ગુજરાતી ગઝલસંપદા/અમૃત કેશવ નાયક

Revision as of 15:18, 1 November 2022 by Atulraval (talk | contribs)


અમૃત કેશવ નાયક

<poem2> કદી તલવારની ધમકી! કદી કર માંહી ખંજર છે;
ગઝલમાં જીવ આશકનો, ડગે ડગ દિલમહીં ડર છે! ઘડીમાં જીવ જોખમમાં, ઘડીમાં જિંદગી ભયમાં;
પડ્યું પરહાથ દિલ આ આજ, આંખો શૂળી ઉપર છે! ન છૂટે ધ્યાન પ્રતિમાનું, ખુદાની યાદ ના આવે;
પડ્યા પથ્થર સમજમાં શું, કહે લોકો કે કાફર છે! જીગરનો દાગ જૂનો છે, નિરાશાનો નમૂનો છે;
સહુ સંસાર સૂનો છે, ઉજ્જડ આશક તણું ઘર છે! તમો ધનવાન છો તો, મુજ સમા લાખો ભિખારી છે;
કમાઈ રૂપનીમાં આશકોનો લાગ ને કર છે! હૃદય ચાહે સદા જેને, દયા આવે નહીં તેને;
બળ્યું એ જીવવું એના થકી, મરવું જ બહેતર છે! નહીં ભૂલું અમૂલું મુખ, કદી ડૂલું થયું તો શું;
કપાઈ સર સરાસર બોલશે, બસ! તું જ સરવર છે! ઊઠ્યો ચમકી હું રાતે વસ્લની જીહિદ તણી બાંગો;
અહીં તકબીરના શબ્દો સદા અલ્લાહ અકબર છે. ન કર અમૃત! શિકાયત કે, એ બૂત છે પથ્થરો છે બસ;
હૃદય તુજ મીણનું રાખ્યાથી, તારો હાલ અબતર છે! </poem2>