યાત્રા/પ્રારંભિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(12 intermediate revisions by 3 users not shown)
Line 5: Line 5:




<center>{{color|red|<big><big><big>'''અર્વાચીન કાવ્ય ગ્રંથાવલિ પુસ્તક'''</big></big></big>}}</center>
<center>{{color|Blue|<big><big>'''અર્વાચીન કાવ્ય ગ્રંથાવલિ પુસ્તક '''</big></big>}}</center>
<br>
<br>
<br>
<br>
<br>
<br>


<center>{{color|blue|<big>'''યાત્રા'''</big>}}</center>
<center>{{color|red|<big><big><big>'''યાત્રા'''</big></big></big>}}</center>
<br>
<br>
<br>
<br>
<br>
<br>


<center><big>'''સુન્દરમ્'''</big></center>
<center><big><big>'''સુન્દરમ્'''</big></big></center>
<br>
<br>
<br>
<br>
Line 23: Line 23:
<br>
<br>
<br>
<br>
<center>'''સુન્દરમ્‌નાં પુસ્તકો'''</center>
{{Heading|સુન્દરમ્‌નાં પુસ્તકો|}}
<br>
<br>
<br>
<br>
<center>'''[પહેલી આવૃત્તિ]'''</center>
<center>'''[પહેલી આવૃત્તિ]'''</center>
'''કવિતા :'''
'''કવિતા :'''
કોયા ભગતની કડવી વાણી (૧૯૩૩), કાવ્યમંગલા (૧૯૩૩), રંગરંગ વાદળિયાં (બાળકાવ્ય) (૧૯૩૯), વસુધા (૧૯૩૯), યાત્રા (૧૯૫૧)
કડવી વાણી (૧૯૩૩), કાવ્યમંગલા (૧૯૩૩), રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) (૧૯૩૯), વસુધા (૧૯૩૯), યાત્રા (૧૯૫૧)
'''વાર્તાઓ :'''
'''વાર્તાઓ :'''
હીરાકણી (૧૯૩૮), પિયાસી (૧૯૪૦), ઉજાયન (૧૯૪૫), તારિણી (૧૯૭૭), પાવકના પંથે (૧૯૭૭)
હીરાકણી (૧૯૩૮), પિયાસી (૧૯૪૦), ઉન્નયન (૧૯૪૫),  
તારિણી (૧૯૭૭), પાવકના પંથે (૧૯૭૭)
'''નાટકો :'''
'''નાટકો :'''
વાસંતી પૂર્ણિમા (૧૯૭૭)
વાસંતી પૂર્ણિમા (૧૯૭૭)
'''અનુવાદો :'''
'''અનુવાદો :'''
મૃછકટિક (સંસ્કૃત) (૧૯૪૪), કાયાપલટ ૧૯૬૧, જનતા અને જન ૧૯૬૫, ઐસી હૈ જિન્દગી ૧૯૭૪ (ત્રણે જર્મન-અંગ્રેજી)
મૃછકટિક (સંસ્કૃત) (૧૯૪૪), કાયાપલટ ૧૯૬૧, જનતા  
અને જન ૧૯૬૫, ઐસી હૈ જિન્દગી ૧૯૭૪ (ત્રણે જર્મન-અંગ્રેજી)
'''ચિંતનાત્મક ગદ્ય :'''  
'''ચિંતનાત્મક ગદ્ય :'''  
દક્ષિણાયન (પ્રવાસ) (૧૯૪૧), અર્વાચીન કવિતા (વિવેચન) (૧૯૪૬), શ્રી અરવિંદ મહાયોગી () (૧૯૫૦), અવલોકના (વિવેચન) (૧૯૬પ), ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણ) (૧૯૬૮), (વિચારસંપુટ : ત્રણ ગ્રંથો (૧૯૭૮), સાહિત્યચિંતન (સાહિત્યવિષયક અધ્યયન), સમર્ચના (ચારિયપ્રધાન લેખો), ના વિઘા (તત્વચિંતન), * તપોવન (સુન્દરમ્ વિષે અધ્યયન ગ્રંથ : સં. સુરેશ દલાલ) (૧૯૬૯)
દક્ષિણાયન (પ્રવાસ) (૧૯૪૧), અર્વાચીન કવિતા (વિવેચન) (૧૯૪૬), શ્રી અરવિંદ મહાયોગી (યોગ) (૧૯૫૦), અવલોકના (વિવેચન) (૧૯૬પ), ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણ) (૧૯૬૮), ('''વિચારસંપુટ''' : ત્રણ ગ્રંથો (૧૯૭૮),  
'''સાહિત્યચિંતન''' (સાહિત્યવિષયક અધ્યયન), '''સમર્ચના'''
(ચારિત્ર્યપ્રધાન લેખો), सा विद्या (તત્વચિંતન), * '''તપોવન'''
(સુન્દરમ્ વિષે અધ્યયન ગ્રંથ : સં. સુરેશ દલાલ) (૧૯૬૯)


{{Poem2Close}}
{{Poem2Close}}
Line 45: Line 50:
<br>
<br>
<center>'''‘વસુધા’નો અનુગામી કાવ્યસંગ્રહ'''</center>
<center>'''‘વસુધા’નો અનુગામી કાવ્યસંગ્રહ'''</center>
<center><big>'''યાત્રા'''</big></center>
<center><big><big>'''યાત્રા'''</big></big></center>
<center>'''સુંદરમ્'''</center>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<center><big>'''ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય'''</big></center>
<poem>
<center>રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ 380 001</center>
મને અંગે અંગે, અણુ અણુ મહીં કો પરસતું
ગયું, એવા શૈત્યે ઝરમર રસો કો વરસતું
રહ્યું, એવા જેવા મનુજજગમાં ક્યાં ય ન વસ્યા!
વસ્યા એ મીઠેરા રસ અમિત જ્યાં અમૃતરસ્યા,
ત્યહીં મારાં હાવાં ચરણ વળતાં તૃપ્ત-તરસ્યાં.
</poem>
<br>
<br>
<hr>
{{સ-મ||'''Svadhyaylok-1'''<br>Studies in Literature-1<br>by Niranjan Bhagat<br>Published by<br>Gurjar Granthratna Karyalaya, Ahmedabad, 1997<br>E-mail: goorjar@yahoo.com<br>COPYRIGHT © Niranjan Bhagat<br>All rights reserved.}}
The copyrights of this book are owned by the person(s) mentioned in the above notice. No part of this publication may be reproduced, stored in a retrieval system or transmitted in any form or by any means, mechanical, electronic, photocopying, recording or otherwise without the prior written permission of the copyright holder(s). e-Shabda can identify and legally challenge any such infringement viz. illegal distribution / copies / usage of this restricted material.
{{સ-મ||ISBN: 978-93-80126-60-9<br>Price: ₨ 150}}
<br>
<br>
{{સ-મ||પ્રથમ આવૃત્તિ : ૧૯૯૭<br>પુનર્મુદ્રણ : ૨૦૧૮}}
<hr>
<br>
<br>
{{Heading| અર્પણ}}
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<center>{{color|red|<big>'''ઉમાશંકરને</big>'''}}</center>
<center><big>'''આર. આર. શેઠની કું.''' મુંબઈ-ર * પ્રિન્સેસ સ્ટ્રીટ • ઈ.સ.૧૯૮૫</big></center>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<hr>
{{સ-મ||'''SUNDARAM'''<br>YATRA, Poetry<br>R. R. Sheth & Co., Bombay-Ahmedabad<br>1985<br>891-471}}<br>
{{સ-મ||© સુન્દરમ્}}
{{સ-મ||આ સંગ્રહમાંનાં કાવ્યોનો કોઈ પણ પ્રકારે ઉપયોગ<br>
કરવા પહેલાંકર્તાની સંમતિ મેળવવી જરૂરી છે.|}}<br>
<big>{{સ-મ||'''મૂલ્ય રૂ. ૪૦-૦૦'''}}</big>
<br>
<br>
<hr>
{{સ-મ||પહેલી આવૃત્તિ : અષાઢ ૨૦૦૭ (૧૯૫૧),<br>પુનર્મુદ્રણ ૯ અષાઢ ૨૦૧૬ (૧૯૬૦)}}<br>
{{સ-મ||પુનર્મુદ્રણ : અષાઢ ૨૦૧૯ (૧૯૬૩),<br>સંવર્ધિત આવૃત્તિ : આસો ૨૦૪૧ (૧૯૮૫)}}
<br>
<br>
{{Heading| કર્તા વિશે  | }}
{{સ-મ||'''પ્રકાશક'''<br>ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની<br>મુંબઈ ૪૦૦ ૦૦૨ * અમદાવાદ ૩૮૦ ૦૦૧<br>}}


{{Poem2Open}}
નિરંજન નરહરિ ભગતનો જન્મ ૧૯૨૬ના મેની ૧૮મીએ અમદાવાદમાં થયો હતો. એમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં કાલુપુર શાળા નંબર ૧, પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ અને નવચેતન હાઈસ્કૂલમાં તથા ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજ અને મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રાપ્ત કર્યું હતું. ૧૯૫૦માં અંગ્રેજી સાથે એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી એ જ વરસથી અમદાવાદમાં વિવિધ આર્ટ્સ કૉલેજોમાં અંગ્રેજીનું અધ્યાપન કર્યું હતું અને ૧૯૮૬માં નિવૃત્ત થયા હતા.
તેઓ ૧૯૭૮-૧૯૮૨માં સાહિત્ય અકાદમી, ન્યુ દિલ્હીની જનરલ કાઉન્સિલમાં સભ્ય તરીકે અને ૧૯૭૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૮મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા.
એમને ૧૯૪૯માં કુમાર ચન્દ્રક, ૧૯૫૭માં નર્મદ સુવર્ણ ચન્દ્રક અને ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણ ચન્દ્રક અર્પણ થયો હતો. ૧૯૯૪માં ગુજરાત સાહિત્ય અકાદમીએ મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે એમનું સન્માન કર્યું હતું.
‘છંદોલય’, ‘કિન્નરી’, ‘અલ્પવિરામ’, ‘છંદોલય’ (સંકલિત), ‘૩૩ કાવ્યો’, ‘છંદોલય’ (સમગ્ર)—એમના પ્રગટ કાવ્યસંગ્રહો છે. ‘આધુનિક કવિતા’, ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’, ‘મીરાં’, ‘કવિતા કાનથી વાંચો’, ‘મીરાંબાઈ’, ‘કવિ ન્હાનાલાલ’, ‘ડબ્લ્યુ. બી. યેટ્સ’, ‘ટી. એસ. એલિયટ’, ‘વિક્ટર હ્યુગો’, ‘વિક્ટર હ્યુગોની સાહિત્યસૃષ્ટિ’— એમનાં પ્રગટ ગદ્યલખાણો છે.
એમણે બંગાળીમાંથી ‘ચિત્રાંગદા’નો ગુજરાતીમાં ‘ચિત્રાંગદા’, હિબ્રુ-અંગ્રેજીમાંથી બાઇબલના ‘The Book of Job’નો ગુજરાતીમાં ‘યોબ’, સ્પૅનિશ-અંગ્રેજીમાંથી સેન્ટ જ્હોન ઑફ ધ ક્રોસનાં આઠ મુખ્ય કાવ્યોનો ગુજરાતીમાં ‘અષ્ટપદી’ અને સંસ્કૃતમાંથી ‘સ્વપ્નવાસવદત્તમ્’નો અંગ્રેજીમાં ‘The Vision of Vasavdatta’ ગ્ અનુવાદ કર્યો છે.
હમણાં તેઓ ફ્રેન્ચમાંથી શાર્લ બૉદલેરના ‘Les Flears du Mal’ અને ‘Petits Poemes en Prose’નો ગુજરાતીમાં ‘દુરિતનાં પુષ્પો’ અને ‘લઘુ ગદ્યકાવ્યો’ શીર્ષકથી અનુવાદ કરી રહ્યા છે. છેલ્લા દોઢેક દાયકાથી તેઓ ઇંગ્લેંડ, યુરોપ અને અમેરિકાનો વારંવાર પ્રવાસ કરે છે. તેઓ લંડન, પૅરિસ, રોમ, ઍથેન્સ અને ન્યુયોર્કના પ્રવાસ-અનુભવો વિશે પણ નોંધ કરી રહ્યા છે.
એમણે ૧૯૫૬-૧૯૫૮માં ‘સંદેશ’ દૈનિકમાં ‘સાહિત્ય-સાધના’ સાપ્તાહિક કોલમ, ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિક અને ૧૯૭૮-૧૯૭૯માં ‘સાહિત્ય’ ત્રૈમાસિકનું સંપાદન કર્યું હતું.
આજે હવે ‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથોમાં ૧૯૫૧થી આજ લગીના સાડા ચાર દાયકાનાં એમનાં સાહિત્ય વિશેનાં વિવિધ લખાણો પ્રગટ થાય છે.
{{Right |'''ચિમનલાલ ત્રિવેદી''' }} <br>
{{Poem2Close}}
<hr>
<br>
{{Heading| નિવેદન  |  }}


{{Poem2Open}}
{{-||'''મુદ્રક'''<br>જુગલદાસ સી. મહેતા, પ્રવીણ પ્રિન્ટરી સ્ટેશન રોડ,<br>ભગતવાડી, સોનગઢ ૩૬૪૨પ૦.}}
‘સ્વાધ્યાયલોક’માં ૧૯૫૧થી આજ લગીના સાડા ચાર દાયકાના સમયનાં સાહિત્ય વિશેનાં લખાણો ગ્રંથસ્થ થયાં છે. આ લખાણો મુખ્યત્વે સાહિત્યસર્જકો, સાહિત્યકૃતિઓ, સાહિત્યિક મૂલ્યો-પ્રશ્નો આદિ વિવિધ વિષય પર લેખો, વ્યાખ્યાનો, વાર્તાલાપો, પ્રશ્નોત્તરીઓ, પત્રો, અંજલિઓ, અભિનંદનો, પ્રસ્તાવનાઓ, ઉપરણાં, અવલોકનો આદિ વિવિધ સ્વરૂપમાં લખાયાં હતાં. એમાંનાં જૂજ લખાણો અંગ્રેજીમાં લખાયાં હતાં, એના અહીં અનુવાદ આપ્યા છે. એમાંથી મોટા ભાગનાં લખાણો વિવિધ સામયિકો — મુખ્યત્વે ‘સંસ્કૃતિ’ — માં પ્રસિદ્ધ થયાં હતાં. એમાંનાં થોડાંક લખાણો ગ્રંથસ્થ થયાં હતાં. અહીં એ સૌ સામયિકોના તંત્રીઓ અને પ્રકાશકોનો એકસાથે આભાર માનું છું.
જીવનભર કવિતાનું લેખન-વાચન અને સાહિત્યનું અધ્યયન-અધ્યાપન કરવાનું થયું છે. એની એક ઉપલબ્ધિ આ ‘સ્વાધ્યાયલોક’ છે. એથી આ લખાણો ગ્રંથસ્થ કરવાનો નિર્ણય કર્યો ત્યારે ગ્રંથોનું ‘વિવેચનલોક’ નહિ, પણ ‘સ્વાધ્યાયલોક’ એવું નામકરણ કરવાનો નિર્ણય કર્યો. આજ લગીમાં ગુજરાતના ત્રણ વિવેચકો — બલવન્તરાય, રામનારાયણ અને ઉમાશંકર –નું વિવેચન મારે માટે આદર્શ વિવેચન રહ્યું છે. આ લખાણોમાં આદર્શ વિવેચન છે એવો વિશ્વાસ ન હોય તો આ ગ્રંથોનું ‘વિવેચનલોક’ એવું નામકરણ કરવાનું સાહસ ન કરું. તો કોઈને આ લખાણોમાં આદર્શ વિવેચન નહિ, પણ વિવેચન જેવું કંઈક છે એવો વહેમ હોય તો એનો વિવાદ કરવાનું સાહસ પણ ન કરું.
‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથો છે. કારણ કે આ લખાણોની વિષયના સંદર્ભમાં વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો ત્યારે આ પ્રમાણેના આઠ ગ્રંથો કરવાનો નિર્ણય કર્યો: ૧. કવિ અને કવિતા. ૨. અંગ્રેજી સાહિત્ય ૩. યુરોપીય સાહિત્ય. ૪. અમેરિકન અને અન્ય સાહિત્ય. ૫. ગુજરાતી સાહિત્ય: પૂર્વાર્ધ. ૬. ગુજરાતી સાહિત્ય: ઉત્તરાર્ધ. ૭. બલવન્તરાય, ન્હાનાલાલ, સુન્દરમ્, ઉમાશંકર. ૮. અંગત. અંગ્રેજી, અમેરિકન અને યુરોપીય સાહિત્યના સ્વાધ્યાયમાં અનુક્રમે સન્તપ્રસાદ ભટ્ટ, ચુનીલાલ મડિયા અને હરિશ્ચન્દ્ર ભટ્ટ પ્રેરણા અને પ્રોત્સાહનરૂપ હતા. બંગાળી, સંસ્કૃત, ફ્રેન્ચ અને અન્ય સાહિત્યનો સ્વાધ્યાય સ્વપ્રયત્નથી કર્યો છે. ગુજરાતી સાહિત્યનો સ્વાધ્યાય તો વિના પ્રયત્ને થયો છે. સામયિકોમાંથી કેટલાંક લખાણો સુલભ થયાં નથી, તો કેટલાંક લખાણો અપૂર્ણ રહ્યાં છે. આ લખાણો સુલભ થશે અને પૂર્ણ થશે ત્યારે એ વિવિધ વિષયનાં પ્રકીર્ણ લખાણો ‘સ્વાધ્યાયલોક-૯’માં પ્રગટ થશે.
આ લખાણો આજે લખાયાં હોત તો કોઈ અન્ય રીતે લખાયાં હોત! આ લખાણોની લખાવટમાં જે દોષો-દૂષણો છે એથી કંઈક ક્ષોભનો અનુભવ થાય છે. પણ આ લખાણો જો આજે લખાયાં હોત તો એમાં વળી અન્ય દોષો-દૂષણોનો પ્રવેશ થયો હોત! એથી આ લખાણો જેવાં લખાયાં હતાં તેવાં જ અહીં પ્રગટ કર્યાં છે. એમાં છેક-ભૂંસ, કાપ-કૂપ, સુધારા-વધારા કર્યાં નથી. કેટલાંક લખાણોમાં ક્યારેક એકના એક વિષય પર એકથી વધુ વાર બોલવાનું કે લખવાનું થયું હતું એથી એમાં ક્યાંક ક્યાંક પુનરાવર્તન થયું છે પણ એમાં ભિન્ન પ્રસંગ કે સંદર્ભ હતો એથી એ પુનરાવર્તન સહ્ય અને ક્ષમ્ય ગણાશે એવી આશા છે. તો ક્યાંક ક્યાંક કોઈ કોઈ વિચાર એના એ જ શબ્દઝૂમખાં, વાક્યો કે પેરેગ્રાફમાં એકથી વધુ વાર વ્યક્ત થયો છે. પણ કોઈ પણ વિચાર એક વાર સ્પષ્ટ અને સરલ શબ્દોમાં અંતિમતાપૂર્વક વ્યક્ત થયો હોય પછી એને એથી ઓછા સ્પષ્ટ અને સરલ શબ્દોમાં અંતિમતાપૂર્વક વ્યક્ત કરવો અશક્ય છે, એટલું જ નહિ પણ અનિચ્છનીય પણ છે. એથી એ પુનરાવર્તન પણ અનિવાર્ય અને સ્વીકાર્ય ગણાશે એવી આશા છે. કવિતાનું લેખન-વાચન-અધ્યાપન કરવાનું થયું એથી જીવનભર સતત લગભગ સાડા ચાર દાયકા લગી વિવેચનનું લેખન-વાચન-અધ્યાપન કરવાનું થયું છે. ‘સ્વાધ્યાયલોક’નાં લખાણોમાં પૂર્વ અને પશ્ચિમના પ્રાચીન અને અર્વાચીન અનેક વિવેચકોનાં વિવેચનો અને વિચારોનો પ્રભાવ છે. આ લખાણોમાં એમનાં નામનો ઉલ્લેખ થયો છે અને એમનાં વિચારો-વિધાનો અવતરણચિહ્નોમાં રજૂ થયાં છે. કોઈ વિવેચકોનું વિવેચન અને એમના વિચારો દીર્ઘ સમય લગી અતિપ્રિય અને અતિપરિચિત હોય તો અંતે એ પરકીય અને ઉપાર્જિત છે એનું વિસ્મરણ થાય અથવા એ સ્વકીય અને ઉત્પાદિત છે એવો વિભ્રમ થાય, એથી શક્ય છે કે આ લખાણોમાં ક્યાંક ક્યારેક કોઈ વિવેચકોનાં નામનો ઉલ્લેખ ન થયો હોય અને એમનાં વિચારો-વિધાનો અવતરણચિહ્નોમાં રજૂ ન થયાં હોય. એથી એ અનભિજ્ઞ અને અનીપ્સિત ગણાશે એવી આશા છે. આ સૌ નામી-અનામી વિવેચકોનો અહીં એકસાથે કૃતજ્ઞતાપૂર્વક ઋણસ્વીકાર કરું છું.
મારા મિત્ર અને મારાં લખાણોના માર્ગદર્શક ભાઈશ્રી ચિમનલાલ ત્રિવેદીએ આ લખાણો આટલા લાંબા સમય લગી અગ્રંથસ્થ રહ્યાં એમાં મારી ઉપેક્ષા અને ઉદાસીનતા વિશે મને સભાન કરવાનું નૈતિક સાહસ ન કર્યું હોત અને આપણા એક અગ્રણી અને અનુભવી પ્રકાશક ભાઈશ્રી મનુભાઈ શાહે આટઆટલાં લખાણોનું એક સાથે પ્રકાશન કરવાનું આર્થિક સાહસ ન કર્યું હોત તો કોણ જાણે હજુ કેટલાય સમય લગી આ લખાણો અગ્રંથસ્થ રહ્યાં હોત! એમનો હૃદયથી આભાર માનું છું. ‘સ્વાધ્યાયલોક’ એ વિવેકશૂન્ય દુ:સાહસ નથી એવું જો વાચકો માનશે તો હું એને મારું સદ્ભાગ્ય માનીશ.
{{Right | ૧૦ ડિસેમ્બર ૧૯૯૫ }} <br>
{{Right | '''નિરંજન ભગત''' }} <br>
{{Poem2Close}}
<hr>
<hr>
<br>
<br>
Line 109: Line 92:
<br>
<br>
<br>
<br>
<center>  
<center>'''કમલ ચરણે'''</center>
કવિનું હોવું અને કાવ્યનું થવું એ મનુષ્યજાતિનું સદ્ભાગ્ય છે અને માનવજીવનની સંજીવની છે.
 
</center>
 
{{block center|'''<poem>સદા ધ્યાતો ધ્યાતો વદન તવ પૃથ્વી-પટ ફરું,
અને નિત્યે તારાં સ્મિતકુસુમ સૌને મુખ ધરું,
મને તેં દીધું તે જગ સકલને અર્પણ કરું,
ધરાનું તર્પેલું હૃદય લઈ તારે પદ ધરું.</poem>'''}}
 
<br>
<br>
<br>
<br>
<hr>
<br>
<br>
<br>
{{Heading|નિવેદન|}}
<center>'''(સંવર્ધિત આવૃત્તિનું)'''</center>
{{Poem2Open}}
‘યાત્રા' મારો ત્રીજો મુખ્ય કાવ્યસંગ્રહ. ‘કાવ્યમંગલા’ અને ‘વસુધા’ તે પહેલાંના તેના જેવા જ કાવ્યસંગ્રહો છે. ‘કડવી વાણી’ હળવાં કાવ્યોનો અને ‘રંગરંગ વાદળિયાં’ બાળકાવ્યોનો સંગ્રહ છે. ‘કાવ્યમંગલા’ ૧૯૩૩માં પ્રથમ પ્રગટ થયો, ‘કડવી વાણી’ એની સહેજ પહેલાં અષાઢ ૧૯૮૯ (૧૯૩૩)માં પ્રસિદ્ધ થયો, ‘કાવ્યમંગલા’ તરત શ્રાવણમાં જન્માષ્ટમીએ થયો. ‘વસુધા’ સંગ્રહ ૧૯૯૫ના આસોમાં (૧૯૩૯માં) છ વર્ષ પછી અપાયો. ‘રંગ રંગ વાદળિયાં’ એની પહેલાં ૧૯૩૯ના જૂનમાં અપાઈ ગયેલો. ‘યાત્રા’ તે પછી બાર વર્ષે ૧૯૫૧નાં જુલાઈ માસમાં અપાયો. તેનું પુનર્મુદ્રણ, નવ વર્ષ પછી ૧૯૬૦માં થયું. તે પછીનાં મુદ્રણો ૧૯૬૦, ૧૯૬૩માં થતાં રહ્યાં. આ છેલ્લું મુદ્રણ હવે પુનર્મુદ્રણ ન રહેતાં સંવર્ધિત આવૃત્તિરૂપે આવે છે.
‘યાત્રા’ની પ્રથમ આવૃત્તિ ૧૯૫૧માં, આ છેલ્લી ૩૪ વર્ષ પછી. વર્ષો કેવાં તો સ્વસ્થ ગતિએ ખડકાતાં જાય છે ! કાવ્યસંગ્રહનું વેચાણ, તેની નવી આ વૃત્તિઓને વર્ષો સાથે જાણે કંઈ સંબંધ નથી. એ જ પાઠ્યપુસ્તક બને તો પ્રકાશક એકદમ તેને ફરી છાપી લે છે. આ વીતેલાં વર્ષો સમતલ રીતે વહેતાં હતાં–અને આ આવૃત્તિ સમયે કંઈક થયું. મેં જોયું, સ્મરણમાં આવ્યું, આ સંગ્રહની હૃદય ધબકાર જેવા દીર્ઘકાવ્ય ‘મનુજ–પ્રણય’ (૪૫<small>૧/૨</small> કડી, ૧૮૨ પંક્તિ)નું મૂળ રૂપ તે હજી બરાબર અકબંધ વિસ્મૃતિના ભંડારમાં દટાઈને પડેલું છે. ઘણાં મહત્ત્વાકાંક્ષી ભાવથી તેને ૧૦૫ કડીમાં લખેલું. સંગ્રહ વખતે તેને વધુ ભાવક્ષમ બનાવવા ટૂંકાવેલું. પણ જે મૂળ હતું તેની ભાવસમૃદ્ધિ પણ ઘણી સભર હતી. થયું, આ આવૃત્તિમાં તેને પૂર્તિરૂપે મૂકીએ. એની તૈયારી કર્યા પછી જણાઈ આવ્યું કે આ જ કાવ્યના ઊર્ધ્વક્રમણ જેવું આ સંગ્રહમાંનું ‘આ ધ્રુવપદ’ (૩૬ કડી) પણ એના જેવી સ્થિતિમાં છે, તેનું પણ મૂળ બૃહત્સ્વરૂપ છે, ૮૯ કડીનું, અને તે પણ ન્યાય માગી લે છે. એટલે પૂર્તિમાં આ બંને સુદીર્ઘ રચનાઓ મૂકી છે અને એની પાછળ તો આગળ પાછળ કહેવા મૂકવા જેવી ઘણી બાબતો નીકળી આવી. એણે સારી એવી જહેમત કરાવી, અને છેવટે એ સામગ્રી આ સંગ્રહની આ આવૃત્તિમાં દળદાર વધારો કરતી, આંતરિક પુષ્ટિરૂપે આવે છે. એ બંને કાવ્યોનું ખાસ મહત્ત્વ તો અભ્યાસીઓને માટે છે. એટલે એ બંને કાવ્યોને તેમના નવા અને પૂર્વ સ્વરૂપમાં વાંચી કરી તેનો તેઓ યોગ્ય લાભ ઉઠાવશે.
‘કાવ્યમંગલા’ સંગ્રહ ૧૯૩૩માં પ્રસિદ્ધ થયો. બીજે જ વર્ષે ૧૯૩૪માં તેને ગુજરાતના સાહિત્ય-સાંસ્કૃતિક જીવનની યશગાથા જેવો રણજિતરામ સુવર્ણ ચંદ્રક અપાયો. ૧૯૫૧માં પ્રસિદ્ધ થયેલા ‘યાત્રા’ સંગ્રહને ૧૯૫૫માં (૨૦ જૂન, સોમ) નર્મદ સુવર્ણચંદ્રક અપાયો. આપણા સાંસ્કારિક જીવન અંગેનું આ પણ એક મૂલ્યવાન યશોગાન બની રહેલું છે. બે સંગ્રહોની વચ્ચેનો ‘વસુધા’ તો આપોઆપ જ તેની પૃથ્વીમૈયાની સભરતાને લીધે લોકોના હૃદયમાં વસી ગયો છે. નર્મદ સુવર્ણચંદ્રક, કદાચ તેના પ્રગટ થયા પછી ઘણા વખતે ગોઠવાયો હશે.
‘યાત્રા’ અંગે, નવ વર્ષ પછી તેની બીજી આવૃત્તિ વખતે બેત્રણ નોંધપાત્ર ફેરફારો થયા. આર. આર. શેઠના મૂળ પુરુષ શ્રી ભુરાલાલ પ્રભુશરણમાં પહોંચ્યા હતા, ૧૯૫૯માં. એમના સુપુત્ર કહેવાય તેવા, તેમને જીવનમાં મળેલા એકના એક સંતાન એવા ભગતભાઈ. પિતાની પેઢીમાં ગોઠવાઈ ગયા. તે કલ્પનાશીલ પણ હતા. તેમણે પોતાનાં પ્રકાશનોને ચમકાવવા માંડ્યાં, નવા વિચારો વહેતા મૂકવા માંડ્યા. ‘યાત્રા’ની બીજી આવૃત્તિ (૧૯૬૦) વખતે તેમના પિતાશ્રીએ ગોઠવેલી ‘અર્વાચીન કાવ્ય ગ્રંથાવલિ’ને પૂરું વ્યવસ્થિત રૂપ આપી ‘યાત્રા’ ને તેના પ્રથમ પુસ્તક તરીકે મૂક્યું. આ પ્રખર પુસ્તક-પ્રકાશક આમ તો બીજી પણ અનેક પુસ્તકોની ગ્રંથાવલિઓ-‘વિરાટ ગ્રંથાવલિ’, ‘સંસ્કાર ગ્રંથાવલિ’ ઘણાં વર્ષોથી ચલાવતા રહ્યા છે. આ કાવ્યગ્રંથાવલિ પણ આગળ વધતી રહી છે. અગત્યનાં કારણોસર ભુરાલાલે કાવ્ય સંગ્રહનું કદ નાનું, ક્રાઉન સાઇઝનું કરી લીધેલું. ભગતભાઈ હવે કાવ્યસંગ્રહોને તેમના મૂળ ગૌરવપૂર્ણ ડેમી કદમાં લઈ જવા લાગ્યા છે. તે મુજબ ‘યાત્રા’ની આ સંવર્ધિત આવૃત્તિ તેના મૂળ રૂપ-રંગમાં વધુ પૃષ્ઠ–હૃષ્ટ થઈને આવે છે. જોકે રંગની બાબતમાં થોડો પ્રયોગ કરવાનું મન રહે છે. પ્રથમ આવૃત્તિમાં ‘યાત્રા’ના પૂંઠાનો રંગ લીલો અને પીળો હતો. પૃથ્વીની જમીનને લીલી ચીતરી ચિત્રકારે આકાશને પીળા-સૂર્યના સૌમ્ય ઉષ:કાલીન રંગમાં મૂકી આપ્યું હતું. બીજી આવૃત્તિ વખતે આ આકાશ લાલઘૂમ થઈને આવ્યું. ત્રીજી-ચોથીમાં પાછું તે પીળું થયું. આ વખતે તેને વાદળી રંગમાં મૂકી જઈએ છીએ.
પૂંઠા પરના ચિત્ર અંગે પણ એક નોંધવા જેવી, સ્મરણમાં રાખવા જેવી વસ્તુ બનેલી છે. એ ચિત્ર તૈયાર કરીને ચિત્રકાર શ્રી કૃષ્ણલાલ તેને શ્રી માતાજી પાસે આશીર્વાદ માટે લઈ ગયેલા. ચિત્રમાં યાત્રાનો માર્ગ ચિત્રકારે ઠીકઠીક આડોઅવળો બતાવેલો છે. તે જોઈ શ્રી માતાજી બોલેલાં : ‘રસ્તો તદ્દન સીધો જ કેમ ના હોય!’
તો આપણી ગૂર્જર કાવ્ય-સરિતા આમ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે દિવ્ય સરસ્વતીની દૃષ્ટિ હેઠળ પોતાનો અનોખો પંથ કાપતી આગળ વધી રહી છે.
જય સચ્ચિદાનંદ.
{{સ-મ|૨૩-૯-૮૫<br>પોંડિચેરી||'''સુન્દરમ્'''}}<br>
{{Poem2Close}}
<br>
<hr>
{{Heading|કૃતિ-પરિચય}}
{{Poem2Open}}
'''યાત્રા (૧૯૫૧)''' : સુન્દરમ્ નો ગીતો, સૉનેટો, દીર્ઘ ચિંતનકાવ્યો અને પરંપરિત હરિગીત, ઝુલણા કે કટાવની રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ. યુગધર્મ પછી સ્વધર્મે વળેલી સુન્દરમ્ ની કવિતા અહીં આત્મધર્મ તરફ અધ્યાત્મમાર્ગે ફંટાયેલી છે. અહીં ગાંધીવાદી-સમાજવાદી વિચારણાનું શ્રી અરવિંદના પ્રભાવ હેઠળ ઉત્ક્રાંતિશીલ ઊધ્વર્વજીવનની ઝંખનામાં ઉપશમન થયું છે. ‘યાત્રા’નો યાત્રી ઊર્ધ્વસૃષ્ટિને ઝંખતો સંનિષ્ઠ, સત્યશોધક છે, પરંતુ એની શ્રદ્ધા કવિતા પર્યંત પહોંચવામાં ઊણી ઊતરતી હોવાની પ્રતીતિ રહે છે. તેમ છતાં અહીં ‘રાઘવનું હૃદય’, ‘નિશા ચૈત્રની’, ‘આ ધ્રુવપદ’, ‘ગુલબાસની સોડમાં’ વગેરે પ્રતિભાપૂર્ણ રચનાઓ છે. ‘ઉજ્જડ બગીચામાં’, ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’, ‘અનુ દીકરી’માં સામાન્ય અનુભવોની અસામાન્ય રજૂઆત કાવ્યોને રોચક બનાવે છે. એમાંય ‘અનુ દીકરી’માં મૃતદીકરી પ્રત્યેના વાત્સલ્યની તીક્ષ્ણ પરિણતિ અવિસ્મરણીય રીતે કરુણ છે. વ્યક્તિકાવ્યોમાં ‘શ્વેતકેશી પિતર’ અને ‘અહો ગાંધી’ નોંધપાત્ર છે. ભિન્ન ભિન્ન રાગોને સ્પર્શતી સૉનેટમાલામાં રાગોના વ્યક્તિત્વને સ્ફૂટ કરવાની કવિની નેમ છે. અહીં ‘ઢૂંઢ ઢૂંઢ’ અને ‘મેરિ પિયા’ વ્રજભાષામાં રચાયેલી મધુર ગીતરચનાઓ છે.
{{સ-મ|||'''—ચંદ્રકાન્ત ટોપીવાળા'''<br>[http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Sundaram.html ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’પરથી સાભાર]}}
{{Poem2Close}}
<br>
<br>
<hr>
<hr>
{{Heading|સર્જક-પરિચય}}
[[File:Sundaram.jpg|frameless|center]]<br>
{{Poem2Open}}
'''સુન્દરમ્ [જ. 22 માર્ચ 1908, મિયાં માતર, જિ. ભરૂચ; અ. 13 જાન્યુઆરી 1991, પુદુચેરી (પોંડિચેરી)]''' : ગુજરાતી સાહિત્યના પ્રમુખ કવિ, વાર્તાકાર, પ્રવાસલેખક, વિવેચક અને અનુવાદક. જન્મનામ ત્રિભુવનદાસ. પિતાનું નામ પુરુષોત્તમદાસ કેશવરામ લુહાર. માતાનું નામ ઊજમબહેન. શરૂઆતમાં કવિ તરીકે ‘મરીચિ’ ઉપનામ; પછી ‘કોયા ભગત’. વાર્તાકાર તરીકે ‘ત્રિશૂળ’ ઉપનામ. આમોદ તાલુકાના મિયાં માતર એમનું વતન. ત્યાં જ ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ. પછી આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી અને એક વર્ષ ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ.
ઈ. સ. 1917માં મંગળાબહેન (અ. 2 સપ્ટેમ્બર 1969) સાથે લગ્ન. 1937માં પુત્રી સુધાનો જન્મ. 1925-1927 દરમિયાન ભરૂચમાંથી ‘વિનીત’ થઈ, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં આવ્યા. વિદ્યાપીઠના દ્વૈમાસિક ‘સાબરમતી’માંના ઉત્તમ લેખ માટે તેમને ‘તારાગૌરી ચંદ્રક’ પ્રાપ્ત થયો. 1926થી કાવ્યલેખનનો પ્રારંભ. ‘એકાંશ દે’ એ પ્રથમ કાવ્ય આ ‘સાબરમતી’ સામયિકમાં ‘મરીચિ’ ઉપનામથી પ્રગટ થયેલું. 1928-1929માં ‘સાબરમતી’માં ‘બારડોલીને’ – એ કાવ્ય ‘સુન્દરમ્’ના નામથી પ્રસિદ્ધ થયું. ત્યારબાદ ‘સાબરમતી’ના તંત્રી તરીકે કામગીરી શરૂ કરી. 1929માં સંસ્કૃત-અંગ્રેજી વિષય સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ’. 1935થી 1945 સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા ‘જ્યોતિસંઘ’માં કાર્યકર્તા. 1930થી ઉમાશંકર જોશી સાથેની મૈત્રીનો પ્રારંભ. ગાંધીયુગના આ બે પ્રમુખ કવિઓ મિત્ર બન્યા અને ‘સારસ્વત સહોદર’ તરીકે ઓળખાયા. દરમિયાન ગાંધીજી-પ્રેરિત સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. એ ભાવનાને વ્યક્ત કરતું ‘બુદ્ધનાં ચક્ષુ’ જેવું એમની કાવ્યદીક્ષારૂપ કાવ્યનું સર્જન થયું. 1933નું વર્ષ સુન્દરમ્ માટે મહત્વનું રહ્યું. એ વર્ષે તેમના બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા : ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’ તથા ‘કાવ્યમંગલા’. તે જ વર્ષના અંતિમ ગાળામાં તેઓ દક્ષિણ ભારતની યાત્રાએ ગયા. આ પ્રવાસે તેમના પર અનેક રીતે પ્રભાવ પાડ્યો, જેના ફળરૂપે 1941માં ગુજરાતી સાહિત્યનો એક મહત્વનો પ્રવાસગ્રંથ ‘દક્ષિણાયન’ પ્રાપ્ત થયો. આ પ્રવાસ દરમિયાન લીધેલ પુદુચેરી(પોંડિચેરી)ની મુલાકાતે અને શ્રી અરવિંદના પ્રભાવે તેમના ઉત્તર જીવનની દશા-દિશા બદલી નાંખ્યા. 1940માં પ્રથમ વાર, 1943માં બીજી વાર તેમને શ્રી અરવિંદનો દર્શનયોગ થયો. પરિણામે 1945થી સપરિવાર તેઓે શ્રી અરવિંદ આશ્રમ, પુદુચેરી ગયા અને આજીવન આશ્રમને સમર્પિત થઈ રહ્યા. 1945ની સાલ આમ એમના જીવન માટે અતિ મહત્વની બની રહી. 1947થી ‘દક્ષિણા’ના તંત્રી રહ્યા. શ્રી અરવિંદના પ્રભાવને લીધે એ પછીના તેમના કાવ્યસર્જનની ભૂમિકા બદલાતી રહી. કોયા ભગત વાસ્તવિક સમાજદર્શનના દર્શક ને કથક હતા. પુદુચેરી-નિવાસ પછી તેઓ એક સાધકની આધ્યાત્મિક ભૂમિકામાં પ્રવેશ્યા. આમ કવિ અને સાધકનો સુંદર સમન્વય થયો. સૌમ્ય અને સ્નેહાળ વ્યક્તિત્વ ધરાવતા સુન્દરમ્ આજીવન સાચા અર્થમાં ‘કવિ’ અને ‘સત્યશોધક’ રહ્યા હતા. 1983માં માતર પાસે વાત્રક તટે ૐપુરી નગરીનું ખાતમુહૂર્ત કરી ત્યાં તેમણે સાધકો માટેનું સાધનાધામ કર્યું. 1987માં ફ્રાન્સના પૅરિસમાં શ્રી અરવિંદ હાઉસમાં શ્રી માતાજી તથા શ્રી અરવિંદની છબીઓનું તેમણે અનાવરણ કરી ત્યાં યોગસાધનાનાં કેન્દ્રોને વધુ સક્રિય કર્યાં. ઉત્તરવયમાં એક સાધક તરીકે તેમની જીવનચર્યા ચાલી અને સાથે જ સર્જનકાર્ય પણ અનવરત ચાલતું રહ્યું. સમાજની, પ્રકૃતિની, પરમતત્વની અનેક ભાવછબીઓ તેમણે કાવ્યના શબ્દમાં ઝીલી બતાવી. એ રીતે સુન્દરમ્ આજીવન કાવ્ય અને અધ્યાત્મના સંનિષ્ઠ ઉપાસક રહ્યા.
ઈ. સ. 1933માં પ્રગટ થયેલ તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’માં સામાજિક વિષમતા અને શોષણનું વેધક વાસ્તવદર્શન છે. ગાંધીજીના આગમન સાથે ગુજરાતીમાં વિષયવસ્તુ અને અભિવ્યક્તિ સંદર્ભે જે પરિવર્તનો આવ્યાં તેનો ઉત્તમ ખ્યાલ સુન્દરમ્-ઉમાશંકરની કવિતા દ્વારા મળી રહે છે. એકદમ સાદી છતાં સૂક્ષ્મ સંવેદનાથી સભર, હૃદયંગમ રજૂઆત દ્વારા કવિએ સમાજના છેવાડાના માણસની વાત કરી છે. ગાંધીવિચારધારાથી પ્રભાવિત આ કવિ સમાજસુધારાની વાત કરે છે તો સાથે સૌંદર્યતત્વની પ્રતિષ્ઠા પણ કરે છે. કોયા ભગત પાત્રના મુખે પરંપરાગત ભજનશૈલીનો ઉપયોગ કરીને કવિએ પોતાની ભાવસૃષ્ટિને નવા પરિમાણમાં રજૂ કરી છે. ‘ભંગડી’ કે ‘ત્રણ પડોશી’ જેવી કૃતિઓ આ સંદર્ભમાં સ્મરણીય છે. ‘ઊઠો રે’ જેવાં કાવ્યોમાં રાષ્ટ્રીય ભાવસંદર્ભનું ઓજસ્વી આલેખન છે.
એ જ વર્ષે પ્રગટ થયેલ એમના બીજા કાવ્યસંગ્રહ ‘કાવ્યમંગલા’માં કવિની અભિવ્યક્તિની રીતિ બદલાયેલી જોવા મળે છે. એમાં છંદોબદ્ધ કાવ્યો, મુક્તકો, સૉનેટો અને ગીતોનું નોંધપાત્ર પ્રમાણ છે. તેમાં ગાંધીવિચાર અને સમાજવાદી વિચારધારાના સમન્વય દ્વારા કવિ માનવતાના વિકાસની ભૂમિકા પ્રતિ વળે છે. અહીંનાં કાવ્યોમાં દીનદલિતપીડિતો પ્રત્યેની અનુકંપા સાથે સ્વદેશપ્રીતિની ભાવના પણ વ્યક્ત થઈ છે. ‘બુદ્ધનાં ચક્ષુ’, ‘ત્રિમૂર્તિ’ જેવાં કાવ્યો અહીં છે. ઉમાશંકરે જો ‘વિશ્વમાનવી’ની વાત કરી છે તો આ કવિએ ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ – એ રીતે માનવીય અસ્મિતાની વાત કરી. આમ બંને સર્જકો પરસ્પરના પૂરક બનીને સર્જનક્ષેત્રે વિકસતા જણાય છે. અહીંનાં મોટાભાગનાં કાવ્યોમાં, કવિનો પ્રેમ અને કરુણાપ્રેરિત માનવતાવાદી અભિગમ જોવા મળે છે. વળી તેમની આધ્યાત્મિક ખોજનો સંકેત ‘ધ્રુવપદ ક્યહીં ?’ દ્વારા મળે છે.
સુન્દરમ્ જેમ 1933માં તેમ 1939માં પણ બે કાવ્યસંગ્રહો આપે છે, જેમાંનો એક ‘વસુધા’ અને બીજો ‘રંગ રંગ વાદળિયાં’. ‘વસુધા’માં કવિની સર્જકતાનો આહલાદક ઉઘાડ જોવા મળે છે. તેમાં કવિની વાસ્તવદર્શનની ખૂબીઓ ‘13-7ની લોકલ’માં સરસ રીતે ચિત્રાંકિત થઈ છે. ‘ઈંટાળા’માં ઈંટાળાના પ્રતીકથી સમાજવ્યવસ્થામાં બાધારૂપ થનારા લોકોની ચિંતા વ્યક્ત થઈ છે. ‘ફૂટપાથ અને તળાઈ’ વચ્ચેનું અંતર આ કવિને વ્યથિત કરે છે. કવિની માનવ તરીકેની ઊર્ધ્વીકરણની ભાવના જ અસુન્દરને ચાહીને સુન્દર બનાવવાના એમના અભિગમમાં પ્રગટ થાય છે. ‘કોણ ?’, ‘એક સવારે’ જેવી રચનાઓે કવિનું અગોચર તત્વ પ્રતિનું આકર્ષણ પ્રગટ કરે છે. કવિ પથ્થરની મૂર્તિને નહિ, પણ મૂર્તિમાં પ્રતીત થતા શ્રદ્ધાના આસનને નમવાનું પસંદ કરે છે. ‘પુલના થાંભલાઓ’, ‘દ્રૌપદી’ જેવી દીર્ઘ કાવ્યરચનાઓ પણ ઉલ્લેખનીય છે. બીજી બાજુ પ્રણયની તીવ્ર અભીપ્સા અને અનુભૂતિ વ્યક્ત કરતી કવિતા, મુક્તકો, સૉનેટો, ગીતો અને અન્ય અનેક છંદોબદ્ધ સ્વરૂપોમાં મળે છે. સમાજના સંદર્ભમાં તે ‘ઘણ ઉઠાવ’ની વાત કરે છે અને ‘બક્ષિસ’ જેવી રચનામાં કલાકારની કલા પરત્વેની સમર્પિતતા અને આનંદસમાધિ વ્યક્ત થાય છે. ‘રંગ રંગ વાદળિયાં’ તેમનો લોકપ્રિય બાલકાવ્યસંગ્રહ છે. આ સંગ્રહ તેમને ગુજરાતી બાલકવિતાના અગ્રણી કવિ ઠેરવે છે. ‘રંગ રંગ વાદળિયાં’ પછી તેમના અનેક કાવ્યસંગ્રહોમાં સંગ્રહાયેલાં બાલકાવ્યો તથા અમુદ્રિત બાલકાવ્યો ‘સુન્દરમની સમગ્ર બાલકવિતા’ (ભાગ 1-5) (ઈ. સ. 2005/2007)માં મળે છે. બાળકોને આસ્વાદ્ય એવી ઘણી બધી ભાવસામગ્રી એમાં અવનવી રીતે રજૂ થઈ છે. આ કાવ્યોમાં અંકશિક્ષણ ને અક્ષરશિક્ષણથી માંડીને બાળલીલા, પ્રકૃતિલીલા સાથેના વિવિધ સંબંધોને બાલભોગ્ય રીતે રજૂ કરતાં જોડકણાંથી માંડીને પ્રાર્થનાકાવ્યો સુધીનાં વિવિધ સ્વરૂપોવાળી નાનીમોટી લગભગ ચારસો ઉપરાંત કાવ્યરચનાઓ મળે છે. શ્રી અરવિંદ શ્રી માતાજીને અનુલક્ષતી, નાનાં-મોટાં સૌને આસ્વાદવી ગમે તેવી કવિતા પણ સુન્દરમનું એક ગણનાપાત્ર અર્પણ છે.
સુન્દરમ્ 1945માં પુદુચેરી (પોંડિચેરી) કાયમી નિવાસ અર્થે ગયા. આનો ગાઢ પ્રભાવ તેમના ‘યાત્રા’ (1951) સંગ્રહ પર જોવા મળે છે. ધ્રુવપદની શોધ કરતા આ કવિને અહીં ધ્રુવપદ મળે છે. ‘મેરે પિયા મૈં કછુ નહીં જાનૂં, મૈં તો ચુપ ચુપ ચાહ રહી’ની ભાવભક્તિની સર્વોચ્ચ ભૂમિકાએ કવિ પહોંચે છે. સુન્દરમની કવિતામાં મુખ્ય બે પાસાં જોઈ શકાય છે : એક, સમાજની વાસ્તવિકતાના અવલોકન-આલેખનવાળું અને બીજું, શ્રી અરવિંદવિચાર-પ્રેરિત પરમતત્વ તરફની ગતિ દાખવતી આધ્યાત્મિક ભૂમિકાના અનુભવદર્શનવાળું. આ સંગ્રહમાં આધ્યાત્મિકતાનો અંશ માતબર માત્રામાં છે. કોયા ભગતના નિમિત્તે જે કવિએ ઈશ્વરને જતાં રહેવાનું કહેલું તે કવિને અહીં શ્રી અરવિંદ માતાજીના મધુમય કોમળ ચરણોમાં ધ્રુવપદ લાધે છે અને સમર્પિત-ભાવે શાંતિનો અનુભવ કરે છે. વાસ્તવસૃષ્ટિમાંથી કવિ ઉત્ક્રાન્તિ પામી આધ્યાત્મિક ભાવસૃષ્ટિમાં સ્થિર થાય છે. હવે – એ અધ્યાત્મસૃષ્ટિ જ એમની વાસ્તવસૃષ્ટિ બને છે અને વ્યક્તિ, જીવન અને જગતને જોવાની તેમની દૃષ્ટિમાં આવેલા પરિવર્તનની પણ પ્રતીતિ થાય છે. ‘નહિ છૂપે’ – જેવી એક પંક્તિની રચના છે તો ઘણી દીર્ઘરચનાઓ પણ છે. (જેમકે, ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’.) ભાવ-ભાષાના અનેક સ્તરો અહીં પ્રાપ્ત થાય છે. ધર્માર્થ સ્ફુરતાં જેણે સીતાને ત્યજેલી તેવા ‘રાઘવનું હૃદય’ પોતાને મળે તેવી ઇચ્છા ધરાવતા આ કવિની ‘એક જ રટના’ છે, પરમતત્વ પોતાનામાં એનું ધામ રચી રહે. વળી એમનાં કાવ્યસ્વરૂપોનું ને કાવ્યગ્રંથોનું વૈવિધ્ય પણ ધ્યાનપાત્ર છે : ‘વરદા’ (1990, 1998 બીજી આ.), ‘મુદિતા’ (1996), ‘ઉત્કંઠા’ (1992), ‘અનાગતા’ (1993), ‘લોકલીલા’ (1995, 2000 બીજી આ.), ‘ઈશ’ (1995), ‘પલ્લવિતા’ (1995), ‘મહાનદ’ (1995), ‘પ્રભુપદ’ (1997), ‘અગમનિગમા’ (1997), ‘પ્રિયાંકા’ (1997), ‘નિત્યશ્લોક’ (1997), ‘નયા પૈસા’ (1998), ‘ચક્રદૂત’ (1999), ‘દક્ષિણા’ (ભાગ 1-2, 2002), ‘મનની મર્મર’ (2003), ‘ધ્રુવયાત્રા’ (2003), ‘ધ્રુવચિત્ત’ (2004), ‘ધ્રુવપદે’ (2004) શ્રી માતાજીના સાન્નિધ્યમાં ભાગ : 1, 2 અને 3 (2005, 2006), ‘મંગળા-માંગલિકા’ (2007) વગેરે તેમના અન્ય કાવ્યસંગ્રહો છે. આમાં કવિની અડધી સદીની કાવ્યરચનાઓ પ્રાપ્ત થાય છે. ‘પુષ્પ થૈ આવીશ’, ‘કિસ સે પ્યાર’, ‘પ્રભુ દેજો’, ‘મુખ મોહન’, ‘રામ પ્યાલા’, ‘તું’, ‘હરિનાં હાટ’, ‘એક અચંબો’ – જેવી અનેક કૃતિઓમાં પ્રભુ-પ્રેમ, પ્રભુની સર્વવ્યાપકતા, પ્રભુપ્રાપ્તિનો આનંદ – આદિ વ્યક્ત થયાં છે. તો વ્યક્તિલક્ષી એટલે કે ગાંધીજી, શ્રી અરવિંદ, શ્રી માતાજી-વિષયક અને વતનપ્રેમની રચનાઓ પણ અનેક મળે છે. અનેક કાવ્યોમાં કવિની મનુષ્ય અને ભક્ત તરીકેની ખુમારી વ્યક્ત થઈ છે. તેઓ ‘કણ રે આપો’ કહે છે, વધુ માંગતા નથી. તેઓ પરમાત્માના બ્રહ્માંડમાંથી માત્ર એક નાના આંગણા જેટલી જગા જ વાંછે છે. તેમની કવિતામાં તેમની ધરાપ્રીતિ, જીવનપ્રીતિ, મનુષ્યપ્રીતિ સાથે જ આધ્યાત્મિકતાની અભીપ્સા અને અનુભૂતિ વ્યક્ત થઈ છે. એક ગરવા અને નરવા કવિમાં અપેક્ષિત સર્જનગત સચ્ચાઈ, સાત્વિકતા, સજાગતા, સર્જનાત્મક સ્ફૂર્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા એમનામાં છે. તેમની કવિતામાં પ્રણયની મસ્તી છે, વેદના છે, ભક્તિની ભીનાશ છે, વાસ્તવની વિષમતાનું દર્દ છે અને ઊર્ધ્વગતિ માટેની મથામણ અને ભાવનાનાં ઉડ્ડયનો છે. કવિની કાવ્યયાત્રા ગુજરાતના નાનકડા ગામમાંથી શરૂ થઈ, ગૂજરાત વિદ્યાપીઠના સંસ્કારથી પુષ્ટ થઈ, પુદુચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સત્વશીલ અને સમૃદ્ધ બની સમગ્ર ગુજરાતી કવિતાને ને ભાષાને રળિયાત કરે છે. ‘શ્રી માતાજીના સાન્નિધ્યમાં’ [પુસ્તક 1-2(2005)-3(2007)]માં તેમના સાધક વ્યક્તિત્વનો સુપેરે પરિચય કરાવતી કાવ્યરચનાઓ છે. લૌકિકતામાંથી કવિની લોકોત્તરતા તરફની પ્ર-ગતિ સૌને સ્પર્શે પ્રેરે તે રીતે વ્યક્ત થઈ છે. પ્રારંભમાં કોયા ભગતના નિમિત્તે કટાક્ષ કરતા આ કવિ અંતે આધ્યાત્મિક સંવાદિતામાં પોતાની પરિણતિ સાધે છે. દેશની સ્વતંત્રતામાં ‘સાફલ્યટાણું’ માનતા આ કવિ ઉત્તરવયમાં આત્માની સ્વતંત્રતામાં ‘સાફલ્યટાણું’ માને છે. કવિની સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફની ગતિ એ રીતે રોમાંચક છે. શંકાનું સ્થાન શ્રદ્ધા લે છે. જીવનસંઘર્ષની વેદનાનું આધ્યાત્મિક સાધના દ્વારા સમાધાન અને શમન થાય છે. કવિની કવિતામાં વિષયવસ્તુ, ભાવ, ભાષા, છંદોલય વગેરેનું ભરપૂર વૈવિધ્ય છે. માત્રામેળ, અક્ષરમેળ અને સંખ્યામેળ આદિ વિવિધ પ્રકારના છંદો અને ઢાળો તેમણે સફળતાથી પ્રયોજી બતાવ્યા છે. મુક્તકથી માંડી દીર્ઘકાવ્યોકથા કાવ્યો સુધી તેમની સર્જકતાનો વ્યાપ રહ્યો છે. આમ કડવા અને આખાબોલા કોયા ભગતની; ‘ધ્રુવપદ’ના સાધક અને મૌનની વાણીના મર્મજ્ઞ કવિ-યોગીની યાત્રા એટલે સુન્દરમની તપોગિરિની આનંદમૂલક કાવ્યયાત્રા. સુન્દરમ્ એક ઉત્તમ ઊર્મિકવિ-ગીતકવિ અને બાલકાવ્યોના કવિ તરીકે સુપ્રતિષ્ઠિત છે.
ઉમાશંકર જોશીની જેમ સુન્દરમ્ સવ્યસાચી સર્જક છે. પદ્યની જેમ ગદ્યક્ષેત્રે પણ તેમનું પ્રદાન મૂલ્યવાન છે. તે એક સારા વાર્તાકાર અને વિવેચક છે. સુન્દરમની ટૂંકી વાર્તાઓ ગાંધીવિચાર અને પ્રગતિવાદની ભૂમિકા પર રચાઈ છે. 1938માં ‘હીરાકણી અને બીજી વાતો’નું ‘ત્રિશૂળ’ ઉપનામથી પ્રકાશન થયું. આ ઉપરાંત ‘ખોલકી અને નાગરિકા’ (1939), ‘પિયાસી’ (1940), ‘ઉન્નયન’ (1945), ‘તારિણી’ (1977), ‘હુતાશણી અને બીજી વાતો’ અને લઘુ નવલકથા ‘પાવકના પંથે’ (1977) – એ તેમના અન્ય વાર્તાસંગ્રહો છે. જેમ કવિ તેમ વાર્તાકાર તરીકે પણ સુન્દરમ્ ઉચ્ચ સર્જકતા દાખવે છે. સુન્દરમે ‘ગોપી’થી ‘હીરાકણી’ નામના એમના પહેલા વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ, 1931માં ‘લૂંટારા’ નામની વાર્તા તેમની પહેલી વાર્તા હતી. તેમની પાસેથી ઉપર્યુક્ત સંગ્રહ ઉપરાંત હજી કેટલીક અપ્રકટ વાર્તાઓ પણ છે. વાર્તાકલાનો કસબ તેમને સહજ છે છતાં તે સતત વાર્તાની અટપટી કલા વિશે સાશંક રહેલા છે. તેઓ સતત વિકસતા વાર્તાકાર છે. તેમની વાર્તાઓમાં પરંપરાનું અનુસંધાન છે તો ભાવસંવેદનાપ્રેરિત નૂતન પ્રયોગો કે અભિગમોનું નાવીન્ય પણ છે. વાસ્તવજીવનથી આરંભી આધ્યાત્મિક વાસ્તવિકતા સુધી તેઓ પહોંચે છે. તેમની સંવેદના અતિ-સૂક્ષ્મ છે, તેથી પાત્રના કે પ્રસંગના હાર્દ સુધી પહોંચી, પાત્રમાનસના અતિસૂક્ષ્મ સંચલનોને પ્રસંગ અને વાતાવરણસહિત સચોટ રીતે નિરૂપી શકે છે. પાત્રની સંકુલ મન:સ્થિતિનું પણ તેઓ તાદૃશ નિરૂપણ કરે છે. ગ્રામીણ હોય કે શહેરી, નારીજીવનના સ્તરોને તેઓ પ્રત્યક્ષ કરાવી શક્યા છે. માનવમનની કે માનવસંબંધોની સંકુલતાનું તેઓ રસપ્રદ આલેખન કરે છે. તેમની પાત્રસૃષ્ટિ પણ વિશાળ અને વૈવિધ્યસભર છે. ગરીબથી માંડી તવંગર, કામવાળીથી માંડી શેઠાણી, ગ્રામીણ નારીથી માંડી નાગરિકા કે વ્યવસાયવૈવિધ્યને વ્યક્ત કરતાં નાનાથી માંડી વૃદ્ધ સુધીનાં પાત્રોના મનોભાવો, પરિસ્થિતિઓ, પ્રસંગો કે સંવાદોનું ભાતીગળ ચિત્ર તેઓ રંગીન રીતે આંકી શક્યા છે. તેમની ‘પૂનમડી’, ‘ખોલકી’, ‘માને ખોળે’, ‘પની’, ‘નાગરિકા’, ‘માજાવેલાનું મૃત્યુ’, ‘પ્રસાદજીની બેચેની’ જેવી અનેક વાર્તાઓ ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓમાં સ્થાન પામી છે. તેમની આ વાર્તાઓમાં ‘મીન પિયાસી’ કે ‘ઊછરતાં છોરું’ અલગ ભાત પાડે છે. ‘તારિણી’ એક વિલક્ષણ ભાવસંબંધને વ્યક્ત કરતી વાર્તા છે. એમની વાર્તાઓમાં જાતીયજીવન – દાંપત્યજીવન – ગરીબાઈ છતાં ખાનદાની વગેરેનું કલાત્મક નિરૂપણ થયું છે. આ વાર્તાઓમાં તેમના ગદ્યસામર્થ્યનો પણ પરિચય થાય છે. તેમની વાર્તાઓમાં વાતાવરણ અને વર્ણનો એક વિશેષ રૂપે આવે છે. અલંકારો – કલ્પનાઓમાં તાજગી અનુભવાય છે. તેમની ઘણી વાર્તાઓના કથાનકો નાટ્યરૂપાંતર પામી શકે તેવી ક્ષમતાવાળાં છે. ટૂંકમાં, સુન્દરમ્ જેમ કવિ તરીકે તેમ વાર્તાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રભાવક રહ્યા છે.
જેમ સર્જકનું તેમ બીજું મહત્વનું પાસું સુન્દરમનું વિવેચક તરીકેનું છે. 1931ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની તેમણે બહુ તટસ્થતાપૂર્વક સમીક્ષા કરેલી. 1946માં તેમની પાસેથી ‘અર્વાચીન કવિતા’ નામે ગુજરાતી કવિતાની ઐતિહાસિક સમીક્ષાનો શ્રદ્ધેય ગ્રંથ મળે છે. સુન્દરમની ભાવયિત્રી પ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર અહીં જોવા મળે છે. તેમાં તેમણે નર્મદદલપતથી શરૂ કરી, નાના-મોટા મળી લગભગ 350 જેટલા કવિઓની કવિતાકળાનું મૂલ્યાંકન કર્યું છે અને અનેક નોંધપાત્ર મૌલિક અભિપ્રાયો આપ્યા છે. ‘અવલોકના’ (1965) તેમનો બીજો મહત્વનો વિવેચનસંગ્રહ છે. આમાં તેમણે કરેલાં ગ્રંથાવલોકનો સંગૃહીત થયાં છે. એમની અવલોકન માટેની પુસ્તકોની પસંદગીનો વ્યાપ વિસ્તૃત છે. આ અવલોકનો તેમની સૌંદર્યદૃષ્ટિ અને વિવેચનશક્તિનો પરિચય આપી રહે છે. 1978માં તેમની પાસેથી ‘સાહિત્યચિંતન’, ‘સમર્ચના’ અને ‘સા વિદ્યા’ – એ ત્રણ ગ્રંથો મળે છે. તેમાંથી ‘સાહિત્યચિંતન’માં સાહિત્ય અંગેના તેમના ચિંતનલેખો છે, તો ‘સમર્ચના’માં સાહિત્યિક વ્યક્તિઓના ચરિત્રને પ્રાધાન્ય આપતા લેખો છે. આ લેખોમાં દયારામ, દલપત, કલાપી આદિને તેમણે આપેલ અંજલિઓ છે, જે ઉષ્માસભર હોઈ આસ્વાદ્ય બની છે.
‘વાસંતી પૂર્ણિમા’ (1977) એ તેમનો નાટ્યસંગ્રહ છે. આમાંની મોટાભાગની રચનાઓ સ્ત્રીસંસ્થાઓ માટે લખાયેલ છે. એમાંનું ભાવવૈવિધ્ય ધ્યાનપાત્ર છે.
‘દક્ષિણાયન’ (1941) તેમના દક્ષિણ ભારતના પ્રવાસને વર્ણવતું પુસ્તક છે. તેમાં સ્થળ, સમાજ અને સંસ્કૃતિને લગતી વિપુલ માહિતી પણ તેઓ સાંકળતા ગયા છે. કેટલાક સુંદર વર્ણનાત્મક ગદ્યખંડોને લીધે આ પ્રવાસગ્રંથ ગુજરાતી પ્રવાસસાહિત્યમાં નોંધપાત્ર રહ્યો છે.
આ ઉપરાંત ‘ચિદંબરા’ (1968) એમનો વિવિધ લેખોનો સંગ્રહ છે. અહીં લેખકનું ચિંતન ધ્યાનપાત્ર છે. ‘શ્રી અરવિંદ મહાયોગી’ (1950) એ શ્રી અરવિંદનું નાનકડું પણ રસિક જીવનચરિત્ર છે.
અનુવાદક્ષેત્રે પણ સુન્દરમનું પ્રદાન નોંધપાત્ર છે. બોધાયનકૃત ‘ભગવદજ્જુકીયમ્’ (1940), શુદ્રકકૃત ‘મૃચ્છકટિક’ (1940), ‘સાવિત્રી’ (1956), ‘કાયાપલટ’ (1961), ‘પત્રાવલિ’ (1964), ‘સુંદર કથાઓ’ (1964), ‘જનતા અને જન’ (1965), ‘સ્વપ્ન અને છાયાઘડી’ (1967), ‘ઐસી હૈ જિન્દગી’ (1974) અને અન્ય તેમના અનુવાદો છે. ગોવિંદસ્વામીની રચનાઓનો કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’ (1948, અન્ય સાથે) એમનું સહસંપાદન છે.
વિશાળ સાહિત્યસર્જનની સાથે સાથે તેમણે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ સતત સક્રિયતા દાખવી છે. 1945થી તેઓ બુધસભા, મિજલસ, લેખકમિલન જેવી સંસ્થાઓના સંસ્થાપન-સંચાલનમાં કાર્યરત હતા. 1954માં ચિદમ્બરમ્ ખાતે પી.ઇ.એન. યોજિત ત્રીજી અખિલ ભારતીય લેખક પરિષદમાં તેમણે ભાગ લીધો હતો. 1987માં દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્ત થયેલા. 1967માં મુંબઈ યુનિવર્સિટીમાં ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’ અંતર્ગત; 1974માં વલ્લભવિદ્યાનગર ખાતે શ્રી અરવિંદ તત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા અંતર્ગત અને 1979માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., સૂરતમાં શ્રી અરવિંદ વિશે તેમણે વ્યાખ્યાનો આપેલાં.
1959માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના અને 1969માં જૂનાગઢમાં સમગ્ર ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. તેમને ‘કાવ્યમંગલા’ નિમિત્તે 1934માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1946માં ‘અર્વાચીન કવિતા’ માટે મહીડા પારિતોષિક, ‘યાત્રા’ માટે 1955માં નર્મદ સુવર્ણચંદ્રક મળેલો. 1969માં ‘અવલોકના’ માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મળેલું. તા. 16-3-1985ના રોજ તેમને ‘પદ્મભૂષણ’ ઍવૉર્ડ એનાયત થયેલો. તા. 2511990ના રોજ ગુજરાત સરકારે ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’ આપી તેમનું સન્માન કરેલું.
શિશુભોગ્ય શબ્દથી માંડી શબ્દબ્રહ્મના સાક્ષાત્કાર સુધી તેમની શબ્દલીલા વિસ્તરેલી છે. અનેક વિચારધારાઓને સાંકળતી તેમની કલમ અને તેમનું ચિત્ત છેવટે શ્રી અરવિંદ અને શ્રી માતાજીના ચરણે ઠરે છે તથા સર્વત્ર શિવમ્ અને સુન્દરમ્નું દર્શન પામે છે. સર્જક સુન્દરમ્ જેમ જેમ સાધક સુન્દરમ્ બનતા જાય છે તેમ તેમ તેઓ વધુ ને વધુ ઊંડા ઊતરીને પણ ઊંચે ઊઠતા જાય છે. સુન્દરમની સર્જક-પ્રતિભા અનેક સ્તરે સક્રિય રહી છે. ગાંધીયુગના જ નહિ, સમગ્ર ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પંક્તિના, મોટા ગજાના કવિ, વાર્તાકાર અને વિવેચક તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે.
{{સ-મ|||—'''શ્રદ્ધા ત્રિવેદી'''<br>[https://gujarativishwakosh.org/સુન્દરમ્/ ‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર]}}<br>
{{Poem2Close}}<br>
{{HeaderNav2
|next = તવ ચરણે
}}

Latest revision as of 11:42, 9 July 2023


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.



અર્વાચીન કાવ્ય ગ્રંથાવલિ પુસ્તક ૧




યાત્રા




સુન્દરમ્







સુન્દરમ્‌નાં પુસ્તકો



[પહેલી આવૃત્તિ]

કવિતા : કડવી વાણી (૧૯૩૩), કાવ્યમંગલા (૧૯૩૩), રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) (૧૯૩૯), વસુધા (૧૯૩૯), યાત્રા (૧૯૫૧) વાર્તાઓ : હીરાકણી (૧૯૩૮), પિયાસી (૧૯૪૦), ઉન્નયન (૧૯૪૫), તારિણી (૧૯૭૭), પાવકના પંથે (૧૯૭૭) નાટકો : વાસંતી પૂર્ણિમા (૧૯૭૭) અનુવાદો : મૃછકટિક (સંસ્કૃત) (૧૯૪૪), કાયાપલટ ૧૯૬૧, જનતા અને જન ૧૯૬૫, ઐસી હૈ જિન્દગી ૧૯૭૪ (ત્રણે જર્મન-અંગ્રેજી) ચિંતનાત્મક ગદ્ય : દક્ષિણાયન (પ્રવાસ) (૧૯૪૧), અર્વાચીન કવિતા (વિવેચન) (૧૯૪૬), શ્રી અરવિંદ મહાયોગી (યોગ) (૧૯૫૦), અવલોકના (વિવેચન) (૧૯૬પ), ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણ) (૧૯૬૮), (વિચારસંપુટ : ત્રણ ગ્રંથો (૧૯૭૮), સાહિત્યચિંતન (સાહિત્યવિષયક અધ્યયન), સમર્ચના (ચારિત્ર્યપ્રધાન લેખો), सा विद्या (તત્વચિંતન), * તપોવન (સુન્દરમ્ વિષે અધ્યયન ગ્રંથ : સં. સુરેશ દલાલ) (૧૯૬૯)






‘વસુધા’નો અનુગામી કાવ્યસંગ્રહ
યાત્રા
સુંદરમ્





મને અંગે અંગે, અણુ અણુ મહીં કો પરસતું
ગયું, એવા શૈત્યે ઝરમર રસો કો વરસતું
રહ્યું, એવા જેવા મનુજજગમાં ક્યાં ય ન વસ્યા!
વસ્યા એ મીઠેરા રસ અમિત જ્યાં અમૃતરસ્યા,
ત્યહીં મારાં હાવાં ચરણ વળતાં તૃપ્ત-તરસ્યાં.







આર. આર. શેઠની કું. મુંબઈ-ર * પ્રિન્સેસ સ્ટ્રીટ • ઈ.સ.૧૯૮૫





SUNDARAM
YATRA, Poetry
R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1985
891-471


© સુન્દરમ્
આ સંગ્રહમાંનાં કાવ્યોનો કોઈ પણ પ્રકારે ઉપયોગ
કરવા પહેલાંકર્તાની સંમતિ મેળવવી જરૂરી છે.


મૂલ્ય રૂ. ૪૦-૦૦


પહેલી આવૃત્તિ : અષાઢ ૨૦૦૭ (૧૯૫૧),
પુનર્મુદ્રણ ૯ અષાઢ ૨૦૧૬ (૧૯૬૦)


પુનર્મુદ્રણ : અષાઢ ૨૦૧૯ (૧૯૬૩),
સંવર્ધિત આવૃત્તિ : આસો ૨૦૪૧ (૧૯૮૫)


પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦ ૦૦૨ * અમદાવાદ ૩૮૦ ૦૦૧


મુદ્રક
જુગલદાસ સી. મહેતા, પ્રવીણ પ્રિન્ટરી સ્ટેશન રોડ,
ભગતવાડી, સોનગઢ ૩૬૪૨પ૦.





કમલ ચરણે


સદા ધ્યાતો ધ્યાતો વદન તવ પૃથ્વી-પટ ફરું,
અને નિત્યે તારાં સ્મિતકુસુમ સૌને મુખ ધરું,
મને તેં દીધું તે જગ સકલને અર્પણ કરું,
ધરાનું તર્પેલું હૃદય લઈ તારે પદ ધરું.






નિવેદન
(સંવર્ધિત આવૃત્તિનું)

‘યાત્રા' મારો ત્રીજો મુખ્ય કાવ્યસંગ્રહ. ‘કાવ્યમંગલા’ અને ‘વસુધા’ તે પહેલાંના તેના જેવા જ કાવ્યસંગ્રહો છે. ‘કડવી વાણી’ હળવાં કાવ્યોનો અને ‘રંગરંગ વાદળિયાં’ બાળકાવ્યોનો સંગ્રહ છે. ‘કાવ્યમંગલા’ ૧૯૩૩માં પ્રથમ પ્રગટ થયો, ‘કડવી વાણી’ એની સહેજ પહેલાં અષાઢ ૧૯૮૯ (૧૯૩૩)માં પ્રસિદ્ધ થયો, ‘કાવ્યમંગલા’ તરત શ્રાવણમાં જન્માષ્ટમીએ થયો. ‘વસુધા’ સંગ્રહ ૧૯૯૫ના આસોમાં (૧૯૩૯માં) છ વર્ષ પછી અપાયો. ‘રંગ રંગ વાદળિયાં’ એની પહેલાં ૧૯૩૯ના જૂનમાં અપાઈ ગયેલો. ‘યાત્રા’ તે પછી બાર વર્ષે ૧૯૫૧નાં જુલાઈ માસમાં અપાયો. તેનું પુનર્મુદ્રણ, નવ વર્ષ પછી ૧૯૬૦માં થયું. તે પછીનાં મુદ્રણો ૧૯૬૦, ૧૯૬૩માં થતાં રહ્યાં. આ છેલ્લું મુદ્રણ હવે પુનર્મુદ્રણ ન રહેતાં સંવર્ધિત આવૃત્તિરૂપે આવે છે.

‘યાત્રા’ની પ્રથમ આવૃત્તિ ૧૯૫૧માં, આ છેલ્લી ૩૪ વર્ષ પછી. વર્ષો કેવાં તો સ્વસ્થ ગતિએ ખડકાતાં જાય છે ! કાવ્યસંગ્રહનું વેચાણ, તેની નવી આ વૃત્તિઓને વર્ષો સાથે જાણે કંઈ સંબંધ નથી. એ જ પાઠ્યપુસ્તક બને તો પ્રકાશક એકદમ તેને ફરી છાપી લે છે. આ વીતેલાં વર્ષો સમતલ રીતે વહેતાં હતાં–અને આ આવૃત્તિ સમયે કંઈક થયું. મેં જોયું, સ્મરણમાં આવ્યું, આ સંગ્રહની હૃદય ધબકાર જેવા દીર્ઘકાવ્ય ‘મનુજ–પ્રણય’ (૪૫૧/૨ કડી, ૧૮૨ પંક્તિ)નું મૂળ રૂપ તે હજી બરાબર અકબંધ વિસ્મૃતિના ભંડારમાં દટાઈને પડેલું છે. ઘણાં મહત્ત્વાકાંક્ષી ભાવથી તેને ૧૦૫ કડીમાં લખેલું. સંગ્રહ વખતે તેને વધુ ભાવક્ષમ બનાવવા ટૂંકાવેલું. પણ જે મૂળ હતું તેની ભાવસમૃદ્ધિ પણ ઘણી સભર હતી. થયું, આ આવૃત્તિમાં તેને પૂર્તિરૂપે મૂકીએ. એની તૈયારી કર્યા પછી જણાઈ આવ્યું કે આ જ કાવ્યના ઊર્ધ્વક્રમણ જેવું આ સંગ્રહમાંનું ‘આ ધ્રુવપદ’ (૩૬ કડી) પણ એના જેવી સ્થિતિમાં છે, તેનું પણ મૂળ બૃહત્સ્વરૂપ છે, ૮૯ કડીનું, અને તે પણ ન્યાય માગી લે છે. એટલે પૂર્તિમાં આ બંને સુદીર્ઘ રચનાઓ મૂકી છે અને એની પાછળ તો આગળ પાછળ કહેવા મૂકવા જેવી ઘણી બાબતો નીકળી આવી. એણે સારી એવી જહેમત કરાવી, અને છેવટે એ સામગ્રી આ સંગ્રહની આ આવૃત્તિમાં દળદાર વધારો કરતી, આંતરિક પુષ્ટિરૂપે આવે છે. એ બંને કાવ્યોનું ખાસ મહત્ત્વ તો અભ્યાસીઓને માટે છે. એટલે એ બંને કાવ્યોને તેમના નવા અને પૂર્વ સ્વરૂપમાં વાંચી કરી તેનો તેઓ યોગ્ય લાભ ઉઠાવશે.

‘કાવ્યમંગલા’ સંગ્રહ ૧૯૩૩માં પ્રસિદ્ધ થયો. બીજે જ વર્ષે ૧૯૩૪માં તેને ગુજરાતના સાહિત્ય-સાંસ્કૃતિક જીવનની યશગાથા જેવો રણજિતરામ સુવર્ણ ચંદ્રક અપાયો. ૧૯૫૧માં પ્રસિદ્ધ થયેલા ‘યાત્રા’ સંગ્રહને ૧૯૫૫માં (૨૦ જૂન, સોમ) નર્મદ સુવર્ણચંદ્રક અપાયો. આપણા સાંસ્કારિક જીવન અંગેનું આ પણ એક મૂલ્યવાન યશોગાન બની રહેલું છે. બે સંગ્રહોની વચ્ચેનો ‘વસુધા’ તો આપોઆપ જ તેની પૃથ્વીમૈયાની સભરતાને લીધે લોકોના હૃદયમાં વસી ગયો છે. નર્મદ સુવર્ણચંદ્રક, કદાચ તેના પ્રગટ થયા પછી ઘણા વખતે ગોઠવાયો હશે.

‘યાત્રા’ અંગે, નવ વર્ષ પછી તેની બીજી આવૃત્તિ વખતે બેત્રણ નોંધપાત્ર ફેરફારો થયા. આર. આર. શેઠના મૂળ પુરુષ શ્રી ભુરાલાલ પ્રભુશરણમાં પહોંચ્યા હતા, ૧૯૫૯માં. એમના સુપુત્ર કહેવાય તેવા, તેમને જીવનમાં મળેલા એકના એક સંતાન એવા ભગતભાઈ. પિતાની પેઢીમાં ગોઠવાઈ ગયા. તે કલ્પનાશીલ પણ હતા. તેમણે પોતાનાં પ્રકાશનોને ચમકાવવા માંડ્યાં, નવા વિચારો વહેતા મૂકવા માંડ્યા. ‘યાત્રા’ની બીજી આવૃત્તિ (૧૯૬૦) વખતે તેમના પિતાશ્રીએ ગોઠવેલી ‘અર્વાચીન કાવ્ય ગ્રંથાવલિ’ને પૂરું વ્યવસ્થિત રૂપ આપી ‘યાત્રા’ ને તેના પ્રથમ પુસ્તક તરીકે મૂક્યું. આ પ્રખર પુસ્તક-પ્રકાશક આમ તો બીજી પણ અનેક પુસ્તકોની ગ્રંથાવલિઓ-‘વિરાટ ગ્રંથાવલિ’, ‘સંસ્કાર ગ્રંથાવલિ’ ઘણાં વર્ષોથી ચલાવતા રહ્યા છે. આ કાવ્યગ્રંથાવલિ પણ આગળ વધતી રહી છે. અગત્યનાં કારણોસર ભુરાલાલે કાવ્ય સંગ્રહનું કદ નાનું, ક્રાઉન સાઇઝનું કરી લીધેલું. ભગતભાઈ હવે કાવ્યસંગ્રહોને તેમના મૂળ ગૌરવપૂર્ણ ડેમી કદમાં લઈ જવા લાગ્યા છે. તે મુજબ ‘યાત્રા’ની આ સંવર્ધિત આવૃત્તિ તેના મૂળ રૂપ-રંગમાં વધુ પૃષ્ઠ–હૃષ્ટ થઈને આવે છે. જોકે રંગની બાબતમાં થોડો પ્રયોગ કરવાનું મન રહે છે. પ્રથમ આવૃત્તિમાં ‘યાત્રા’ના પૂંઠાનો રંગ લીલો અને પીળો હતો. પૃથ્વીની જમીનને લીલી ચીતરી ચિત્રકારે આકાશને પીળા-સૂર્યના સૌમ્ય ઉષ:કાલીન રંગમાં મૂકી આપ્યું હતું. બીજી આવૃત્તિ વખતે આ આકાશ લાલઘૂમ થઈને આવ્યું. ત્રીજી-ચોથીમાં પાછું તે પીળું થયું. આ વખતે તેને વાદળી રંગમાં મૂકી જઈએ છીએ.

પૂંઠા પરના ચિત્ર અંગે પણ એક નોંધવા જેવી, સ્મરણમાં રાખવા જેવી વસ્તુ બનેલી છે. એ ચિત્ર તૈયાર કરીને ચિત્રકાર શ્રી કૃષ્ણલાલ તેને શ્રી માતાજી પાસે આશીર્વાદ માટે લઈ ગયેલા. ચિત્રમાં યાત્રાનો માર્ગ ચિત્રકારે ઠીકઠીક આડોઅવળો બતાવેલો છે. તે જોઈ શ્રી માતાજી બોલેલાં : ‘રસ્તો તદ્દન સીધો જ કેમ ના હોય!’

તો આપણી ગૂર્જર કાવ્ય-સરિતા આમ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે દિવ્ય સરસ્વતીની દૃષ્ટિ હેઠળ પોતાનો અનોખો પંથ કાપતી આગળ વધી રહી છે. જય સચ્ચિદાનંદ.

૨૩-૯-૮૫
પોંડિચેરી
સુન્દરમ્
 



કૃતિ-પરિચય

યાત્રા (૧૯૫૧) : સુન્દરમ્ નો ગીતો, સૉનેટો, દીર્ઘ ચિંતનકાવ્યો અને પરંપરિત હરિગીત, ઝુલણા કે કટાવની રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ. યુગધર્મ પછી સ્વધર્મે વળેલી સુન્દરમ્ ની કવિતા અહીં આત્મધર્મ તરફ અધ્યાત્મમાર્ગે ફંટાયેલી છે. અહીં ગાંધીવાદી-સમાજવાદી વિચારણાનું શ્રી અરવિંદના પ્રભાવ હેઠળ ઉત્ક્રાંતિશીલ ઊધ્વર્વજીવનની ઝંખનામાં ઉપશમન થયું છે. ‘યાત્રા’નો યાત્રી ઊર્ધ્વસૃષ્ટિને ઝંખતો સંનિષ્ઠ, સત્યશોધક છે, પરંતુ એની શ્રદ્ધા કવિતા પર્યંત પહોંચવામાં ઊણી ઊતરતી હોવાની પ્રતીતિ રહે છે. તેમ છતાં અહીં ‘રાઘવનું હૃદય’, ‘નિશા ચૈત્રની’, ‘આ ધ્રુવપદ’, ‘ગુલબાસની સોડમાં’ વગેરે પ્રતિભાપૂર્ણ રચનાઓ છે. ‘ઉજ્જડ બગીચામાં’, ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’, ‘અનુ દીકરી’માં સામાન્ય અનુભવોની અસામાન્ય રજૂઆત કાવ્યોને રોચક બનાવે છે. એમાંય ‘અનુ દીકરી’માં મૃતદીકરી પ્રત્યેના વાત્સલ્યની તીક્ષ્ણ પરિણતિ અવિસ્મરણીય રીતે કરુણ છે. વ્યક્તિકાવ્યોમાં ‘શ્વેતકેશી પિતર’ અને ‘અહો ગાંધી’ નોંધપાત્ર છે. ભિન્ન ભિન્ન રાગોને સ્પર્શતી સૉનેટમાલામાં રાગોના વ્યક્તિત્વને સ્ફૂટ કરવાની કવિની નેમ છે. અહીં ‘ઢૂંઢ ઢૂંઢ’ અને ‘મેરિ પિયા’ વ્રજભાષામાં રચાયેલી મધુર ગીતરચનાઓ છે.



સર્જક-પરિચય
Sundaram.jpg


સુન્દરમ્ [જ. 22 માર્ચ 1908, મિયાં માતર, જિ. ભરૂચ; અ. 13 જાન્યુઆરી 1991, પુદુચેરી (પોંડિચેરી)] : ગુજરાતી સાહિત્યના પ્રમુખ કવિ, વાર્તાકાર, પ્રવાસલેખક, વિવેચક અને અનુવાદક. જન્મનામ ત્રિભુવનદાસ. પિતાનું નામ પુરુષોત્તમદાસ કેશવરામ લુહાર. માતાનું નામ ઊજમબહેન. શરૂઆતમાં કવિ તરીકે ‘મરીચિ’ ઉપનામ; પછી ‘કોયા ભગત’. વાર્તાકાર તરીકે ‘ત્રિશૂળ’ ઉપનામ. આમોદ તાલુકાના મિયાં માતર એમનું વતન. ત્યાં જ ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ. પછી આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી અને એક વર્ષ ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ.

ઈ. સ. 1917માં મંગળાબહેન (અ. 2 સપ્ટેમ્બર 1969) સાથે લગ્ન. 1937માં પુત્રી સુધાનો જન્મ. 1925-1927 દરમિયાન ભરૂચમાંથી ‘વિનીત’ થઈ, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં આવ્યા. વિદ્યાપીઠના દ્વૈમાસિક ‘સાબરમતી’માંના ઉત્તમ લેખ માટે તેમને ‘તારાગૌરી ચંદ્રક’ પ્રાપ્ત થયો. 1926થી કાવ્યલેખનનો પ્રારંભ. ‘એકાંશ દે’ એ પ્રથમ કાવ્ય આ ‘સાબરમતી’ સામયિકમાં ‘મરીચિ’ ઉપનામથી પ્રગટ થયેલું. 1928-1929માં ‘સાબરમતી’માં ‘બારડોલીને’ – એ કાવ્ય ‘સુન્દરમ્’ના નામથી પ્રસિદ્ધ થયું. ત્યારબાદ ‘સાબરમતી’ના તંત્રી તરીકે કામગીરી શરૂ કરી. 1929માં સંસ્કૃત-અંગ્રેજી વિષય સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ’. 1935થી 1945 સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા ‘જ્યોતિસંઘ’માં કાર્યકર્તા. 1930થી ઉમાશંકર જોશી સાથેની મૈત્રીનો પ્રારંભ. ગાંધીયુગના આ બે પ્રમુખ કવિઓ મિત્ર બન્યા અને ‘સારસ્વત સહોદર’ તરીકે ઓળખાયા. દરમિયાન ગાંધીજી-પ્રેરિત સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. એ ભાવનાને વ્યક્ત કરતું ‘બુદ્ધનાં ચક્ષુ’ જેવું એમની કાવ્યદીક્ષારૂપ કાવ્યનું સર્જન થયું. 1933નું વર્ષ સુન્દરમ્ માટે મહત્વનું રહ્યું. એ વર્ષે તેમના બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા : ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’ તથા ‘કાવ્યમંગલા’. તે જ વર્ષના અંતિમ ગાળામાં તેઓ દક્ષિણ ભારતની યાત્રાએ ગયા. આ પ્રવાસે તેમના પર અનેક રીતે પ્રભાવ પાડ્યો, જેના ફળરૂપે 1941માં ગુજરાતી સાહિત્યનો એક મહત્વનો પ્રવાસગ્રંથ ‘દક્ષિણાયન’ પ્રાપ્ત થયો. આ પ્રવાસ દરમિયાન લીધેલ પુદુચેરી(પોંડિચેરી)ની મુલાકાતે અને શ્રી અરવિંદના પ્રભાવે તેમના ઉત્તર જીવનની દશા-દિશા બદલી નાંખ્યા. 1940માં પ્રથમ વાર, 1943માં બીજી વાર તેમને શ્રી અરવિંદનો દર્શનયોગ થયો. પરિણામે 1945થી સપરિવાર તેઓે શ્રી અરવિંદ આશ્રમ, પુદુચેરી ગયા અને આજીવન આશ્રમને સમર્પિત થઈ રહ્યા. 1945ની સાલ આમ એમના જીવન માટે અતિ મહત્વની બની રહી. 1947થી ‘દક્ષિણા’ના તંત્રી રહ્યા. શ્રી અરવિંદના પ્રભાવને લીધે એ પછીના તેમના કાવ્યસર્જનની ભૂમિકા બદલાતી રહી. કોયા ભગત વાસ્તવિક સમાજદર્શનના દર્શક ને કથક હતા. પુદુચેરી-નિવાસ પછી તેઓ એક સાધકની આધ્યાત્મિક ભૂમિકામાં પ્રવેશ્યા. આમ કવિ અને સાધકનો સુંદર સમન્વય થયો. સૌમ્ય અને સ્નેહાળ વ્યક્તિત્વ ધરાવતા સુન્દરમ્ આજીવન સાચા અર્થમાં ‘કવિ’ અને ‘સત્યશોધક’ રહ્યા હતા. 1983માં માતર પાસે વાત્રક તટે ૐપુરી નગરીનું ખાતમુહૂર્ત કરી ત્યાં તેમણે સાધકો માટેનું સાધનાધામ કર્યું. 1987માં ફ્રાન્સના પૅરિસમાં શ્રી અરવિંદ હાઉસમાં શ્રી માતાજી તથા શ્રી અરવિંદની છબીઓનું તેમણે અનાવરણ કરી ત્યાં યોગસાધનાનાં કેન્દ્રોને વધુ સક્રિય કર્યાં. ઉત્તરવયમાં એક સાધક તરીકે તેમની જીવનચર્યા ચાલી અને સાથે જ સર્જનકાર્ય પણ અનવરત ચાલતું રહ્યું. સમાજની, પ્રકૃતિની, પરમતત્વની અનેક ભાવછબીઓ તેમણે કાવ્યના શબ્દમાં ઝીલી બતાવી. એ રીતે સુન્દરમ્ આજીવન કાવ્ય અને અધ્યાત્મના સંનિષ્ઠ ઉપાસક રહ્યા.

ઈ. સ. 1933માં પ્રગટ થયેલ તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’માં સામાજિક વિષમતા અને શોષણનું વેધક વાસ્તવદર્શન છે. ગાંધીજીના આગમન સાથે ગુજરાતીમાં વિષયવસ્તુ અને અભિવ્યક્તિ સંદર્ભે જે પરિવર્તનો આવ્યાં તેનો ઉત્તમ ખ્યાલ સુન્દરમ્-ઉમાશંકરની કવિતા દ્વારા મળી રહે છે. એકદમ સાદી છતાં સૂક્ષ્મ સંવેદનાથી સભર, હૃદયંગમ રજૂઆત દ્વારા કવિએ સમાજના છેવાડાના માણસની વાત કરી છે. ગાંધીવિચારધારાથી પ્રભાવિત આ કવિ સમાજસુધારાની વાત કરે છે તો સાથે સૌંદર્યતત્વની પ્રતિષ્ઠા પણ કરે છે. કોયા ભગત પાત્રના મુખે પરંપરાગત ભજનશૈલીનો ઉપયોગ કરીને કવિએ પોતાની ભાવસૃષ્ટિને નવા પરિમાણમાં રજૂ કરી છે. ‘ભંગડી’ કે ‘ત્રણ પડોશી’ જેવી કૃતિઓ આ સંદર્ભમાં સ્મરણીય છે. ‘ઊઠો રે’ જેવાં કાવ્યોમાં રાષ્ટ્રીય ભાવસંદર્ભનું ઓજસ્વી આલેખન છે.

એ જ વર્ષે પ્રગટ થયેલ એમના બીજા કાવ્યસંગ્રહ ‘કાવ્યમંગલા’માં કવિની અભિવ્યક્તિની રીતિ બદલાયેલી જોવા મળે છે. એમાં છંદોબદ્ધ કાવ્યો, મુક્તકો, સૉનેટો અને ગીતોનું નોંધપાત્ર પ્રમાણ છે. તેમાં ગાંધીવિચાર અને સમાજવાદી વિચારધારાના સમન્વય દ્વારા કવિ માનવતાના વિકાસની ભૂમિકા પ્રતિ વળે છે. અહીંનાં કાવ્યોમાં દીનદલિતપીડિતો પ્રત્યેની અનુકંપા સાથે સ્વદેશપ્રીતિની ભાવના પણ વ્યક્ત થઈ છે. ‘બુદ્ધનાં ચક્ષુ’, ‘ત્રિમૂર્તિ’ જેવાં કાવ્યો અહીં છે. ઉમાશંકરે જો ‘વિશ્વમાનવી’ની વાત કરી છે તો આ કવિએ ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ – એ રીતે માનવીય અસ્મિતાની વાત કરી. આમ બંને સર્જકો પરસ્પરના પૂરક બનીને સર્જનક્ષેત્રે વિકસતા જણાય છે. અહીંનાં મોટાભાગનાં કાવ્યોમાં, કવિનો પ્રેમ અને કરુણાપ્રેરિત માનવતાવાદી અભિગમ જોવા મળે છે. વળી તેમની આધ્યાત્મિક ખોજનો સંકેત ‘ધ્રુવપદ ક્યહીં ?’ દ્વારા મળે છે.

સુન્દરમ્ જેમ 1933માં તેમ 1939માં પણ બે કાવ્યસંગ્રહો આપે છે, જેમાંનો એક ‘વસુધા’ અને બીજો ‘રંગ રંગ વાદળિયાં’. ‘વસુધા’માં કવિની સર્જકતાનો આહલાદક ઉઘાડ જોવા મળે છે. તેમાં કવિની વાસ્તવદર્શનની ખૂબીઓ ‘13-7ની લોકલ’માં સરસ રીતે ચિત્રાંકિત થઈ છે. ‘ઈંટાળા’માં ઈંટાળાના પ્રતીકથી સમાજવ્યવસ્થામાં બાધારૂપ થનારા લોકોની ચિંતા વ્યક્ત થઈ છે. ‘ફૂટપાથ અને તળાઈ’ વચ્ચેનું અંતર આ કવિને વ્યથિત કરે છે. કવિની માનવ તરીકેની ઊર્ધ્વીકરણની ભાવના જ અસુન્દરને ચાહીને સુન્દર બનાવવાના એમના અભિગમમાં પ્રગટ થાય છે. ‘કોણ ?’, ‘એક સવારે’ જેવી રચનાઓે કવિનું અગોચર તત્વ પ્રતિનું આકર્ષણ પ્રગટ કરે છે. કવિ પથ્થરની મૂર્તિને નહિ, પણ મૂર્તિમાં પ્રતીત થતા શ્રદ્ધાના આસનને નમવાનું પસંદ કરે છે. ‘પુલના થાંભલાઓ’, ‘દ્રૌપદી’ જેવી દીર્ઘ કાવ્યરચનાઓ પણ ઉલ્લેખનીય છે. બીજી બાજુ પ્રણયની તીવ્ર અભીપ્સા અને અનુભૂતિ વ્યક્ત કરતી કવિતા, મુક્તકો, સૉનેટો, ગીતો અને અન્ય અનેક છંદોબદ્ધ સ્વરૂપોમાં મળે છે. સમાજના સંદર્ભમાં તે ‘ઘણ ઉઠાવ’ની વાત કરે છે અને ‘બક્ષિસ’ જેવી રચનામાં કલાકારની કલા પરત્વેની સમર્પિતતા અને આનંદસમાધિ વ્યક્ત થાય છે. ‘રંગ રંગ વાદળિયાં’ તેમનો લોકપ્રિય બાલકાવ્યસંગ્રહ છે. આ સંગ્રહ તેમને ગુજરાતી બાલકવિતાના અગ્રણી કવિ ઠેરવે છે. ‘રંગ રંગ વાદળિયાં’ પછી તેમના અનેક કાવ્યસંગ્રહોમાં સંગ્રહાયેલાં બાલકાવ્યો તથા અમુદ્રિત બાલકાવ્યો ‘સુન્દરમની સમગ્ર બાલકવિતા’ (ભાગ 1-5) (ઈ. સ. 2005/2007)માં મળે છે. બાળકોને આસ્વાદ્ય એવી ઘણી બધી ભાવસામગ્રી એમાં અવનવી રીતે રજૂ થઈ છે. આ કાવ્યોમાં અંકશિક્ષણ ને અક્ષરશિક્ષણથી માંડીને બાળલીલા, પ્રકૃતિલીલા સાથેના વિવિધ સંબંધોને બાલભોગ્ય રીતે રજૂ કરતાં જોડકણાંથી માંડીને પ્રાર્થનાકાવ્યો સુધીનાં વિવિધ સ્વરૂપોવાળી નાનીમોટી લગભગ ચારસો ઉપરાંત કાવ્યરચનાઓ મળે છે. શ્રી અરવિંદ શ્રી માતાજીને અનુલક્ષતી, નાનાં-મોટાં સૌને આસ્વાદવી ગમે તેવી કવિતા પણ સુન્દરમનું એક ગણનાપાત્ર અર્પણ છે.

સુન્દરમ્ 1945માં પુદુચેરી (પોંડિચેરી) કાયમી નિવાસ અર્થે ગયા. આનો ગાઢ પ્રભાવ તેમના ‘યાત્રા’ (1951) સંગ્રહ પર જોવા મળે છે. ધ્રુવપદની શોધ કરતા આ કવિને અહીં ધ્રુવપદ મળે છે. ‘મેરે પિયા મૈં કછુ નહીં જાનૂં, મૈં તો ચુપ ચુપ ચાહ રહી’ની ભાવભક્તિની સર્વોચ્ચ ભૂમિકાએ કવિ પહોંચે છે. સુન્દરમની કવિતામાં મુખ્ય બે પાસાં જોઈ શકાય છે : એક, સમાજની વાસ્તવિકતાના અવલોકન-આલેખનવાળું અને બીજું, શ્રી અરવિંદવિચાર-પ્રેરિત પરમતત્વ તરફની ગતિ દાખવતી આધ્યાત્મિક ભૂમિકાના અનુભવદર્શનવાળું. આ સંગ્રહમાં આધ્યાત્મિકતાનો અંશ માતબર માત્રામાં છે. કોયા ભગતના નિમિત્તે જે કવિએ ઈશ્વરને જતાં રહેવાનું કહેલું તે કવિને અહીં શ્રી અરવિંદ માતાજીના મધુમય કોમળ ચરણોમાં ધ્રુવપદ લાધે છે અને સમર્પિત-ભાવે શાંતિનો અનુભવ કરે છે. વાસ્તવસૃષ્ટિમાંથી કવિ ઉત્ક્રાન્તિ પામી આધ્યાત્મિક ભાવસૃષ્ટિમાં સ્થિર થાય છે. હવે – એ અધ્યાત્મસૃષ્ટિ જ એમની વાસ્તવસૃષ્ટિ બને છે અને વ્યક્તિ, જીવન અને જગતને જોવાની તેમની દૃષ્ટિમાં આવેલા પરિવર્તનની પણ પ્રતીતિ થાય છે. ‘નહિ છૂપે’ – જેવી એક પંક્તિની રચના છે તો ઘણી દીર્ઘરચનાઓ પણ છે. (જેમકે, ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’.) ભાવ-ભાષાના અનેક સ્તરો અહીં પ્રાપ્ત થાય છે. ધર્માર્થ સ્ફુરતાં જેણે સીતાને ત્યજેલી તેવા ‘રાઘવનું હૃદય’ પોતાને મળે તેવી ઇચ્છા ધરાવતા આ કવિની ‘એક જ રટના’ છે, પરમતત્વ પોતાનામાં એનું ધામ રચી રહે. વળી એમનાં કાવ્યસ્વરૂપોનું ને કાવ્યગ્રંથોનું વૈવિધ્ય પણ ધ્યાનપાત્ર છે : ‘વરદા’ (1990, 1998 બીજી આ.), ‘મુદિતા’ (1996), ‘ઉત્કંઠા’ (1992), ‘અનાગતા’ (1993), ‘લોકલીલા’ (1995, 2000 બીજી આ.), ‘ઈશ’ (1995), ‘પલ્લવિતા’ (1995), ‘મહાનદ’ (1995), ‘પ્રભુપદ’ (1997), ‘અગમનિગમા’ (1997), ‘પ્રિયાંકા’ (1997), ‘નિત્યશ્લોક’ (1997), ‘નયા પૈસા’ (1998), ‘ચક્રદૂત’ (1999), ‘દક્ષિણા’ (ભાગ 1-2, 2002), ‘મનની મર્મર’ (2003), ‘ધ્રુવયાત્રા’ (2003), ‘ધ્રુવચિત્ત’ (2004), ‘ધ્રુવપદે’ (2004) શ્રી માતાજીના સાન્નિધ્યમાં ભાગ : 1, 2 અને 3 (2005, 2006), ‘મંગળા-માંગલિકા’ (2007) વગેરે તેમના અન્ય કાવ્યસંગ્રહો છે. આમાં કવિની અડધી સદીની કાવ્યરચનાઓ પ્રાપ્ત થાય છે. ‘પુષ્પ થૈ આવીશ’, ‘કિસ સે પ્યાર’, ‘પ્રભુ દેજો’, ‘મુખ મોહન’, ‘રામ પ્યાલા’, ‘તું’, ‘હરિનાં હાટ’, ‘એક અચંબો’ – જેવી અનેક કૃતિઓમાં પ્રભુ-પ્રેમ, પ્રભુની સર્વવ્યાપકતા, પ્રભુપ્રાપ્તિનો આનંદ – આદિ વ્યક્ત થયાં છે. તો વ્યક્તિલક્ષી એટલે કે ગાંધીજી, શ્રી અરવિંદ, શ્રી માતાજી-વિષયક અને વતનપ્રેમની રચનાઓ પણ અનેક મળે છે. અનેક કાવ્યોમાં કવિની મનુષ્ય અને ભક્ત તરીકેની ખુમારી વ્યક્ત થઈ છે. તેઓ ‘કણ રે આપો’ કહે છે, વધુ માંગતા નથી. તેઓ પરમાત્માના બ્રહ્માંડમાંથી માત્ર એક નાના આંગણા જેટલી જગા જ વાંછે છે. તેમની કવિતામાં તેમની ધરાપ્રીતિ, જીવનપ્રીતિ, મનુષ્યપ્રીતિ સાથે જ આધ્યાત્મિકતાની અભીપ્સા અને અનુભૂતિ વ્યક્ત થઈ છે. એક ગરવા અને નરવા કવિમાં અપેક્ષિત સર્જનગત સચ્ચાઈ, સાત્વિકતા, સજાગતા, સર્જનાત્મક સ્ફૂર્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા એમનામાં છે. તેમની કવિતામાં પ્રણયની મસ્તી છે, વેદના છે, ભક્તિની ભીનાશ છે, વાસ્તવની વિષમતાનું દર્દ છે અને ઊર્ધ્વગતિ માટેની મથામણ અને ભાવનાનાં ઉડ્ડયનો છે. કવિની કાવ્યયાત્રા ગુજરાતના નાનકડા ગામમાંથી શરૂ થઈ, ગૂજરાત વિદ્યાપીઠના સંસ્કારથી પુષ્ટ થઈ, પુદુચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સત્વશીલ અને સમૃદ્ધ બની સમગ્ર ગુજરાતી કવિતાને ને ભાષાને રળિયાત કરે છે. ‘શ્રી માતાજીના સાન્નિધ્યમાં’ [પુસ્તક 1-2(2005)-3(2007)]માં તેમના સાધક વ્યક્તિત્વનો સુપેરે પરિચય કરાવતી કાવ્યરચનાઓ છે. લૌકિકતામાંથી કવિની લોકોત્તરતા તરફની પ્ર-ગતિ સૌને સ્પર્શે પ્રેરે તે રીતે વ્યક્ત થઈ છે. પ્રારંભમાં કોયા ભગતના નિમિત્તે કટાક્ષ કરતા આ કવિ અંતે આધ્યાત્મિક સંવાદિતામાં પોતાની પરિણતિ સાધે છે. દેશની સ્વતંત્રતામાં ‘સાફલ્યટાણું’ માનતા આ કવિ ઉત્તરવયમાં આત્માની સ્વતંત્રતામાં ‘સાફલ્યટાણું’ માને છે. કવિની સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફની ગતિ એ રીતે રોમાંચક છે. શંકાનું સ્થાન શ્રદ્ધા લે છે. જીવનસંઘર્ષની વેદનાનું આધ્યાત્મિક સાધના દ્વારા સમાધાન અને શમન થાય છે. કવિની કવિતામાં વિષયવસ્તુ, ભાવ, ભાષા, છંદોલય વગેરેનું ભરપૂર વૈવિધ્ય છે. માત્રામેળ, અક્ષરમેળ અને સંખ્યામેળ આદિ વિવિધ પ્રકારના છંદો અને ઢાળો તેમણે સફળતાથી પ્રયોજી બતાવ્યા છે. મુક્તકથી માંડી દીર્ઘકાવ્યોકથા કાવ્યો સુધી તેમની સર્જકતાનો વ્યાપ રહ્યો છે. આમ કડવા અને આખાબોલા કોયા ભગતની; ‘ધ્રુવપદ’ના સાધક અને મૌનની વાણીના મર્મજ્ઞ કવિ-યોગીની યાત્રા એટલે સુન્દરમની તપોગિરિની આનંદમૂલક કાવ્યયાત્રા. સુન્દરમ્ એક ઉત્તમ ઊર્મિકવિ-ગીતકવિ અને બાલકાવ્યોના કવિ તરીકે સુપ્રતિષ્ઠિત છે.

ઉમાશંકર જોશીની જેમ સુન્દરમ્ સવ્યસાચી સર્જક છે. પદ્યની જેમ ગદ્યક્ષેત્રે પણ તેમનું પ્રદાન મૂલ્યવાન છે. તે એક સારા વાર્તાકાર અને વિવેચક છે. સુન્દરમની ટૂંકી વાર્તાઓ ગાંધીવિચાર અને પ્રગતિવાદની ભૂમિકા પર રચાઈ છે. 1938માં ‘હીરાકણી અને બીજી વાતો’નું ‘ત્રિશૂળ’ ઉપનામથી પ્રકાશન થયું. આ ઉપરાંત ‘ખોલકી અને નાગરિકા’ (1939), ‘પિયાસી’ (1940), ‘ઉન્નયન’ (1945), ‘તારિણી’ (1977), ‘હુતાશણી અને બીજી વાતો’ અને લઘુ નવલકથા ‘પાવકના પંથે’ (1977) – એ તેમના અન્ય વાર્તાસંગ્રહો છે. જેમ કવિ તેમ વાર્તાકાર તરીકે પણ સુન્દરમ્ ઉચ્ચ સર્જકતા દાખવે છે. સુન્દરમે ‘ગોપી’થી ‘હીરાકણી’ નામના એમના પહેલા વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ, 1931માં ‘લૂંટારા’ નામની વાર્તા તેમની પહેલી વાર્તા હતી. તેમની પાસેથી ઉપર્યુક્ત સંગ્રહ ઉપરાંત હજી કેટલીક અપ્રકટ વાર્તાઓ પણ છે. વાર્તાકલાનો કસબ તેમને સહજ છે છતાં તે સતત વાર્તાની અટપટી કલા વિશે સાશંક રહેલા છે. તેઓ સતત વિકસતા વાર્તાકાર છે. તેમની વાર્તાઓમાં પરંપરાનું અનુસંધાન છે તો ભાવસંવેદનાપ્રેરિત નૂતન પ્રયોગો કે અભિગમોનું નાવીન્ય પણ છે. વાસ્તવજીવનથી આરંભી આધ્યાત્મિક વાસ્તવિકતા સુધી તેઓ પહોંચે છે. તેમની સંવેદના અતિ-સૂક્ષ્મ છે, તેથી પાત્રના કે પ્રસંગના હાર્દ સુધી પહોંચી, પાત્રમાનસના અતિસૂક્ષ્મ સંચલનોને પ્રસંગ અને વાતાવરણસહિત સચોટ રીતે નિરૂપી શકે છે. પાત્રની સંકુલ મન:સ્થિતિનું પણ તેઓ તાદૃશ નિરૂપણ કરે છે. ગ્રામીણ હોય કે શહેરી, નારીજીવનના સ્તરોને તેઓ પ્રત્યક્ષ કરાવી શક્યા છે. માનવમનની કે માનવસંબંધોની સંકુલતાનું તેઓ રસપ્રદ આલેખન કરે છે. તેમની પાત્રસૃષ્ટિ પણ વિશાળ અને વૈવિધ્યસભર છે. ગરીબથી માંડી તવંગર, કામવાળીથી માંડી શેઠાણી, ગ્રામીણ નારીથી માંડી નાગરિકા કે વ્યવસાયવૈવિધ્યને વ્યક્ત કરતાં નાનાથી માંડી વૃદ્ધ સુધીનાં પાત્રોના મનોભાવો, પરિસ્થિતિઓ, પ્રસંગો કે સંવાદોનું ભાતીગળ ચિત્ર તેઓ રંગીન રીતે આંકી શક્યા છે. તેમની ‘પૂનમડી’, ‘ખોલકી’, ‘માને ખોળે’, ‘પની’, ‘નાગરિકા’, ‘માજાવેલાનું મૃત્યુ’, ‘પ્રસાદજીની બેચેની’ જેવી અનેક વાર્તાઓ ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓમાં સ્થાન પામી છે. તેમની આ વાર્તાઓમાં ‘મીન પિયાસી’ કે ‘ઊછરતાં છોરું’ અલગ ભાત પાડે છે. ‘તારિણી’ એક વિલક્ષણ ભાવસંબંધને વ્યક્ત કરતી વાર્તા છે. એમની વાર્તાઓમાં જાતીયજીવન – દાંપત્યજીવન – ગરીબાઈ છતાં ખાનદાની વગેરેનું કલાત્મક નિરૂપણ થયું છે. આ વાર્તાઓમાં તેમના ગદ્યસામર્થ્યનો પણ પરિચય થાય છે. તેમની વાર્તાઓમાં વાતાવરણ અને વર્ણનો એક વિશેષ રૂપે આવે છે. અલંકારો – કલ્પનાઓમાં તાજગી અનુભવાય છે. તેમની ઘણી વાર્તાઓના કથાનકો નાટ્યરૂપાંતર પામી શકે તેવી ક્ષમતાવાળાં છે. ટૂંકમાં, સુન્દરમ્ જેમ કવિ તરીકે તેમ વાર્તાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રભાવક રહ્યા છે.

જેમ સર્જકનું તેમ બીજું મહત્વનું પાસું સુન્દરમનું વિવેચક તરીકેનું છે. 1931ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની તેમણે બહુ તટસ્થતાપૂર્વક સમીક્ષા કરેલી. 1946માં તેમની પાસેથી ‘અર્વાચીન કવિતા’ નામે ગુજરાતી કવિતાની ઐતિહાસિક સમીક્ષાનો શ્રદ્ધેય ગ્રંથ મળે છે. સુન્દરમની ભાવયિત્રી પ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર અહીં જોવા મળે છે. તેમાં તેમણે નર્મદદલપતથી શરૂ કરી, નાના-મોટા મળી લગભગ 350 જેટલા કવિઓની કવિતાકળાનું મૂલ્યાંકન કર્યું છે અને અનેક નોંધપાત્ર મૌલિક અભિપ્રાયો આપ્યા છે. ‘અવલોકના’ (1965) તેમનો બીજો મહત્વનો વિવેચનસંગ્રહ છે. આમાં તેમણે કરેલાં ગ્રંથાવલોકનો સંગૃહીત થયાં છે. એમની અવલોકન માટેની પુસ્તકોની પસંદગીનો વ્યાપ વિસ્તૃત છે. આ અવલોકનો તેમની સૌંદર્યદૃષ્ટિ અને વિવેચનશક્તિનો પરિચય આપી રહે છે. 1978માં તેમની પાસેથી ‘સાહિત્યચિંતન’, ‘સમર્ચના’ અને ‘સા વિદ્યા’ – એ ત્રણ ગ્રંથો મળે છે. તેમાંથી ‘સાહિત્યચિંતન’માં સાહિત્ય અંગેના તેમના ચિંતનલેખો છે, તો ‘સમર્ચના’માં સાહિત્યિક વ્યક્તિઓના ચરિત્રને પ્રાધાન્ય આપતા લેખો છે. આ લેખોમાં દયારામ, દલપત, કલાપી આદિને તેમણે આપેલ અંજલિઓ છે, જે ઉષ્માસભર હોઈ આસ્વાદ્ય બની છે.

‘વાસંતી પૂર્ણિમા’ (1977) એ તેમનો નાટ્યસંગ્રહ છે. આમાંની મોટાભાગની રચનાઓ સ્ત્રીસંસ્થાઓ માટે લખાયેલ છે. એમાંનું ભાવવૈવિધ્ય ધ્યાનપાત્ર છે.

‘દક્ષિણાયન’ (1941) તેમના દક્ષિણ ભારતના પ્રવાસને વર્ણવતું પુસ્તક છે. તેમાં સ્થળ, સમાજ અને સંસ્કૃતિને લગતી વિપુલ માહિતી પણ તેઓ સાંકળતા ગયા છે. કેટલાક સુંદર વર્ણનાત્મક ગદ્યખંડોને લીધે આ પ્રવાસગ્રંથ ગુજરાતી પ્રવાસસાહિત્યમાં નોંધપાત્ર રહ્યો છે.

આ ઉપરાંત ‘ચિદંબરા’ (1968) એમનો વિવિધ લેખોનો સંગ્રહ છે. અહીં લેખકનું ચિંતન ધ્યાનપાત્ર છે. ‘શ્રી અરવિંદ મહાયોગી’ (1950) એ શ્રી અરવિંદનું નાનકડું પણ રસિક જીવનચરિત્ર છે.

અનુવાદક્ષેત્રે પણ સુન્દરમનું પ્રદાન નોંધપાત્ર છે. બોધાયનકૃત ‘ભગવદજ્જુકીયમ્’ (1940), શુદ્રકકૃત ‘મૃચ્છકટિક’ (1940), ‘સાવિત્રી’ (1956), ‘કાયાપલટ’ (1961), ‘પત્રાવલિ’ (1964), ‘સુંદર કથાઓ’ (1964), ‘જનતા અને જન’ (1965), ‘સ્વપ્ન અને છાયાઘડી’ (1967), ‘ઐસી હૈ જિન્દગી’ (1974) અને અન્ય તેમના અનુવાદો છે. ગોવિંદસ્વામીની રચનાઓનો કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’ (1948, અન્ય સાથે) એમનું સહસંપાદન છે.

વિશાળ સાહિત્યસર્જનની સાથે સાથે તેમણે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ સતત સક્રિયતા દાખવી છે. 1945થી તેઓ બુધસભા, મિજલસ, લેખકમિલન જેવી સંસ્થાઓના સંસ્થાપન-સંચાલનમાં કાર્યરત હતા. 1954માં ચિદમ્બરમ્ ખાતે પી.ઇ.એન. યોજિત ત્રીજી અખિલ ભારતીય લેખક પરિષદમાં તેમણે ભાગ લીધો હતો. 1987માં દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્ત થયેલા. 1967માં મુંબઈ યુનિવર્સિટીમાં ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’ અંતર્ગત; 1974માં વલ્લભવિદ્યાનગર ખાતે શ્રી અરવિંદ તત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા અંતર્ગત અને 1979માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., સૂરતમાં શ્રી અરવિંદ વિશે તેમણે વ્યાખ્યાનો આપેલાં.

1959માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના અને 1969માં જૂનાગઢમાં સમગ્ર ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. તેમને ‘કાવ્યમંગલા’ નિમિત્તે 1934માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1946માં ‘અર્વાચીન કવિતા’ માટે મહીડા પારિતોષિક, ‘યાત્રા’ માટે 1955માં નર્મદ સુવર્ણચંદ્રક મળેલો. 1969માં ‘અવલોકના’ માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મળેલું. તા. 16-3-1985ના રોજ તેમને ‘પદ્મભૂષણ’ ઍવૉર્ડ એનાયત થયેલો. તા. 2511990ના રોજ ગુજરાત સરકારે ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’ આપી તેમનું સન્માન કરેલું.

શિશુભોગ્ય શબ્દથી માંડી શબ્દબ્રહ્મના સાક્ષાત્કાર સુધી તેમની શબ્દલીલા વિસ્તરેલી છે. અનેક વિચારધારાઓને સાંકળતી તેમની કલમ અને તેમનું ચિત્ત છેવટે શ્રી અરવિંદ અને શ્રી માતાજીના ચરણે ઠરે છે તથા સર્વત્ર શિવમ્ અને સુન્દરમ્નું દર્શન પામે છે. સર્જક સુન્દરમ્ જેમ જેમ સાધક સુન્દરમ્ બનતા જાય છે તેમ તેમ તેઓ વધુ ને વધુ ઊંડા ઊતરીને પણ ઊંચે ઊઠતા જાય છે. સુન્દરમની સર્જક-પ્રતિભા અનેક સ્તરે સક્રિય રહી છે. ગાંધીયુગના જ નહિ, સમગ્ર ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પંક્તિના, મોટા ગજાના કવિ, વાર્તાકાર અને વિવેચક તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે.