રચનાવલી/૯૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯૨. કાવેરી નદીમાં તરંગો (ત્રિપુરસુન્દરી ત્રિવેણી) |}} {{Poem2Open}} આફ્રિકાનું નામ પડે ને ગાંધીજી યાદ આવ્યા વગર રહે નહીં. ગાંધીજીને મહાત્મા બનાવનાર અને એમના સત્યાગ્રહના શસ્ત્રની પ...")
 
No edit summary
Line 17: Line 17:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૯૧
|next =  
|next = ૯૩
}}
}}

Revision as of 11:20, 8 May 2023


૯૨. કાવેરી નદીમાં તરંગો (ત્રિપુરસુન્દરી ત્રિવેણી)


આફ્રિકાનું નામ પડે ને ગાંધીજી યાદ આવ્યા વગર રહે નહીં. ગાંધીજીને મહાત્મા બનાવનાર અને એમના સત્યાગ્રહના શસ્ત્રની પહેલી શોધ માટે આધાર પૂરો પાડનાર આ દેશનો સંઘર્ષ પણ નાનોસૂનો નથી. આફ્રિકાએ ઈદી અમીનની ક્રૂર તાનાશાહી જોઈ છે, તો નૅલ્સન મંડેલાની ગોરાકાળાનો ભેદ મીટાવતી માનવશાહી પણ જોઈ છે. અલબત્ત રંગભેદની રાજનીતિનો દોર આ ખંડમાં ખાસો ચાલેલો. બ્રિટીશ શાસન દરમ્યાન ભારતથી આફ્રિકા વેઠે પકડાયેલા ગિરમિટિયા ફૂલીઓ, આફ્રિકાની અત્યાચાર પામેલી અત્યંત જાતિઓ અને તોરિલી ગોરી પ્રજા – નો ત્રિપાંખિયો જંગ આફ્રિકાના રાજકારણનો વિશેષ નમૂનો છે. આફ્રિકાનો આ ભૂતકાલીન ઇતિહાસ અને જાતજાતની જાતિઓના સંઘર્ષની વાત સાથે વેઠે ગયેલા તમિળ ફૂલીઓની ઊછરતી આવતી ત્રીજીચોથી પેઢીની, યહૂદીઓની જેમ તમિળોએ જાળવી રાખેલી એમની તમિળ અને ભારતીય પરંપરાની વાતને વણી લેવાનો એક સમર્થ પ્રયત્ન તમિળ લેખિકા ડૉ. ત્રિપુરસુન્દરી ‘ત્રિવેણી'એ એની નવલકથા કાવેરી નદીમાં તરંગો' (‘ઓરુ કાવેરીએય પોલા')માં કર્યો છે. વળી એમાં ભારતીય જીવનની સારીનરસી બાજુઓને પણ રજૂ કરવાની તક ઝડપી છે. ૧૯૨૧માં જન્મી અને ૧૯૮૯માં અવસાન પામેલી ડૉ. ત્રિપુરસુન્દરી ‘ત્રિવેણી’એ ચૌદ વર્ષની ઉંમરથી લખવાનું શરૂ કરેલું, દક્ષિણ આફ્રિકામાં એની ડૉક્ટર તરીકે કારકિર્દી હતી. અને ડૉક્ટર તરીકેના વ્યવસાયમાં ખાસ્સું રોકાણ છતાં ત્રિવેણીએ સો ઉપરાંત નવલકથાઓ રચી છે. એટલું જ નહીં, વિવિધ ડૉક્ટરી વિષય પરના લેખો લખવા સાથે મોટી સંખ્યામાં ટૂંકી વાર્તાઓ પણ લખી છે ત્રિવેણીની નવલકથા ‘કાવેરી નદીમાં તરંગો'ને સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક મળ્યું છે. આજના આધુનિક તમિળ સાહિત્યની કેટલીક નોંધપાત્ર નવલકથાઓમાં એનું સ્થાન છે. આ નવલકથામાં જે રીતે વાસ્તવિકતા ઊભી કરવામાં આવી છે, જે રીતે વર્ણનો મૂકવામાં આવ્યાં છે અને જીવન અંગેની જે રીતે સૂઝ વ્યક્ત થઈ છે, તે દક્ષિણ આફ્રિકામાં વસતાં તમિળલોકોના જીવન પરની નવલકથાકારની પકડને પ્રગટ કરે છે. દક્ષિણ આફ્રિકામાં તમિળ અને ભારતીય માહોલ સાથે ઊછરેલી નવલકથાની નાયિકા કાવેરીને પહેલીવાર ભારતમાં આવતાં જે અનુભવ થાય છે. એમાં આફ્રિકા અને ભારતની સરખામણીની તક તો મળી છે પણ આ બે દેશોના અનુભવ વચ્ચે એ એના અંગતજીવનના છેવટના નિર્ણયો પણ લે છે તે મહત્ત્વનું છે. કથાનો શરૂનો ભાગ આફ્રિકામાં રોકાયેલો છે, પછીનો ઘણોબધો વચ્ચેનો ભાગ ભારતમાં રોકાણનો છે અને અંતિમ ભાગ ફરી પાછો આફ્રિકામાં રોકાયેલો છે. ભારતની મુલાકાત દરમ્યાન કરવો પડેલો દુષ્ટ વાતાવરણનો સામનો, દક્ષિણ આફ્રિકામાં જન્મેલી કાવેરીને એના પ્રેમમાં અને એના ધ્યેયમાં કેવી રીતે વધુ દૃઢ કરે છે એની કથા અહીં કહેવાયેલી છે. આફ્રિકાની ભૂમિ પર બનતી ઘટનાઓને રોકતા ભાગમાં આફ્રિકાનું રાજકારણ અને વાતાવરણ તેમજ ભારતની ભૂમિ પર બનતી ઘટનાઓને રોકતા ભાગમાં ભારતની સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓને ત્રિવેણીએ સિદ્ધહસ્ત રીતે ઝડપ્યાં છે. કાવેરીનાં માતાપિતા એ નાની હતી ત્યારે જ ગુજરી ગયાં હોવાથી ભાભી સુન્દરીએ એને અને એના ભાઈ લોકેન્દ્રનને મોટા કર્યાં છે. લોકેન્દ્રર પરણ્યો છે અને એની સ્વાર્થી પત્ની યશોદાને કારણે ભાભી સુન્દરીને પતિ ગુજરી ગયો હોવાથી એના પોતાના જ ઘરમાં પરાયાં થઈને રહેવાનું આવ્યું છે. કાવેરી અને એની ભાભી સુન્દરી વચ્ચે અપાર માયા છે. અને સુન્દરી પાસેથી ભારતની તમિળ સંસ્કૃતિ અંગે અને ભારત અંગે કાવેરીએ ઘણું જાણી લીધું છે. દક્ષિણ આફ્રિકામાં વસતાં તમિળ કુટુંબોના મેળાવડામાં પણ એ જતી રહેતી હોવાથી રીતિરિવાજોની એને સારી જાણકારી છે. કાવેરી દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્યવિભાગમાં એક નર્સ છે અને નિયત કાર્યક્રમ પ્રમાણે એને નિશાળોમાં થતી વિદ્યાર્થીઓની સ્વાસ્થ્યતપાસમાં ડૉક્ટરને મદદ કરવા પહોંચવાનું હોય છે. આ વખતે જે શાળામાં જવાનું છે એ શાળામાં કાવેરીએ મોહનનો સામનો કરવાનો છે. ભૂતકાળમાં કાવેરીએ કાળા દામોદરનને છોડીને રૂપાળા મોહનને પસંદ કર્યો હતો. પણ લગ્નની તૈયારી વખતે જ એ કોઈ અન્ય ધનિક કન્યા સાથે લગ્ન કરી બેઠો. કન્યાના પૈસાથી આગળ વધી એ કોઈ શાળાનો આચાર્ય પણ બની બેઠો. કાવેરી મોહનની શાળામાં પહોંચી સ્વસ્થતાપૂર્વક મોહન આચાર્ય હોવા છતાં પોતાની ફરજ સંભાળે છે. અલબત્ત કાવેરીએ દામોદરનનો અસ્વીકાર કર્યો હોવા છતાં દામોદરન કાવેરીને ખૂબ ચાહતો હતો. દામોદરન વકીલ હતો અને સમાજમાં સર્વની સમાનતા માટે આફ્રિકી રાજકારણ ખેલો ઉમદા મનુષ્ય હતો. આથી જ કાવેરીના શાળામાંથી પાછા ફર્યા પછી સુન્દરીનું મૃત્યુ થતાં કાવેરીના ભાઈભાભી બધી મિલ્કત હડપ કરી જાય છે ત્યારે કાવેરી વકીલ દામોદરનનો સંપર્ક કરે છે. દામોદરન અને કાવેરી નજીક આવે છે. દામોદરનને ના પાડવાની ભૂલ કાવેરીને સતાવે છે. પરંતુ ત્યાં દાોદરનની રાજકીય પ્રવૃત્તિ વચ્ચે દાર્માદરનની સેક્રેટરી અંગે ગેરસમજ થતાં કાવેરી ભાંગી પડે છે. સતત આઘાત સહી લેતી કાવેરી ચૂપચાપ દક્ષિણ આફ્રિકા છોડી ભારત જવાનો અને પોતાનાં મૂળ શોધવાનો નિરધાર કરે છે. સુન્દરીની અંતિમ ઇચ્છા પ્રમાણે તામિલનાડુની કાવેરી નદીમાં પધરાવવાની સુન્દરીની વસ્તુઓને પણ એ સાથે લે છે. દાોદરનના અનેક ઉપકાર છતાં કાવેરી રીસમાં ને રીસમાં દક્ષિણ આફ્રિકા છોડે છે. ભારતમાં સુન્દરીએ કહેવા પ્રમાણે કાવેરી સ્વજનો શોધવા નીકળે છે, પણ તેઓ માત્ર લાલચુ કુટુંબીજનો પુરવાર થાય છે. કાવેરી નર્સ હોવા છતાં બ્રિટીશ હિન્દમાં અધિકૃત નર્સની નોકરી મેળવી શકતી નથી. રિસેપ્સનિસ્ટ તરીકે ક્યાંક કોઈ ક્લિનિકમાં એ જગ્યા મેળવે છે. પોતાના રૂપને કારણે ત્યાં પણ એ ગેરસમજનો ભોગ બને છે. સર્વિસ કરતી મહિલાઓની હૉસ્ટેલમાં પણ એ ઠગાય છે અને એનો પાસપોર્ટ તેમજ દાગીના ગુમાવે છે. ટ્રાવેલ એજન્ટ પણ એના ભરેલા પૈસાને હડપ કરી જાય છે. કાવેરીએ ભારતમાં આવીને કડવા અનુભવોના ઘૂંટ ગળે રાખ્યા છે, ત્યાં ઓચિંતી એ સુન્દરની સગી કલ્યાણી અમલના પરિચયમાં આવે છે. સદ્ભાગ્યે વૃદ્ધ કલ્યાણીને મળ્યા પછી કાવેરી સમક્ષ ભારતના ભ્રષ્ટરૂપને સ્થાને ભારતનું સાંસ્કૃતિક રૂપ ઊઘડે છે. દક્ષિણ આફ્રિકામાં દામોદરનનો ટેલિફોન સંપર્ક શકય બને છે. એ કાવેરીની આવવાની આતુરતાથી રાહ જુએ છે. કાવેરી પહોંચીને દામોદરનને પરણે છે, હનીમૂન ઊજવે છે. સુખી દાંપત્યનો અધ્યાય શરૂ થયો ત્યાં દામોદરનની રાજનીતિ આડે આવે છે. અશ્વેત અને કુલીઓના સમાન હક્કની રંગભેદ રાજનીતિમાં દામોદરન ગિરફતાર થાય છે. કાવેરી પરિસ્થિતિનો સામનો કરી આવનાર બાળકના ઉછેરની અને દામોદરનના અધૂરા રહેલા કાર્યને આગળ ધપાવવાની દિશામાં આગળ વધવા નિશ્ચય કરે છે. ભારત બહાર ભારતની સંસ્કૃતિના પરિચયમાં આવેલી ભારતીય મૂળની નાયિકાનો ભારત સાથેનો સંપર્ક અને એનો અનુભવ આ કથાનું આકર્ષણ સ્થાન છે.