ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંકર : સંસ્કૃત અલંકાર. નીરક્ષીર ન્યાયે પરસ્પરમાં મળેલા અલંકારોને સંકર કહેવાય. પરસ્પરથી સ્વતંત્ર નહિ એવા અલંકારોના મિશ્રણમાં એક પ્રધાન અને બીજું ગૌણ હોય ત્યારે અંગાંગિભાવ સંકર નામનો સંકરનો પહેલો પ્રકાર થાય. એક જ રચનામાં આવતા બે અલંકારોમાં નિશ્ચિતપણે અમુક જ અલંકાર છે એવી પ્રતીતિ ન થતી હોય તો એને સંદેહ સંકર કહેવાય અને એક જ શબ્દમાં જ્યારે શબ્દના અને અર્થના અલંકારોનો સમાવેશ થાય ત્યારે એકાશ્રયાનુપ્રવેશ સંકર કહેવાય. જ.દ.

સંકર(Hybrid) : પ્રકૃતિ અને પૂર્વગ-પ્રત્યય અલગ અલગ ભાષાનાં હોય અને શબ્દ સિદ્ધ કરવામાં આવે તે સંકર કહેવાય છે : જેમકે નાનાલાલના ‘કુલયોગિની’ કાવ્યમાં ‘ઝાંખો પ્રકાશ તરુજાળી મહીંથી આવે,/ને ઓશરી મહીં સુજાજમ તે બિછાવે’. ચં.ટો.