રચનાવલી/૩૯: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
ગુર્જર ભારતવાસી નહીં પણ જેને ભારતવાસી ગુર્જર કહવો પડે એવો તો ગુજરાતનો એક જ લેખક થયો છે અને તે છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. મુનશી અસ્મિતાનું બીજું નામ છે. એમને માત્ર ગુજરાતની જ નહીં પણ સમગ્ર આર્યાવર્ત, આર્ય સંસ્કૃતિની અસ્મિતાનો એક ખ્યાલ હતો અને એ જ ખ્યાલમાંથી એમનું મોટાભાગનું સાહિત્ય જન્મ્યું છે. એમની ઐતિહાસિક નવલકથાઓમાં વાત ભલે ગુજરાતની હોય પણ આર્યાવર્તની એકતાનું મોટું વર્તુળ. એની આસપાસ દોરાયેલું છે. પ્રાચીન ભારત, પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસગાથાનું એમણે સતત સેવન કર્યું છે. એમ કહેવાય કે ભારતના ઇતિહાસ પર એમણે માત્ર લેખક તરીકે કામ નથી કર્યું, એમણે ભારતનો ઈતિહાસ ઘડ્યો પણ છે. ભારતના રાજકીય અને સાંસ્કૃતિક ઉત્થાનમાં એમનો ફાળો છે, તો ગુજરાતના સાહિત્યઘડતરમાં પણ એમનો મોટો હાથ છે.  
ગુર્જર ભારતવાસી નહીં પણ જેને ભારતવાસી ગુર્જર કહવો પડે એવો તો ગુજરાતનો એક જ લેખક થયો છે અને તે છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. મુનશી અસ્મિતાનું બીજું નામ છે. એમને માત્ર ગુજરાતની જ નહીં પણ સમગ્ર આર્યાવર્ત, આર્ય સંસ્કૃતિની અસ્મિતાનો એક ખ્યાલ હતો અને એ જ ખ્યાલમાંથી એમનું મોટાભાગનું સાહિત્ય જન્મ્યું છે. એમની ઐતિહાસિક નવલકથાઓમાં વાત ભલે ગુજરાતની હોય પણ આર્યાવર્તની એકતાનું મોટું વર્તુળ એની આસપાસ દોરાયેલું છે. પ્રાચીન ભારત, પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસગાથાનું એમણે સતત સેવન કર્યું છે. એમ કહેવાય કે ભારતના ઇતિહાસ પર એમણે માત્ર લેખક તરીકે કામ નથી કર્યું, એમણે ભારતનો ઈતિહાસ ઘડ્યો પણ છે. ભારતના રાજકીય અને સાંસ્કૃતિક ઉત્થાનમાં એમનો ફાળો છે, તો ગુજરાતના સાહિત્યઘડતરમાં પણ એમનો મોટો હાથ છે.  
એમણે કથાને પૂરઝડપે દોડતી કરી, પાત્રોને પ્રાણવંત તરવરતાં કર્યા. વીર પુરુષોનાં અને બુદ્ધિજીવી પ્રતાપી સ્ત્રીઓનાં ચરિત્રોનું એમને ભારે આકર્ષણ હતું. એમની ટૂંકી વાર્તા હોય, નવલકથા હોય. એમનાં નાટકો હોય કે એમની આત્મકથા હોય, સાહિત્યનું કોઈ પણ સ્વરૂપ ખેડતી વેળાએ સરસતા અને સચોટતાથી એમણે જીવનના ઉલ્લાસને ઉછાળ્યો છે. ગુજરાતી ભાષાને ભારેખમ રહેવાને બદલે રમતિયાળ બનવાનું પહેલીવાર મુનશીએ શીખવ્યું. ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ કે ‘રાજાધિરાજ' જેવી એમની ઐતિહાસિક નવલકથાઓ એમના સમયમાં અને પછી પણ ઘરઘરનું વાચન રહી છે. એમનું એક જ ઐતિહાસિક નાટક છે અને તે પણ એમનાં નાટકોમાં મોખરે એવું છે. આ નાટક છે : ‘ધ્રુવસ્વામિની દેવી’  
એમણે કથાને પૂરઝડપે દોડતી કરી, પાત્રોને પ્રાણવંત તરવરતાં કર્યા. વીર પુરુષોનાં અને બુદ્ધિજીવી પ્રતાપી સ્ત્રીઓનાં ચરિત્રોનું એમને ભારે આકર્ષણ હતું. એમની ટૂંકી વાર્તા હોય, નવલકથા હોય. એમનાં નાટકો હોય કે એમની આત્મકથા હોય, સાહિત્યનું કોઈ પણ સ્વરૂપ ખેડતી વેળાએ સરસતા અને સચોટતાથી એમણે જીવનના ઉલ્લાસને ઉછાળ્યો છે. ગુજરાતી ભાષાને ભારેખમ રહેવાને બદલે રમતિયાળ બનવાનું પહેલીવાર મુનશીએ શીખવ્યું. ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ કે ‘રાજાધિરાજ' જેવી એમની ઐતિહાસિક નવલકથાઓ એમના સમયમાં અને પછી પણ ઘરઘરનું વાચન રહી છે. એમનું એક જ ઐતિહાસિક નાટક છે અને તે પણ એમનાં નાટકોમાં મોખરે એવું છે. આ નાટક છે : ‘ધ્રુવસ્વામિની દેવી’  
‘મુદ્રારાક્ષસ’ જેવા સંસ્કૃત નાટકના સુપ્રસિદ્ધ નાટકકાર વિશાખદત્તનું એક ‘દૈવીચન્દ્રગુપ્ત' નામે નાટક લુપ્ત થઈ ગયું છે. આ નાટકના છૂટક અંશો જ જોવા મળે છે. આ અંશો પરથી મુનશીએ ઇતિહાસ અને કલ્પનાનું મિશ્રણ કરીને ‘ધ્રુવસ્વામિની દેવી’ નાટક રચ્યું છે. એમાં ભારતના ઇતિહાસમાં જેને સુવર્ણયુગ કહીએ છીએ એ યુગના ગુપ્તવંશના શાસકોની કથા છે.  
‘મુદ્રારાક્ષસ’ જેવા સંસ્કૃત નાટકના સુપ્રસિદ્ધ નાટકકાર વિશાખદત્તનું એક ‘દૈવીચન્દ્રગુપ્ત' નામે નાટક લુપ્ત થઈ ગયું છે. આ નાટકના છૂટક અંશો જ જોવા મળે છે. આ અંશો પરથી મુનશીએ ઇતિહાસ અને કલ્પનાનું મિશ્રણ કરીને ‘ધ્રુવસ્વામિની દેવી’ નાટક રચ્યું છે. એમાં ભારતના ઇતિહાસમાં જેને સુવર્ણયુગ કહીએ છીએ એ યુગના ગુપ્તવંશના શાસકોની કથા છે.