મનીષા જોષીની કવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 805: Line 805:
વાળ, એમને પાછાં વાળ.  
વાળ, એમને પાછાં વાળ.  
સવાર થવામાં જ છે.
સવાર થવામાં જ છે.
</poem>
== ૨૬. આવરણ ==
<poem>
આ અરીસો હવે કાબૂ બહાર થઈ ગયો છે.
હું એની સામે ઊભી રહું છતાં,
મારું કોઈ પ્રતિબિંબ જ નહીં!
અને એમાં દેખાયા કરે, બાકીનું બીજું બધું જ!
મારી પાછળની એ દીવાલ, અલમારી, પુસ્તકો વગેરે.
અરે, ક્યારેક તો ઘર પાછળના નાનકડા બાગમાં ખીલેલાં
ફૂલો સુધ્ધાં એમાં દેખાય છે
પણ મારા અસ્તિત્વને એ નકારે છે, ધરાર.
મારા અને અરીસા વચ્ચેનું
કાચનું એક આવરણ
કદાચ દૂર થઈ ગયું છે.
કાં તો અમે એક થઈ ગયાં છીએ
અથવા તો અદૃશ્ય.
આ અરીસો
તસુભાર ખસ્યા વિના
બતાવે છે મને
આ ઘરની નીચે છુપાવેલી પૂર્વજોની સંપત્તિ
અને ક્યારેક તો
ભવિષ્યની કોઈ એકાદ ક્ષણ પણ.
હું ઝંખી રહી છું, મને જોવા
પણ મારા પોતાના સિવાય
એ બતાવે છે, બીજું બધું જ, માંગું તે.
કદાચ મારું રક્ષણ કરી રહ્યો છે આ અરીસો
અથવા તો પછી
એણે મારી નાંખી છે મને
અને મને એનો ખ્યાલ સુધ્ધાં આવવા નથી દીધો.
</poem>
== ૨૭. ખૂંધવાળી છોકરી ==
<poem>
આમ તો રૂપાળી છે, પણ ખૂંધવાળી છે એ છોકરી.
એનાં મા-બાપ લાખ વાનાં કરીને ઘરે બોલાવે છે મુરતિયાઓને
પણ જેવી એ છોકરી આવે છે, મહેમાનો સામે
કમરેથી સાવ ઝૂકેલી, હાથમાં ચાની ટ્રે લઈને
કે મુરતિયાઓ જતા રહે છે ઊભા પગે.
મા-બાપ પણ હવે તો ટેવાઈ ગયાં છે
તે રાત્રે સૂઈ જાય છે ઘસઘસાટ, ઝાઝી ચિંતા વગર.
જોકે કોઈને ક્યાં ખબર છે કે એ છોકરી, રોજ મધરાતે
જઈને ઊભી રહે છે, ઘરની અગાશીએ
સીધી, ટટ્ટાર, સુરેખ.
એને જોવા આવે છે કંઈ કેટલાયે રાજાઓ
રાજકુમારો ને કુશળ ઘોડેસવારો.
સ્વયંવર રચાય છે એના, આ અગાશીએ રોજ રાત્રે
અને પછી હારેલા રાજકુમારો યુદ્ધે ચડે છે એના માટે.
ક્યારેક તો અપહરણ પણ થઈ જાય છે એનું આ અગાશીએથી
સવારે એ જાગે ત્યારે, ફરી ઊગી આવી હોય છે એની ખૂંધ
પણ મને લાગે છે કે, એને હવે ગમી ગઈ છે એની આ ખૂંધ
આ ખૂંધ જ છે, જે બચાવી લે છે એને, આ દિવસથી
અને જિવાડે છે એને, રોજ રાત્રે ઊગતી એ ભવ્ય રાત માટે
ફૂલોની વેલીઓથી સુગંધિત, શીતલ
તારાઓ મઢી અગાશીએ ઊતરી આવતી રાતે
ચાંદનીથી સુશોભિત, એ સ્વરૂપવાન, સુરેખા
ખડખડાટ હસી પડીને મશ્કરી કરે છે
વયસ્ક રાજાઓની, નિશાન ચૂકી જતા રાજકુમારોની
ને ઘોડા પરથી નીચે ઊથલી પડતા ઘોડેસવારોની.
અપમાનિત મુરતિયાઓને એ પાછા વાળી દે છે, અગાશીએથી
અને એ પોતે, અભિમાની, અભિયુક્ત, સારિકા
ફૂલોની વેલીઓને લપેટાઈને આનંદ કરતી રહે છે રાતભર.
</poem>
== ૨૮. ઉદાસી ==
<poem>
ઉદાસીનું જન્મસ્થાન
પેલું દૂર દેખાઈ રહ્યું છે,
એ મંદિર જ છે.
ભાવિકોની બંધ આંખો તળેથી
અંધારું પેદા થાય છે, અંધારું વકરે છે.
ભક્તજનો ઝનૂનથી થાળી-મંજીરાં વગાડે છે.
આરતીનો એકધારો અવાજ
મંદિરમાં પ્રસાદ માટે આમતેમ રઝળી રહેલા
ઉંદરને બેબાકળો બનાવી દે છે.
રાત્રે પૂજારી મંદિરને તાળું મારી સૂઈ જાય
એટલે વ્યગ્ર ઉંદર દેવીનાં વસ્ત્રો કાતરી ખાય છે.
લજ્જાની મારી દેવીએ
આત્મહત્યા કરી લીધી છે.
ઉંદર પણ પાંજરામાં મૃત પડ્યો છે,
પૂજારીએ મૂકેલો ઝેર ભેળવેલો પ્રસાદ ખાઈને.
સવારે મંદિર, મૂર્તિ વિનાનું, સાવ ખાલી ખાલી
ભક્તો નિરાશ વદન, ઉદાસ ઉદાસ
શોધી રહ્યા છે,
કોઈ નવી દેવીને.
</poem>
</poem>
18,450

edits