યાત્રા/અભીપ્સા ગતિ

From Ekatra Wiki
Revision as of 10:36, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અભીપ્સા ગતિ|}} <poem> સમુદ્રનાં નીર સમરત જેમ, ઊર્મિભર્યાં તુંગ ચડી ચડીને પૃથ્વી તણે નીર ઢળ્યા ઢળ્યા કરે; વૈશાખના વા પવને ભમંતા અજસ્ર વેગે નિજ મત્ત મૂર્છના ગુંજ્યા કરે કાનન-કર્ણ-...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અભીપ્સા ગતિ

સમુદ્રનાં નીર સમરત જેમ,
ઊર્મિભર્યાં તુંગ ચડી ચડીને
પૃથ્વી તણે નીર ઢળ્યા ઢળ્યા કરે;

વૈશાખના વા પવને ભમંતા
અજસ્ર વેગે નિજ મત્ત મૂર્છના
ગુંજ્યા કરે કાનન-કર્ણ-રન્ધ્રે;

ધરા તણો આ રસ ઉષ્ણ ઉગ્ર
નગસ્વરૂપે ગગને ધસીને
ઊર્ધ્વસ્થ થૈ સ્વસ્થ ઝંખ્યા કરે કરે;

તેવી અમારી ઉરની અભીપ્સા,
હે દિવ્યતા, તું પ્રતિ ઊર્ધ્વ ઊઠતી
૨ટ્યા કરે, નિત્ય રટી ૨ટી રહેઃ

અથંભ અણજંપ સ્વસ્થ અણુકંપ સોત્કંઠિત,
ન મંદ, દૃઢસ્પંદ, ઉન્મદ નહીં, નહીં કુંઠિત.

૨૭ એપ્રિલ, ૧૯૪૩