ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાશીદાસ-૨


કાશીદાસ-૨ [ઈ.૧૮૧૮માં હયાત] : પેટલાદ પરગણાના ચાચરવેદી મોઢ બ્રાહ્મણ. ભગવાનની ભક્તવત્સલતાનું સરળ શૈલીમાં નિરૂપણ કરતી ૧૨ પદની ‘નરસિંહની હૂંડી’ (૨. ઈ.૧૮૧૮/સં. ૧૮૭૪, ચૈત્ર સુદ ૩, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : નકાદોહન(+સં.). [ચ.શે.]