ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંકર

Revision as of 09:14, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)


સંકર : સંસ્કૃત અલંકાર. નીરક્ષીર ન્યાયે પરસ્પરમાં મળેલા અલંકારોને સંકર કહેવાય. પરસ્પરથી સ્વતંત્ર નહિ એવા અલંકારોના મિશ્રણમાં એક પ્રધાન અને બીજું ગૌણ હોય ત્યારે અંગાંગિભાવ સંકર નામનો સંકરનો પહેલો પ્રકાર થાય. એક જ રચનામાં આવતા બે અલંકારોમાં નિશ્ચિતપણે અમુક જ અલંકાર છે એવી પ્રતીતિ ન થતી હોય તો એને સંદેહ સંકર કહેવાય અને એક જ શબ્દમાં જ્યારે શબ્દના અને અર્થના અલંકારોનો સમાવેશ થાય ત્યારે એકાશ્રયાનુપ્રવેશ સંકર કહેવાય. જ.દ.