મહાદેવભાઈ દેસાઈ — સત્ત્વ અને સાધના/મહાદેવભાઈ દેસાઈનું અધ્યાત્મચિંતન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 30: Line 30:


આ મહાદેવભાઈએ કૂતરાથી પીંખાયેલી એક વાંદરીને ગાડીમાં નાખી, આશ્રમે લાવી, એની ઠીક ઠીક સમય પરિચર્યા કરેલી.<ref> મહાદેવભાઈનું પૂર્વચરિત, પૃ. ૮૮-૮૯. </ref>
આ મહાદેવભાઈએ કૂતરાથી પીંખાયેલી એક વાંદરીને ગાડીમાં નાખી, આશ્રમે લાવી, એની ઠીક ઠીક સમય પરિચર્યા કરેલી.<ref> મહાદેવભાઈનું પૂર્વચરિત, પૃ. ૮૮-૮૯. </ref>
મહાદેવભાઈને ગાંધીજીની જેમ જ જનસેવા માટેનો સહજ રસ હતો. તેમને કોઈની પણ સેવા કરવામાં જરા પણ સંકોચ થતો નહોતો; પરંતુ કોઈનીયે સેવા લેવામાં જરૂર થતો હતો. તેમણે એક વાર જણાવેલું કે પોતાની ‘ઈશ્વરદત્ત માંદગી'માં ‘શોચ પારકાની સેવા લેવી પડી એટલો'<ref> મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૩૧. </ref> જ હતો.
મહાદેવભાઈને ગાંધીજીની જેમ જ જનસેવા માટેનો સહજ રસ હતો. તેમને કોઈની પણ સેવા કરવામાં જરા પણ સંકોચ થતો નહોતો; પરંતુ કોઈનીયે સેવા લેવામાં જરૂર થતો હતો. તેમણે એક વાર જણાવેલું કે પોતાની ‘ઈશ્વરદત્ત માંદગી'માં ‘શોચ પારકાની સેવા લેવી પડી એટલો'<ref> મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૩૧. </ref> જ હતો.
આ મહાદેવભાઈ પોતાના આંતરિક ગુણ-પ્રભાવે અનેકોના મિત્ર થઈ શક્યા હતા. તેમને સૌ ચાહતા, સૌ તેમના પર વિશ્વાસ મૂકતા. એમની ગુણજ્ઞતાનો સ્વીકાર સાર્વત્રિક હતો. આમ તો મૂળભૂત રીતે અનાસક્તિ અને ત્યાગલક્ષી મનોવલણ ધરાવનારા મહાદેવભાઈના નિષ્પાપ – શુદ્ધ-સાત્ત્વિક સ્નેહનો પ્રભાવ સૌ અનુભવતા. તેઓ એ રીતે સર્વમિત્ર જણાય. તેમનું મિત્ર-સંબંધીઓનું બહોળું વર્તુળ જોતાં એ સંબંધોના માણસ પણ લાગે. આમ છતાં અંતરના એકાન્તે તો તેઓ અધ્યાત્મરાગી જીવ જ રહ્યા. શ્રી કિશોરલાલભાઈ લખે છે તેમ, મહાદેવભાઈ–
આ મહાદેવભાઈ પોતાના આંતરિક ગુણ-પ્રભાવે અનેકોના મિત્ર થઈ શક્યા હતા. તેમને સૌ ચાહતા, સૌ તેમના પર વિશ્વાસ મૂકતા. એમની ગુણજ્ઞતાનો સ્વીકાર સાર્વત્રિક હતો. આમ તો મૂળભૂત રીતે અનાસક્તિ અને ત્યાગલક્ષી મનોવલણ ધરાવનારા મહાદેવભાઈના નિષ્પાપ – શુદ્ધ-સાત્ત્વિક સ્નેહનો પ્રભાવ સૌ અનુભવતા. તેઓ એ રીતે સર્વમિત્ર જણાય. તેમનું મિત્ર-સંબંધીઓનું બહોળું વર્તુળ જોતાં એ સંબંધોના માણસ પણ લાગે. આમ છતાં અંતરના એકાન્તે તો તેઓ અધ્યાત્મરાગી જીવ જ રહ્યા. શ્રી કિશોરલાલભાઈ લખે છે તેમ, મહાદેવભાઈ–
‘અને આ બધા સંબંધો સાચવતાં છતાં વ્યક્તિગત અને મહત્ત્વાકાંક્ષાના, ધનયશ આદિ લોભના, કામાદિ વિકારના, કલાસૌંદર્ય વગેરેના શોખને પરિણામે અને સ્વભાવસહજ દાક્ષિણ્યને કારણે પેદા થનાર માયા, મોહ વગેરેનાં પ્રલોભનો સામે પોતાની જાતને બચાવતા રહેનાર સાધક.’ (મહાદેવભાઈનું પૂર્વચરિત, પૃ. ૧૦૩) — જ રહ્યા.
‘અને આ બધા સંબંધો સાચવતાં છતાં વ્યક્તિગત અને મહત્ત્વાકાંક્ષાના, ધનયશ આદિ લોભના, કામાદિ વિકારના, કલાસૌંદર્ય વગેરેના શોખને પરિણામે અને સ્વભાવસહજ દાક્ષિણ્યને કારણે પેદા થનાર માયા, મોહ વગેરેનાં પ્રલોભનો સામે પોતાની જાતને બચાવતા રહેનાર સાધક.’ (મહાદેવભાઈનું પૂર્વચરિત, પૃ. ૧૦૩) — જ રહ્યા.