યોગેશ જોષીની કવિતા/માનાં અસ્થિ

From Ekatra Wiki
Revision as of 00:04, 20 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
માનાં અસ્થિ

(‘મા ગઈ એ પછી...’ કાવ્યગુચ્છમાંથી)

માનાં
અસ્થિ
તો
વહી
ગયાં
ગંગામાં –
પડિયામાંના
દીવાની જેમ...
હવે
મારી
ભીતર
વહ્યા કરે
ગંગા...