સ્વાધ્યાયલોક—૧/કવિ અને યુગધર્મ: Difference between revisions

no edit summary
(m)
No edit summary
 
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
<center>
કવિનું હોવું અને કાવ્યનું થવું એ મનુષ્યજાતિનું સદ્ભાગ્ય છે અને માનવજીવનની સંજીવની છે.
<br>
<center>&#9724;
<br>
</center>
આ ક્ષણે ‘કવિ અને યુગધર્મ’ જેવી મોટી વાત નાના મોંએ કરવાને આમ તમારી સમક્ષ ઊભો રહું છું ત્યાં પ્રથમ જ જે મહા-આત્માની જન્મભૂમિમાં આપણે ઉપસ્થિત થયા છીએ એમના જીવન અને કાર્યનું સ્મરણ થાય એ સહજ છે. આ ભૂમિમાં એમણે એક પરતંત્ર મનુષ્ય તરીકે જન્મ તો ધારણ કર્યો પણ મહા-આત્મા કદી પરતંત્ર હોય નહિ. એથી એમણે સ્વતંત્ર થવાનો પુરુષાર્થ કર્યો. પણ પોતે એકલા સ્વતંત્ર થાય તો મહા-આત્મા નહિ. એથી એમણે મનુષ્યમાત્ર સ્વતંત્ર હોય એવો મનુષ્યનો આદર્શ હૃદયમાં ધારણ કર્યો અને કહ્યું, ‘આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે જ સ્વરાજ છે અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે... પણ મુખ્ય વાત જણેજણે સ્વરાજ ભોગવવાની છે... સ્વરાજ તો સહુએ સહુનું લેવું જોઈએ — કરવું જોઈએ, બીજા મેળવે તે સ્વરાજ નથી, પણ પરરાજ્ય છે.’ અને ઉમેર્યું, ‘તેવું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે, એમ મન સાક્ષી પૂરે છે.’ આ પ્રતિજ્ઞા પછી એમણે એમની તપસ્યાના તેજથી આ ભૂમિમાં જે સૈકાઓનો તમોપુંજ હતો તેને ભસ્મીભૂત કર્યો. ક્ષણવાર તો આપણને સૌને મનુષ્ય એટલે શું એ સત્યનું દર્શન કરાવ્યું અને મનુષ્યમાત્ર સંપૂર્ણ અર્થમાં મનુષ્ય તરીકે પોતાને સાર્થક કરી શકે એની પૂર્વભૂમિકારૂપે મનુષ્યજાતિના ઇતિહાસમાં અપૂર્વ અને અદ્વિતીય એવા પ્રેમની પરાકાષ્ઠા જેવા સત્યાગ્રહના મહાકર્મ દ્વારા સ્વરાજ સિદ્ધ કર્યું. અને એ સ્વરાજ સિદ્ધ થયું ન થયું ત્યાં જ... એ ક્ષણથી તે આ ક્ષણ લગી એમની મૃત્યુભૂમિમાં, અને જે કવિના મહાકાવ્યમાંથી ગીતાના અનાસક્તિયોગની પ્રેરણાથી એમનું જીવન અને કાર્ય પાંગર્યું હતું તે કવિની કાવ્યભૂમિમાં, એટલે કે ભારતવર્ષની રાજધાનીમાં જે વાતાવરણ છે એનું ‘કવિ અને યુગધર્મ’ જેવા વિષય પર જ્યાં લગી વિચાર કરીએ ત્યાં લગી સતત સ્મરણ થતું રહે એ આવશ્યક અને અનિવાર્ય છે.
આ ક્ષણે ‘કવિ અને યુગધર્મ’ જેવી મોટી વાત નાના મોંએ કરવાને આમ તમારી સમક્ષ ઊભો રહું છું ત્યાં પ્રથમ જ જે મહા-આત્માની જન્મભૂમિમાં આપણે ઉપસ્થિત થયા છીએ એમના જીવન અને કાર્યનું સ્મરણ થાય એ સહજ છે. આ ભૂમિમાં એમણે એક પરતંત્ર મનુષ્ય તરીકે જન્મ તો ધારણ કર્યો પણ મહા-આત્મા કદી પરતંત્ર હોય નહિ. એથી એમણે સ્વતંત્ર થવાનો પુરુષાર્થ કર્યો. પણ પોતે એકલા સ્વતંત્ર થાય તો મહા-આત્મા નહિ. એથી એમણે મનુષ્યમાત્ર સ્વતંત્ર હોય એવો મનુષ્યનો આદર્શ હૃદયમાં ધારણ કર્યો અને કહ્યું, ‘આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે જ સ્વરાજ છે અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે... પણ મુખ્ય વાત જણેજણે સ્વરાજ ભોગવવાની છે... સ્વરાજ તો સહુએ સહુનું લેવું જોઈએ — કરવું જોઈએ, બીજા મેળવે તે સ્વરાજ નથી, પણ પરરાજ્ય છે.’ અને ઉમેર્યું, ‘તેવું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે, એમ મન સાક્ષી પૂરે છે.’ આ પ્રતિજ્ઞા પછી એમણે એમની તપસ્યાના તેજથી આ ભૂમિમાં જે સૈકાઓનો તમોપુંજ હતો તેને ભસ્મીભૂત કર્યો. ક્ષણવાર તો આપણને સૌને મનુષ્ય એટલે શું એ સત્યનું દર્શન કરાવ્યું અને મનુષ્યમાત્ર સંપૂર્ણ અર્થમાં મનુષ્ય તરીકે પોતાને સાર્થક કરી શકે એની પૂર્વભૂમિકારૂપે મનુષ્યજાતિના ઇતિહાસમાં અપૂર્વ અને અદ્વિતીય એવા પ્રેમની પરાકાષ્ઠા જેવા સત્યાગ્રહના મહાકર્મ દ્વારા સ્વરાજ સિદ્ધ કર્યું. અને એ સ્વરાજ સિદ્ધ થયું ન થયું ત્યાં જ... એ ક્ષણથી તે આ ક્ષણ લગી એમની મૃત્યુભૂમિમાં, અને જે કવિના મહાકાવ્યમાંથી ગીતાના અનાસક્તિયોગની પ્રેરણાથી એમનું જીવન અને કાર્ય પાંગર્યું હતું તે કવિની કાવ્યભૂમિમાં, એટલે કે ભારતવર્ષની રાજધાનીમાં જે વાતાવરણ છે એનું ‘કવિ અને યુગધર્મ’ જેવા વિષય પર જ્યાં લગી વિચાર કરીએ ત્યાં લગી સતત સ્મરણ થતું રહે એ આવશ્યક અને અનિવાર્ય છે.
આવા મહા-આત્માઓનો પ્રભુપ્રેરિત કર્મ સાથે જે સંબંધ તે કવિનો પ્રતિભાપ્રેરિત કાવ્ય સાથે સંબંધ. અને એ કર્મ દ્વારા એમનો જેવો યુગધર્મ એવો કવિનો એ કાવ્ય દ્વારા યુગધર્મ. આવા કર્મવીરો એમના નિષ્કામ કર્મયોગ દ્વારા બધું જ કરવા છતાં જાણે કશું જ કરતા નથી તેમ કવિ એના કાવ્ય દ્વારા કશું જ ન કરવા છતાં જાણે બધું જ કરે છે. કર્મની વચ્ચે જેમ કર્મવીરનું નૈષ્કર્મ્ય તેમ કાવ્યની વચ્ચે કવિનું મૌન. આ સ્મરણ દ્વારા આજના વ્યાખ્યાનના વિષયને સમજવામાં આટલી સહાય છે એ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારીએ.
આવા મહા-આત્માઓનો પ્રભુપ્રેરિત કર્મ સાથે જે સંબંધ તે કવિનો પ્રતિભાપ્રેરિત કાવ્ય સાથે સંબંધ. અને એ કર્મ દ્વારા એમનો જેવો યુગધર્મ એવો કવિનો એ કાવ્ય દ્વારા યુગધર્મ. આવા કર્મવીરો એમના નિષ્કામ કર્મયોગ દ્વારા બધું જ કરવા છતાં જાણે કશું જ કરતા નથી તેમ કવિ એના કાવ્ય દ્વારા કશું જ ન કરવા છતાં જાણે બધું જ કરે છે. કર્મની વચ્ચે જેમ કર્મવીરનું નૈષ્કર્મ્ય તેમ કાવ્યની વચ્ચે કવિનું મૌન. આ સ્મરણ દ્વારા આજના વ્યાખ્યાનના વિષયને સમજવામાં આટલી સહાય છે એ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારીએ.