રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/5: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 16: Line 16:
‘દ્રાક્ષ’ અને ‘સુહાગરાતસેજ’માં શૃંગારપ્રધાન રણકો છે અને ‘રંગ’ તેમ જ ‘છંદ’ નિ:શંક કવિતા પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. પણ આ અવાજ એક નિષ્ઠાપૂર્ણ પત્નીનો છે જે પોતાના સ્વામીને પ્રસન્ન કરવા બધું જ કરી છૂટી છે અને તેને ભય છે કે કાંઈક ક્ષતિ રહી ગઈ હશે.<ref>ઍડવર્ડ થોમ્પ્સનને લાગતું હતું કે ‘રવીન્દ્રનાથનાં આ બધાં અંત:પુરનાં દૃશ્યો - સુહાગરાત્રિ ઈત્યાદિ - માં એક કોહવાટની વાસ વર્તાય છે.’ તે આગળ કહે છે, ‘રવીન્દ્રનાથ એક વાર સરસ રીતે વપરાયેલી વસ્તુથી સંતુષ્ટ ન રહેતા અને તેમનાં દૃશ્યો સતત વપરાશને કારણે ઘસાઈ જતાં.’ આ વિધાનમાં રહેલા સત્યને સ્વીકારવું જ રહ્યું. ‘ચિત્રા’માં ‘સુહાગરાત્રિ’નો ઉપયોગ વધુ પડતો છે પણ થોમ્પ્સન કહે છે તેમ ‘શોનાર તરી’માં નથી. ‘સુહાગરાત્રિ’ના દૃશ્યનો ઉપયોગ રવીન્દ્રનાથે છોડી દીધો હતો અને ‘ખેયા’ અને ‘ગીતાંજલિ’માં તે ભાગ્યે જ જોવા મળે છે.</ref> આશ્ચર્યની વાત એ છે કે રૂપકો મિશ્રિત જણાય છે; એક તરફ પ્રિયતમ ‘બેઠો પોતાના સિંહાસને’, જેથી તે એક દૂર બેઠેલી કે અલગ વ્યક્તિ લાગે તેમ જ તે એક કવિ, સંવાદિતાનો સ્રોત અને માલિક, બંને લાગે; બીજી તરફ તે સૌથી વધુ અંગત વ્યક્તિ છે - જીવનનો નાથ - જેની સાથેના ‘લગ્ન’ને કારણે તો અસ્તિત્વ અર્થપૂર્ણ બને છે. અંતિમ ચરણમાં પત્ની પૂછે છે:
‘દ્રાક્ષ’ અને ‘સુહાગરાતસેજ’માં શૃંગારપ્રધાન રણકો છે અને ‘રંગ’ તેમ જ ‘છંદ’ નિ:શંક કવિતા પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. પણ આ અવાજ એક નિષ્ઠાપૂર્ણ પત્નીનો છે જે પોતાના સ્વામીને પ્રસન્ન કરવા બધું જ કરી છૂટી છે અને તેને ભય છે કે કાંઈક ક્ષતિ રહી ગઈ હશે.<ref>ઍડવર્ડ થોમ્પ્સનને લાગતું હતું કે ‘રવીન્દ્રનાથનાં આ બધાં અંત:પુરનાં દૃશ્યો - સુહાગરાત્રિ ઈત્યાદિ - માં એક કોહવાટની વાસ વર્તાય છે.’ તે આગળ કહે છે, ‘રવીન્દ્રનાથ એક વાર સરસ રીતે વપરાયેલી વસ્તુથી સંતુષ્ટ ન રહેતા અને તેમનાં દૃશ્યો સતત વપરાશને કારણે ઘસાઈ જતાં.’ આ વિધાનમાં રહેલા સત્યને સ્વીકારવું જ રહ્યું. ‘ચિત્રા’માં ‘સુહાગરાત્રિ’નો ઉપયોગ વધુ પડતો છે પણ થોમ્પ્સન કહે છે તેમ ‘શોનાર તરી’માં નથી. ‘સુહાગરાત્રિ’ના દૃશ્યનો ઉપયોગ રવીન્દ્રનાથે છોડી દીધો હતો અને ‘ખેયા’ અને ‘ગીતાંજલિ’માં તે ભાગ્યે જ જોવા મળે છે.</ref> આશ્ચર્યની વાત એ છે કે રૂપકો મિશ્રિત જણાય છે; એક તરફ પ્રિયતમ ‘બેઠો પોતાના સિંહાસને’, જેથી તે એક દૂર બેઠેલી કે અલગ વ્યક્તિ લાગે તેમ જ તે એક કવિ, સંવાદિતાનો સ્રોત અને માલિક, બંને લાગે; બીજી તરફ તે સૌથી વધુ અંગત વ્યક્તિ છે - જીવનનો નાથ - જેની સાથેના ‘લગ્ન’ને કારણે તો અસ્તિત્વ અર્થપૂર્ણ બને છે. અંતિમ ચરણમાં પત્ની પૂછે છે:


‘શિથિલ થતાં બાહુબંધન મદિરાવિહીન મમ ચુંબન, જીવનકુંજે અભિસારનિશા આજે કેમ થતું પ્રભાત? નૂતન કરો ફરી એક વાર ચિરપુરાતન મને નૂતન વિવાહે બાંધો મને નવીન જીવનદોરે.’
:‘શિથિલ થતાં બાહુબંધન મદિરાવિહીન મમ ચુંબન, જીવનકુંજે અભિસારનિશા આજે કેમ થતું પ્રભાત? નૂતન કરો ફરી એક વાર ચિરપુરાતન મને નૂતન વિવાહે બાંધો મને નવીન જીવનદોરે.’


આ વૈવાહિક સંબંધમાં ક્યારેય શ્રાંતિને સ્થાન હોતું જ નથી; તેનું નવીનીકરણ, તેનો કાયાકલ્પ, તેનો જીર્ણોદ્ધાર સદા થતો જ રહે છે.
:આ વૈવાહિક સંબંધમાં ક્યારેય શ્રાંતિને સ્થાન હોતું જ નથી; તેનું નવીનીકરણ, તેનો કાયાકલ્પ, તેનો જીર્ણોદ્ધાર સદા થતો જ રહે છે.


આપણે એમ કહી શકીએ કે આ કાવ્યમાં પહેલી જ વાર રવીન્દ્રનાથે નામ પાડ્યા વિના તેમના ઈશ્વરને સીધેસીધા સંબોધ્યા? તેમ હોય તો પણ એમ માનવાને કારણ નથી કે હવે રવીન્દ્રનાથ ઈશ્વર સુધી ‘પહોંચી’ ગયા છે કારણ તે ક્યારેય ‘પહોંચતા’ નથી પણ તેમના પ્રેમપાત્રોની વચ્ચે હરતાફરતા, જતા આવતા રહે છે. તેમની અને રહસ્યવાદીઓ વચ્ચે સાદૃશ્ય સામ્ય હોવા છતાં આ ફરક પણ છે તે આપણે નોંધવું રહ્યું. રવીન્દ્રનાથ ઉપર વૈષ્ણવોની અસર સીધી હતી અને તેને વિષે ઘણું લખાયું છે. પણ રવીન્દ્રનાથનો પ્રકૃતિ પ્રત્યેનો ભાવ અને તેમની કવિતાને વ્યવસાય તરીકે જોવાની દૃષ્ટિ - આ બે નવા અને આધુનિક મુદ્દાને કારણે તેમનો ઈશ્વર વૈષ્ણવોના ઈશ્વર કરતાં વધુ જટિલ અને ઓછો વાસ્તવિક બને છે. તદુપરાંત ઘણા વિદ્વાનો એમ માને છે વૈષ્ણવ કવિતાને સમજવા માટે વૈષ્ણવ ફિલસૂફીનું જ્ઞાન હોવું આવશ્યક છે. મારા જેવા, ફિલસૂફીથી અજ્ઞાત માણસો માટે સખેદ નોંધવું ઘટે કે કવિએ એક ગૂઢ સિદ્ધાંત માટે તેના વાચકોના જ્ઞાન ઉપર આધાર રાખવો પડે છે. પણ રવીન્દ્રનાથ કોઈ ફિલસૂફ કવિ નથી અને તે હતા તેમ સાબિત કરવાના પ્રયત્નથી આપણે તેમની કોઈ સેવા કરવાના નથી. તેમની નિખાલસતા અને સહજ નિરૂપણમાં જ તેમની શક્તિ છે. તમે આસ્તિક, અજ્ઞેયવાદી કે નાસ્તિક હો, તમને તેમની કવિતામાં ભાવભર્યું નિમંત્રણ છે. તેમની માન્યતાનું વિશ્લેષણ કરતાં જણાશે કે તેમનામાં ઉપનિષદ અને વૈષ્ણવ તત્વોનું મિશ્રણ છે. એક અને અનેક વચ્ચેની તેમની ગતિશીલતા, કલાત્મકતા અને શ્રેષ્ઠ સૌંદર્યમીમાંસા - આ તેમની નવી, નોંધનીય અને આગવી લાક્ષણિકતાઓ છે જેનાથી તેમના આ વિરોધાભાસી તત્વો વચ્ચે સમતુલન જળવાઈ રહે છે.  
આપણે એમ કહી શકીએ કે આ કાવ્યમાં પહેલી જ વાર રવીન્દ્રનાથે નામ પાડ્યા વિના તેમના ઈશ્વરને સીધેસીધા સંબોધ્યા? તેમ હોય તો પણ એમ માનવાને કારણ નથી કે હવે રવીન્દ્રનાથ ઈશ્વર સુધી ‘પહોંચી’ ગયા છે કારણ તે ક્યારેય ‘પહોંચતા’ નથી પણ તેમના પ્રેમપાત્રોની વચ્ચે હરતાફરતા, જતા આવતા રહે છે. તેમની અને રહસ્યવાદીઓ વચ્ચે સાદૃશ્ય સામ્ય હોવા છતાં આ ફરક પણ છે તે આપણે નોંધવું રહ્યું. રવીન્દ્રનાથ ઉપર વૈષ્ણવોની અસર સીધી હતી અને તેને વિષે ઘણું લખાયું છે. પણ રવીન્દ્રનાથનો પ્રકૃતિ પ્રત્યેનો ભાવ અને તેમની કવિતાને વ્યવસાય તરીકે જોવાની દૃષ્ટિ - આ બે નવા અને આધુનિક મુદ્દાને કારણે તેમનો ઈશ્વર વૈષ્ણવોના ઈશ્વર કરતાં વધુ જટિલ અને ઓછો વાસ્તવિક બને છે. તદુપરાંત ઘણા વિદ્વાનો એમ માને છે વૈષ્ણવ કવિતાને સમજવા માટે વૈષ્ણવ ફિલસૂફીનું જ્ઞાન હોવું આવશ્યક છે. મારા જેવા, ફિલસૂફીથી અજ્ઞાત માણસો માટે સખેદ નોંધવું ઘટે કે કવિએ એક ગૂઢ સિદ્ધાંત માટે તેના વાચકોના જ્ઞાન ઉપર આધાર રાખવો પડે છે. પણ રવીન્દ્રનાથ કોઈ ફિલસૂફ કવિ નથી અને તે હતા તેમ સાબિત કરવાના પ્રયત્નથી આપણે તેમની કોઈ સેવા કરવાના નથી. તેમની નિખાલસતા અને સહજ નિરૂપણમાં જ તેમની શક્તિ છે. તમે આસ્તિક, અજ્ઞેયવાદી કે નાસ્તિક હો, તમને તેમની કવિતામાં ભાવભર્યું નિમંત્રણ છે. તેમની માન્યતાનું વિશ્લેષણ કરતાં જણાશે કે તેમનામાં ઉપનિષદ અને વૈષ્ણવ તત્વોનું મિશ્રણ છે. એક અને અનેક વચ્ચેની તેમની ગતિશીલતા, કલાત્મકતા અને શ્રેષ્ઠ સૌંદર્યમીમાંસા - આ તેમની નવી, નોંધનીય અને આગવી લાક્ષણિકતાઓ છે જેનાથી તેમના આ વિરોધાભાસી તત્વો વચ્ચે સમતુલન જળવાઈ રહે છે.  
Line 44: Line 44:
હમણાંથી રવીન્દ્રનાથની માનવતા પર ભાર મૂકાય છે અને એમના ઈશ્વર માટે થોડી શરમની લાગણી અનુભવાય છે. ‘રવીન્દ્રનાથે ઈશ્વર વિશે લખ્યું હતું એ સાચું, પણ ચાલો એમના બીજા કામોની પણ વાત કરીએ.’ આવો અભિગમ હાલમાં જોવામાં આવે છે. જે ફિલસૂફીના ધુમાડામાં તેઓ સારો એવો સમય લપેટાયેલા રહ્યા હતા તેનો આ સ્વાભાવિક પ્રત્યાઘાત હોઈ શકે. છતાં એમના ઈશ્વર વિનાની રવીન્દ્રનાથની પ્રતિભા ઘણી ઝાંખી થઈ જાય. આ વિધાનને એમની અંગત માન્યતા સાથે કોઈ જ સંબંધ નથી તેમ જ હું એમ પણ નથી માનતો કે તે એક અલૌકિક પ્રકાશ પામેલા આત્મા હતા. પાશ્ચાત્ય અર્થમાં કે ભારતીય સંદર્ભમાં જેને રહસ્યવાદી કહેવાય છે તે અર્થમાં રવીન્દ્રનાથ ધાર્મિક કવિ કહેવાય કે કેમ તે અંગે મને શંકા છે. દાંતે જેને ‘પરમ’ અથવા ‘પૂર્ણ’ કહે છે કે ઉપનિષદો જેને ‘સાર’ કહે છે (જેમાં આપણે આપણું અસ્તિત્વ કે વ્યક્તિત્વ ભેળવી દેવું જોઈએ) તે બેમાંથી એકે રવીન્દ્રનાથના ઈશ્વર સાથે સુસંગત નથી. હોલ્ડરલિન કહે છે કે જેણે ઈશ્વરને જોયા હોય તેણે મૃત્યુને ભેટવું જ રહ્યું. રવીન્દ્રનાથનું મંતવ્ય આનાથી સાવ વિરુદ્ધ કહી શકાય. ઈશ્વરને જોવા સાથે એમને કોઈ જ નિસ્બત નથી. ‘માનસી’થી ‘ગીતાંજલિ’ સુધીના સર્જનોમાં એમણે ઈશ્વરની પ્રતીક્ષાને પોતાનું કર્તવ્ય બનાવ્યું છે. ‘ડાકઘર’ના અમલની માફક એમનું કામ છે પ્રતીક્ષા કરવાનું અને ઈશ્વર સિવાય બીજા કોની પ્રતીક્ષા કરી શકાય? આ પ્રતીક્ષા પરસ્પર છે કારણ ઈશ્વર પણ નિદ્રાહીન છે, આગળ જોયેલી શરમાળ કન્યાની જેમ. તેને પણ મનુષ્યના પ્રેમની આવશ્યકતા છે અને માટે જ તે માણસને બોલાવે છે ‘રાત્રિના અંધકારમાં’ (‘ગીતાંજલિ’નાં કાવ્ય નં. ૨૭ અને ૩૨). મિલનની ઘડી વિરલ અને ક્ષણિક હોય છે. કાગળો અને સંદેશા વધુ આવે છે અને અતિથિ ઓછા. એવો પણ અણસાર મળે છે કે કાગળ અને સંદેશાનું મૂલ્ય ઓછું નથી. ભાર મૂકાયો છે કામના ને વિયોગ ઉપર, ખાતરી વિનાની આશા ઉપર અને અપૂર્ણ રહી શકે તેવા વચનો ઉપર. આ વચનો પ્રિય છે કારણ કે તે ‘સુદૂર’ના છે. માનવીય અનુભવો આ માનવ અને ઈશ્વર વચ્ચેની લીલાના પ્રતીક છે અને માટે જ જીવન અને મૃત્યુ અર્થપૂર્ણ બને છે. પોતાના ઈશ્વર પાસેથી રવીન્દ્રનાથ આપણને પાછા મોકલે છે આપણા જીવનમાં - આપણા નશ્વર જીવનના દરિદ્ર, નાજુક અને આશાવિહીન પ્રેમ પ્રતિ. આ પરિવર્તન સહેલું છે પણ તેઓ એનાથી અપણને અને આપણા પ્રેમને એકબીજા માટે વધુ લાયક બનાવે છે. એમને માટે આ જીવન એક પુસ્તક છે જેના પ્રત્યેક પાના પર ઈશ્વરના હસ્તાક્ષર છે અને આપણે તે હસ્તાક્ષરને ઓળખવાના છે અને તેને ઉકેલીને વાંચવાના છે. માણસ, જગત અને ઈશ્વર એમનાં કાવ્યોમાં પ્રવેશીને પરસ્પર અંગત અને મર્મભેદક સંબંધ બાંધે છે. ઈશ્વરીય આનંદ નહીં પણ માણસ અને ઈશ્વર જેમાં સહભાગી હોય તેવો સનાતન આનંદ - સરકતો, નજર નાંખતો, વેધક અને પ્રક્ષુબ્ધ આનંદ - રવીન્દ્રનાથ સિવાય બીજા કોઈ પણ કવિ આપી શકે તેમ હું નથી માનતો. રવીન્દ્રનાથ જ્યારે આ સંબંધને બાહ્ય સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમાં સંપૂર્ણ સફળતા મળતી નથી<ref>હું ‘ડાકઘર’ અને ‘રાજા’ જેવા નાટકોની વાત કરું છું. એક લાગણીપૂર્વક ઘેરી વળતું અને નાજુક અને બીજું વધુ સાહસિક પણ ઓછું સંતોષકારક. ‘ડાકઘર’માં એક સ્પર્શી જતું આવરણ છે પણ તે કરુણ નથી કારણ કે તે નક્કર નથી અને બાળક પાત્રો પર આધારિત છે. ‘રાજા’નો આરંભ સરસ છે પણ ગીતો, મેદનીનાં દૃશ્યો અને સર્વવ્યાપી ઠાકુરદાદા તેના અવરોધક છે. જ્યારે હેતુ સિદ્ધ કરવાનો સમય આવે છે ત્યારે જણાય છે કે જેના પર આધાર રાખ્યો છે તે યંત્ર તો તકલાદી છે અને પછીના ‘પાપ’ અને ‘પ્રાયશ્ચિત’ ગળે નથી ઉતરતા.</ref> પણ અતિરેક કે આભૂષણો વિનાની, નિર્મળ, તીક્ષ્ણ અને અખંડ ગીતોની ક્ષણોમાં તે જીવંત થઈ ઊઠે છે. આને કારણે રવીન્દ્રનાથ જગત કવિઓ વચ્ચે પોતાનું સન્માનીય સ્થાન પ્રસ્થાપિત કરે છે. જ્યાં સુધી એમની ભાષા ટકશે ત્યાં સુધી તેમનાં શ્રેષ્ઠ કાવ્યોમાંનું એમનું ભાષા પરનું પ્રભુત્વ એક વિસ્મયનો વિષય બની રહેશે.
હમણાંથી રવીન્દ્રનાથની માનવતા પર ભાર મૂકાય છે અને એમના ઈશ્વર માટે થોડી શરમની લાગણી અનુભવાય છે. ‘રવીન્દ્રનાથે ઈશ્વર વિશે લખ્યું હતું એ સાચું, પણ ચાલો એમના બીજા કામોની પણ વાત કરીએ.’ આવો અભિગમ હાલમાં જોવામાં આવે છે. જે ફિલસૂફીના ધુમાડામાં તેઓ સારો એવો સમય લપેટાયેલા રહ્યા હતા તેનો આ સ્વાભાવિક પ્રત્યાઘાત હોઈ શકે. છતાં એમના ઈશ્વર વિનાની રવીન્દ્રનાથની પ્રતિભા ઘણી ઝાંખી થઈ જાય. આ વિધાનને એમની અંગત માન્યતા સાથે કોઈ જ સંબંધ નથી તેમ જ હું એમ પણ નથી માનતો કે તે એક અલૌકિક પ્રકાશ પામેલા આત્મા હતા. પાશ્ચાત્ય અર્થમાં કે ભારતીય સંદર્ભમાં જેને રહસ્યવાદી કહેવાય છે તે અર્થમાં રવીન્દ્રનાથ ધાર્મિક કવિ કહેવાય કે કેમ તે અંગે મને શંકા છે. દાંતે જેને ‘પરમ’ અથવા ‘પૂર્ણ’ કહે છે કે ઉપનિષદો જેને ‘સાર’ કહે છે (જેમાં આપણે આપણું અસ્તિત્વ કે વ્યક્તિત્વ ભેળવી દેવું જોઈએ) તે બેમાંથી એકે રવીન્દ્રનાથના ઈશ્વર સાથે સુસંગત નથી. હોલ્ડરલિન કહે છે કે જેણે ઈશ્વરને જોયા હોય તેણે મૃત્યુને ભેટવું જ રહ્યું. રવીન્દ્રનાથનું મંતવ્ય આનાથી સાવ વિરુદ્ધ કહી શકાય. ઈશ્વરને જોવા સાથે એમને કોઈ જ નિસ્બત નથી. ‘માનસી’થી ‘ગીતાંજલિ’ સુધીના સર્જનોમાં એમણે ઈશ્વરની પ્રતીક્ષાને પોતાનું કર્તવ્ય બનાવ્યું છે. ‘ડાકઘર’ના અમલની માફક એમનું કામ છે પ્રતીક્ષા કરવાનું અને ઈશ્વર સિવાય બીજા કોની પ્રતીક્ષા કરી શકાય? આ પ્રતીક્ષા પરસ્પર છે કારણ ઈશ્વર પણ નિદ્રાહીન છે, આગળ જોયેલી શરમાળ કન્યાની જેમ. તેને પણ મનુષ્યના પ્રેમની આવશ્યકતા છે અને માટે જ તે માણસને બોલાવે છે ‘રાત્રિના અંધકારમાં’ (‘ગીતાંજલિ’નાં કાવ્ય નં. ૨૭ અને ૩૨). મિલનની ઘડી વિરલ અને ક્ષણિક હોય છે. કાગળો અને સંદેશા વધુ આવે છે અને અતિથિ ઓછા. એવો પણ અણસાર મળે છે કે કાગળ અને સંદેશાનું મૂલ્ય ઓછું નથી. ભાર મૂકાયો છે કામના ને વિયોગ ઉપર, ખાતરી વિનાની આશા ઉપર અને અપૂર્ણ રહી શકે તેવા વચનો ઉપર. આ વચનો પ્રિય છે કારણ કે તે ‘સુદૂર’ના છે. માનવીય અનુભવો આ માનવ અને ઈશ્વર વચ્ચેની લીલાના પ્રતીક છે અને માટે જ જીવન અને મૃત્યુ અર્થપૂર્ણ બને છે. પોતાના ઈશ્વર પાસેથી રવીન્દ્રનાથ આપણને પાછા મોકલે છે આપણા જીવનમાં - આપણા નશ્વર જીવનના દરિદ્ર, નાજુક અને આશાવિહીન પ્રેમ પ્રતિ. આ પરિવર્તન સહેલું છે પણ તેઓ એનાથી અપણને અને આપણા પ્રેમને એકબીજા માટે વધુ લાયક બનાવે છે. એમને માટે આ જીવન એક પુસ્તક છે જેના પ્રત્યેક પાના પર ઈશ્વરના હસ્તાક્ષર છે અને આપણે તે હસ્તાક્ષરને ઓળખવાના છે અને તેને ઉકેલીને વાંચવાના છે. માણસ, જગત અને ઈશ્વર એમનાં કાવ્યોમાં પ્રવેશીને પરસ્પર અંગત અને મર્મભેદક સંબંધ બાંધે છે. ઈશ્વરીય આનંદ નહીં પણ માણસ અને ઈશ્વર જેમાં સહભાગી હોય તેવો સનાતન આનંદ - સરકતો, નજર નાંખતો, વેધક અને પ્રક્ષુબ્ધ આનંદ - રવીન્દ્રનાથ સિવાય બીજા કોઈ પણ કવિ આપી શકે તેમ હું નથી માનતો. રવીન્દ્રનાથ જ્યારે આ સંબંધને બાહ્ય સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમાં સંપૂર્ણ સફળતા મળતી નથી<ref>હું ‘ડાકઘર’ અને ‘રાજા’ જેવા નાટકોની વાત કરું છું. એક લાગણીપૂર્વક ઘેરી વળતું અને નાજુક અને બીજું વધુ સાહસિક પણ ઓછું સંતોષકારક. ‘ડાકઘર’માં એક સ્પર્શી જતું આવરણ છે પણ તે કરુણ નથી કારણ કે તે નક્કર નથી અને બાળક પાત્રો પર આધારિત છે. ‘રાજા’નો આરંભ સરસ છે પણ ગીતો, મેદનીનાં દૃશ્યો અને સર્વવ્યાપી ઠાકુરદાદા તેના અવરોધક છે. જ્યારે હેતુ સિદ્ધ કરવાનો સમય આવે છે ત્યારે જણાય છે કે જેના પર આધાર રાખ્યો છે તે યંત્ર તો તકલાદી છે અને પછીના ‘પાપ’ અને ‘પ્રાયશ્ચિત’ ગળે નથી ઉતરતા.</ref> પણ અતિરેક કે આભૂષણો વિનાની, નિર્મળ, તીક્ષ્ણ અને અખંડ ગીતોની ક્ષણોમાં તે જીવંત થઈ ઊઠે છે. આને કારણે રવીન્દ્રનાથ જગત કવિઓ વચ્ચે પોતાનું સન્માનીય સ્થાન પ્રસ્થાપિત કરે છે. જ્યાં સુધી એમની ભાષા ટકશે ત્યાં સુધી તેમનાં શ્રેષ્ઠ કાવ્યોમાંનું એમનું ભાષા પરનું પ્રભુત્વ એક વિસ્મયનો વિષય બની રહેશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>&#9724;</center>
<br>
{{HeaderNav2
|previous = 4
|next =
}}
<br>