ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/માનવીનું હૈયું

From Ekatra Wiki
Revision as of 09:58, 30 December 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માનવીનું હૈયું|}} <poem> માનવીના હૈયાને નંદવામાં વાર શી? અધબોલ્યા બોલડે, થોડે અબોલડે, પોચાશા હૈયાને પીંજવામાં વાર શી? સ્મિતની જ્યાં વીજળી, જરીશી કરી વળી, એના એ હૈયાને રંજવામાં વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માનવીનું હૈયું

માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે,
થોડે અબોલડે,
પોચાશા હૈયાને પીંજવામાં વાર શી?

સ્મિતની જ્યાં વીજળી,
જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?

માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?

૨૮-૧૦-૧૯૩૭

(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૬૮)