાથે આ પ્રસંગ વિશે એલ્મહર્સ્ટને વાત કરી હતી.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ગાંધીજી મને કલકત્તામાં મારા ઘરે મળવા આવ્યા હતા. | |||
તેમને તેમના રાજકીય કાર્યક્રમોના વિવિધ પાસા માટે | |||
મારો ટેકો જોઈતો હતો.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ગુરુદેવ, વીસેક વર્ષ પહેલાં | |||
તમે જ સ્વદેશી ચળવળના પ્રણેતા અને નેતા હતા. | |||
તમે હંમેશા ઇચ્છતા હતા કે | |||
ભારતીયો પોતાના પગ ઉપર ઊભા રહે | |||
અને અંગ્રેજોનું આંધળું અનુકરણ ન કરે. | |||
મારું સ્વરાજનું આંદોલન | |||
તમારા સ્વદેશીના કાર્યક્રમનું કુદરતી સંતાન છે. | |||
એમાં જોડાઈને એને શક્તિશાળી બનાવો.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ગાંધીજી, આખું જગત | |||
સ્વાર્થી અને દીર્ઘદૃષ્ટિહીન રાષ્ટ્રવાદથી પીડાય છે. | |||
ભારતે હંમેશા બધાં જ દેશો તેમ જ સિદ્ધાંતોને આતિથ્ય ધર્યું છે. | |||
હું માનું છું કે ભારતમાં | |||
આપણે પશ્ચિમ અને તેના વિજ્ઞાન પાસેથી ઘણું મેળવવાનું છે | |||
અને આપણે આપણી વચ્ચે સમન્વય સાધતાં પણ શીખવાનું છે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>પણ ગુરુદેવ, મેં હિંદુ-મુસ્લિમ એકતા તો સાધી છે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>હું નથી માનતો. | |||
તમે તો માત્ર રાજકીય મંચની વાત કરો છો | |||
જ્યાં હિંદુ અને મુસ્લિમ આનંદપૂર્વક ભેગા થઈને | |||
અંગ્રેજો પર પ્રહાર કરી રહ્યા છે. | |||
મને અંગ્રેજ બાબુશાહી પ્રત્યે ક્યારેય આદર થયો નથી | |||
પણ તમે સાચે જ કહી શકો કે | |||
હિંદુઓના હૃદયમાં મુસ્લિમો માટે પ્રેમભાવ છે? | |||
જ્યારે અંગ્રેજો ચાલી જશે કે ભગાડી મૂકવામાં આવશે | |||
ત્યારે શું થશે?</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ગુરુદેવ, | |||
મારું સમગ્ર આંદોલન અહિંસાના સિદ્ધાંત પર અવલંબે છે અને તેથી જ શાંતિમાં માનનારા એક કવિ તરીકે | |||
તમારે મારા આંદોલનમાં જોડાઈને તેને માટે કામ કરવું જોઈએ.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગાંધીજી, આવો અને મારા વરંડામાંથી જુઓ. | |||
નીચે જોઈને મને કહો, | |||
તમારા અહિંસક અનુયાયીઓ શું કરી રહ્યા છે? | |||
તેમણે ચિતપુર રોડની દુકાનમાંથી કપડું ચોર્યું છે | |||
અને મારા આંગણામાં તેની હોળી સળગાવીને | |||
તેની આસપાસ ફરતા દીવાના દરવેશોની જેમ બૂમો પાડી રહ્યા છે. | |||
આ અહિંસા છે? | |||
ગાંધીજી તમે જાણો છો તેમ આપણી પ્રજા આવેગશીલ છે. | |||
તમારા અહિંસક સિદ્ધાંતોથી | |||
તમે આ આવેગને સંયમમાં રાખી શકશો? | |||
તમે જાણો છો કે એ શક્ય નથી. | |||
હિંદુ અને મુસ્લિમ વચ્ચે પ્રવર્તતી હિંસક ભાવના પર સંયમ લાદવા | |||
તેમના બાળકોને બે કે ત્રણ પેઢી સુધી સાથે શિક્ષણ આપવું પડશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગુરુદેવ, તમે કહો છો કે | |||
તમે ભારતીયોના ભારતીયો દ્વારા શિક્ષણમાં માનો છો. | |||
તો તમે મારા રાષ્ટ્રીય શિક્ષણના આંદોલનને | |||
સમર્થન આપી શકો. | |||
હજારો યુવાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ | |||
સરકારી અને મિશનરી શાળાઓ છોડીને | |||
રોજ આ નવી શાળાઓમાં ભરતી થવા આવે છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>અને તમે તેમાંથી જે શ્રેષ્ઠ હોય | |||
તેમને તમારા રાજકીય કાર્યક્રમમાં જોડી દો છો | |||
અને બાકી રહેલા મૂર્ખ લોકોને એવી શાળામાં મૂકો છો | |||
જ્યાં સંપૂર્ણ નહીં પણ વિકૃત શિક્ષણ અપાય છે. | |||
મને તમારા રાષ્ટ્રીય કેળવણીના કાર્યક્રમમાં વિશ્વાસ નથી. | |||
આપણે આખા જગતમાંથી શિક્ષકો અને અધ્યાપકોને | |||
આમંત્રણ આપીને ભારતમાં શિક્ષણ આપવા બોલાવવા જોઈએ | |||
જેથી તેઓ પણ આપણા સાંસ્કૃતિક વારસામાંથી શીખી શકે. | |||
અત્યારે હું શાંતિનિકેતનમાં આવો જ પ્રયત્ન કરી રહ્યો છું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગુરુદેવ, | |||
તમે મારે માટે બીજું કાંઈ પણ ન કરી શકો તો કાંઈ નહીં | |||
પણ આ તમારા કલકત્તાના મોટી, મોટી ઉપાધિઓવાળા અવહેવારુ ભદ્રલોકને શરમમાં નાંખીને | |||
કાંતવા તો બેસાડી શકોને? | |||
અરે, તમે જાતે કાંતીને આખા દેશને ઉદાહરણ પૂરું પાડી શકો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>હું કવિતા લખી શકું, ગીત ગાઈ શકું, | |||
પણ ગાંધીજી, તમારા કિંમતી કપાસનો હું કેવો બગાડ કરું | |||
તેની તમે કલ્પના નહીં કરી શકો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ઍન્ડ્રુઝે એક ટૂંકું અને મુત્સદ્દીપૂર્ણ નિવેદન પ્રેસમાં આપ્યું હતું, | |||
બંને વચ્ચે સ્વભાવગત મતભેદો એટલા તીવ્ર હતા કે | |||
બૌદ્ધિક સમજુતી સાધવી અત્યંત મુશ્કેલ હતી | |||
પણ મૈત્રીનું નૈતિક બંધન અકબંધ રહ્યું છે. | |||
રવીન્દ્રનાથના કાવ્યમય અને ભવિષ્યવાણી જેવા વિરોધ છતાં સમષ્ટિ ઉપર ગાંધીજીની પકડ વ્યાપક અને અભૂતપૂર્વ હતી. | |||
આખા દેશમાં | |||
ગાંધીજીને શ્રીકૃષ્ણના સ્વરૂપમાં દર્શાવતા ચિત્રો વેચાતાં હતાં. અસહકારનું આંદોલન આખા દેશમાં સ્વીકૃતિ મેળવી રહ્યું હતું. નવેમ્બર ૧૯૨૧માં મુંબઈમાં | |||
રવીન્દ્રનાથના ભયને પહેલી વાર સમર્થન મળ્યું. | |||
પ્રિન્સ ઑફ વેલ્સની મુલાકાતના બહિષ્કાર દરમિયાન | |||
હિંસક તોફાનો થયા. | |||
ગાંધીજી મુંબઈમાં જ હોવા છતાં | |||
ત્રણ દિવસ સુધી તોફાનોનો દોર ચાલુ રહ્યો. | |||
ડિસેમ્બર ૧૯૨૧માં કૉંગ્રેસે સામુદાયિક સવિનય ભંગની ચળવળ આરંભ કરવાનો નિર્ણય લીધો | |||
અને તેનું નેતૃત્વ ગાંધીજીને સોંપ્યું. | |||
પહેલી ફેબ્રુઆરીના દિવસે રવીન્દ્રનાથે સુવિખ્યાત ગુજરાતી કવિ, ન્હાનાલાલને લખ્યું,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>બધા જ દેશોમાં રાજકીય શક્તિ જેના ઉપર આધાર રાખે છે | |||
તેવા લશ્કરી બળને પરાજિત કરવાની શક્તિ અહિંસામાં છે | |||
તેમ હું માનું છું. | |||
પણ બીજા બધા જ નૈતિક સિદ્ધાંતોની જેમ જ | |||
અહિંસા પણ હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થવી જોઈએ | |||
અને કોઈ તાકીદના કારણસર બહારથી લાદેલી હોવી ન જોઈએ. જગતની મહાન વિભૂતિઓએ મુખ્યત્વે આધ્યાત્મિક પ્રગતિ માટે | |||
પ્રેમ, ક્ષમા અને અહિંસાનો બોધ આપ્યો છે | |||
નહીં કે રાજકારણ કે તેના જેવા ક્ષેત્રમાં સફળતા મેળવવા. | |||
જેમણે પહેલાં સ્વાર્થનો માર્ગ જ અપનાવ્યો હોય | |||
તેવા માણસોનો વિશાળ સમુદાય | |||
અચાનક જ અહિંસાનો માર્ગ અપનાવે તો | |||
તેમનું ધ્યેય નિશ્ચિત સમયમાં હાંસલ કરવામાં | |||
પડતી મુશ્કેલીઓથી એ વિભૂતિઓ માહિતગાર હતી. | |||
કોઈ બાહ્ય પરિણામની તીવ્ર ઇચ્છાનું દબાણ હોય | |||
તો માણસો તેમની સ્વભાવગત ટેવોને મર્યાદિત સમય માટે | |||
કાબૂમાં રાખી શકેે તે વાત નિર્વિવાદ છે. | |||
પણ એક વિશાળ સમુદાય | |||
જેની પરંપરા અને સંસ્કૃતિની ભૂમિકા વૈવિધ્યપૂર્ણ હોય અને | |||
જે હેતુને માટે લાંબા સમયને માટે જટિલ લડત આપવાની હોય ત્યાં આવો કાબૂ રાખવાની શક્યતા હું જોતો નથી. | |||
દક્ષિણ આફ્રિકાની વાત જુદી જ હતી. | |||
મારી શક્તિઓની સીમા જાણતો હોઈ હું મારી જાતને મારા વ્યવસાયમાં જ વ્યસ્ત રહેવા દઉં છું | |||
જે અંધ શક્તિઓને હું કાબૂમાં ન રાખી શકું | |||
તેને છેડવાનું સાહસ કરવામાં હું માનતો નથી.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>: પાંચમી ફેબ્રુઆરીએ ચોરી ચોરામાં | |||
એક ઝનૂની ટોળાએ બાવીસ પોલિસોને જીવતા બાળી નાંખ્યા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ચોરી ચોરાના દુ:ખદ બનાવો | |||
આવનારા દિવસો પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. | |||
જો સાવચેતીનાં સખત પગલાં નહીં લેવામાં આવે | |||
તો ભારત સહેલાઈથી આ જ માર્ગે પ્રયાણ કરશે. | |||
આપણે સ્વાતંત્ર્યના સામ્રાજ્યમાં પ્રવેશ કરવો હોય | |||
તો સત્ય અને અહિંસાને અંતરમાં ઊતારવા પડશે. | |||
વધુ પ્રગતિ કે પછી વધુ અધોગતિને અટકાવવા માટે સામુદાયિક સવિનય ભંગની ચળવળને મુલત્વી રાખવાનું | |||
અને આવેગ અને ઉશ્કેરાટનું શમન અનિવાર્ય છે. | |||
હું આશા રાખું છું કે | |||
મારા આ પગલાથી કોઈ પણ કૉંગ્રેસી નિરાશ નહીં થાય પણ અવાસ્તવિકતા અને રાષ્ટ્રીય પાપના બોજામાંથી મુક્તિ અનુભવશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>માર્ચની દસમીએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી | |||
અને તેમના પર મુકદ્દમો ચલાવીને | |||
તેમને છ વર્ષની જેલ ફરમાવવામાં આવી. | |||
ગાંધીજી જ્યારે જેલમાં હતા | |||
ત્યારે લગભગ બે વર્ષ માટે | |||
રાષ્ટ્રીય આંદોલનો સ્થગિત થઈ ગયાં | |||
અને સ્વાભાવિક રીતે જ આ ચર્ચામાં પણ વિક્ષેપ પડ્યો. ફેબ્રુઆરી ૧૯૨૪માં ગાંધીજી જેલમાંથી છૂટ્યા અને…</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>(તારથી) અમને સૌને ખૂબ આનંદ થયો. | |||
(કાગળ) પ્રિય મહાત્માજી, | |||
તમને જેલમાંથી મળેલી મુક્તિની વધામણી આપવામાં મારે સમય નથી બગાડવો | |||
પણ જ્યારે તમારા સ્વાસ્થ્ય અને શાંતિમાં ખલેલ પહોંચાડવાની બીજાઓને મળતી અબાધિત સ્વતંત્રતાના ચિન્હો દેખાય | |||
ત્યારે હું શાંત કે નિષ્ક્રિય ન બેસી શકું. | |||
આ કટોકટીના સમયે | |||
હું ચાર્લીને તમારી પાસે મોકલી આપું છું. | |||
તે તેની આગવી રીતે તમને સાથ આપશે અને મદદ કરશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આ થઈ અંગત વાત. | |||
માર્ચથી જુલાઈ ૧૯૨૪માં રવીન્દ્રનાથ | |||
ચીન અને જાપાન ગયા હતા. | |||
નવેમ્બરમાં આર્જેન્ટીના પહોંચતા જ | |||
એક અખબારી મુલાકાતમાં તેમણે કહ્યું,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગાંધી સાથે ત્રણ વર્ષ પહેલાં થયેલી | |||
એક વેદનાપૂર્ણ ચર્ચા પછી | |||
અમારા બંનેના રસ્તા જુદા થઈ ગયા છે | |||
અને અમારા કાર્યક્રમો ભિન્ન દિશામાં ચાલી રહ્યા છે. | |||
ગાંધી માત્ર હિંસા જ છે. … | |||
મારી યુરોપની યાત્રા દરમિયાન | |||
હું બધે જ ગાંધીને ભારતના એક વિચક્ષણ પ્રતિનિધિ તરીકે સન્માનતો હતો. | |||
પણ આ ગૌરવ સભર યાત્રા પછી સ્વદેશ પાછા ફરીને મેં જોયું કે મારી આશા પર પાણી ફરી વળ્યું હતું. | |||
મારા જીવનનો આ અત્યંત પીડાદાયી અનુભવ હતો. | |||
મેં જોયું કે ગાંધીના શબ્દોથી ઉશ્કેરાયેલી સમષ્ટિને | |||
જે કાંઈ પણ યુરોપિયન હોય તે ખપતું ન હતું. | |||
તેનાથી હિંસામાં પ્રાણ પૂરાતો હતો. | |||
અમે બંને મળ્યા અને ચર્ચા કરી. | |||
મેં તેમને પૂછ્યું કે | |||
આપણે પાશવી શક્તિનું પ્રતિનિધિત્વ કરીએ છીએ કે મગજનું? | |||
ગાંધીએ મને જણાવ્યું કે જે કાંઈ યુરોપિયન હોય, | |||
વિજ્ઞાન, વર્તણૂંક ઇત્યાદિ જે કાંઈ યુરપનું હોય, | |||
તે બધાંનો વિનાશ કરવો જ પડશે. | |||
તે ચર્ચા લાંબી ચાલી અને વેદનાપૂર્ણ હતી. | |||
અંતે મેં કહ્યું કે તમારા કાર્યક્રમો રાજકીય છે | |||
અને હું રાજકારણી નથી પણ કવિ અને કેળવણીકાર છું. | |||
આ સંવાદ પછી મેં એક સભાને સંબોધી | |||
જેમાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે | |||
હું શા માટે ગાંધીના કાર્યક્રમો સાથે સંમત નથી થતો. | |||
આ સભામાં વિશાળ મેદની હતી. | |||
મેં પ્રેમથી અને લાગણીપૂર્વક | |||
લંબાણથી હિંસામાં રહેલી વિસંગતિ સમજાવી | |||
અને માર્ગ બદલવાનું સૂચન કર્યું. | |||
મારા શબ્દોનું મૃત:પ્રાય મૌનથી સ્વાગત થયું. | |||
એ વિશાળ મેદનીમાંથી મારા શબ્દોનેે | |||
એક પણ તાળીએ વધાવ્યા નહીં. | |||
ફરી એક વાર મને લાગ્યું કે | |||
મારા પોતાના દેશમાં હું એકલો પડી ગયો છું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ફેબ્રુઆરી ૧૯૨૫માં રવીન્દ્રનાથ ભારત પાછા ફર્યા. | |||
ફરીથી જાહેરમાં ચર્ચાનો આરંભ થાય તે પહેલાં, | |||
મે ૧૯૨૫માં ગાંધીજીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી. | |||
રવીન્દ્રનાથે તેમનું હાર્દિક અને કલામય સ્વાગત કર્યું.</poem> | |||
}} | |||
{{Playend}} | {{Playend}} |
edits