મનીષા જોષીની કવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 307: Line 307:
એક જીગિતનું મોત.
એક જીગિતનું મોત.


</poem>
== ૧૦. તાપ વિનાનો ઉજાસ ==
<poem>
ઓરડા બધા અગાશી
અને રાત બધી બપોર.
ઓરડામાં ખરતા તારાઓ
અને અગાશીમાં છે પડદા.
રાત્રે દેખતાં ચામાચીડિયાં
ને બપોરે બોલતાં તમરાં.
નથી બદલાઈ મારી
સવાર અને સાંજ.
સવાર એવી જ –
‘પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠાં તારાં ગાન’
સાંજ પણ એવી જ –
કુદરતી દૃશ્ય જેવી.
બે પર્વત, વચ્ચે આથમતો સૂરજ,
એક મંદિર, એક નદી, એક હોડી.
તો પછી શું થયું રાતને?
કેમ ઓસરી ગયાં અંધારાં?
શું થયું બપો૨ને?
કેમ કરમાઈ ગયાં સૂરજમુખી?
તાપ વિનાના ઉજાસમાં મને સપનાં આવે છે.
રાતનાં સપનાં બપોરે
અને બપો૨નાં સપનાં રાત્રે.
</poem>
== ૧૧. વાળની ગૂંચ ==
<poem>
સોનાની વેણીથી મારા વાળ સજાવતા
સુંદર, શાશ્વત નરેશો ક્યારેય
વાળમાંથી ગૂંચ નથી ઉકેલી શકતા.
તું રક્તપીતિયો રોગી હોય તો પણ આવ.
એક કાંસકો લઈને મારા વાળ ઓળ.
હું તને ગંગામાં સ્નાન કરાવીશ.
ચંદનના લાકડા પર સૂવડાવીને
શુદ્ધ ઘીનો અગ્નિદાહ આપીશ.
તારા માટે વિલાપ કરીશ.
શ્વેત વસ્ત્રો પહેરીશ.
જમીન પર સૂઈશ.
પરપુરુષના ઓછાયાથી પણ દૂર રહીશ.
મારે હવે કોઈ પુરુષને પ્રેમ નથી કરવો.
કોઈ પુત્રને જન્મ નથી આપવો.
કોઈ પિતાને પ્રણામ નથી કરવાં.
જો તું મારા વાળની ગૂંચ ઉકેલી શકે તો
મારે મરી જવું છે.
ક્યારેય જન્મી જ ન હોઉં એવી રીતે.
ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે.
આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ.
</poem>
</poem>
18,450

edits