યાત્રા/નયન નિમીલિત

From Ekatra Wiki
Revision as of 10:46, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નયન નિમીલિત|}} <poem> નયન નિમીલિત તારાં {{space}} શાં ખોલે જગ રઢિયાળાં! દશ દિશ ઢૂંઢત જે ન મળ્યું તે {{space}} પાંપણ પૂઠ વસ્યું શું? ઝંઝાઝપટે જે ન જડ્યું તે, {{space}} સ્થિર શિખરે જ ઠર્યું શું? વખરીન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નયન નિમીલિત

નયન નિમીલિત તારાં
          શાં ખોલે જગ રઢિયાળાં!

દશ દિશ ઢૂંઢત જે ન મળ્યું તે
          પાંપણ પૂઠ વસ્યું શું?
ઝંઝાઝપટે જે ન જડ્યું તે,
          સ્થિર શિખરે જ ઠર્યું શું?

વખરીનાં શત શર ન વીંધે જે
          મૌન થકી સાધ્યું શું?
બાહુનાં બળ જે તે ત્યાં તે
          કરસંપુટ લાધ્યું શું?

એ મનના રથ ખેડણહારા,
          અશ્વ મૂક્યા છોડી શું?
કોઈ પવનની પાવડી સંગે
          પ્રીત અચલ જોડી શું?

કહે, અધીર અજંપાનાં અમ
          તરણાં પળ પળ તલસે,
નયન જરા ખાલી દે તારાં;
          છે વૈશ્વાનર વરસે.

ફેબ્રુઆરી, ૧૯૪૪