What Are You Doing with Your Life?: Difference between revisions

(Created page with "<center> <span style="color:#ff0000"> '''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''<br> ''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો'' </center> </span> <hr> {{BookCover |cover_image = File:Homo Deus title.jpg |title = What Are You Doing with Your Life? <br> Jiddu Krishnamurti <br>{{larger| તમારે તમારા જીવનમાં શું કરવું જોઈએ?}} <br>{{xx-smaller...")
 
()
Line 137: Line 137:
તમે કેવી રીતે વિચારો છો તેનું નિરીક્ષણ કરો- તમારા અનુકૂલનની નોંધ લો.
તમે કેવી રીતે વિચારો છો તેનું નિરીક્ષણ કરો- તમારા અનુકૂલનની નોંધ લો.
રાજકીય બાબત હોય કે વ્યક્તિગત, તમે જયારે કોઈ ચીજ પર તમારો અભિપ્રાય આપવા ઉતાવળા થઈ જાવ, ત્યારે થોડું અટકીને વિચારજો કે તમારામાં આ અભિપ્રાય ક્યાંથી આવ્યો છે. શું તમારા સાંસ્કૃતિક કે આર્થિક પરિવેશની, તમારી રાષ્ટ્રીયતા કે તમે સ્ત્રી છો કે પુરુષ તેની તમારા અભિપ્રાયમાં ભૂમિકા છે? તમે જો જુદા બેકગ્રાઉન્ડમાંથી આવતા હોત તો તમારો અભિપ્રાય જુદો હોત? તમે એ જ અભિપ્રાયની બીજી બાજુનો વિચાર કરી શકો? તમે ખોટા હો એવું ન બને?
રાજકીય બાબત હોય કે વ્યક્તિગત, તમે જયારે કોઈ ચીજ પર તમારો અભિપ્રાય આપવા ઉતાવળા થઈ જાવ, ત્યારે થોડું અટકીને વિચારજો કે તમારામાં આ અભિપ્રાય ક્યાંથી આવ્યો છે. શું તમારા સાંસ્કૃતિક કે આર્થિક પરિવેશની, તમારી રાષ્ટ્રીયતા કે તમે સ્ત્રી છો કે પુરુષ તેની તમારા અભિપ્રાયમાં ભૂમિકા છે? તમે જો જુદા બેકગ્રાઉન્ડમાંથી આવતા હોત તો તમારો અભિપ્રાય જુદો હોત? તમે એ જ અભિપ્રાયની બીજી બાજુનો વિચાર કરી શકો? તમે ખોટા હો એવું ન બને?
પુસ્તકનાં નોંધપાત્ર અવતરણો:
“સામૂહિક અને વ્યક્તિગત, આપણને આપણી બંને પ્રકારની પ્રતિક્રિયાઓ અંગે જાગૃતિ હોવી જોઈએ. વ્યક્તિમાં જયારે એ બાબતની જાગૃતિ હોય કે પરસ્પર વિરોધી ઇચ્છાઓ અને પ્રવૃતિઓ, આશાઓ અને ભય સાથે તે શું કરે છે, ત્યારે જ સ્વયંથી પરે જવાની સંભાવના હોય છે.”
“જીવનપાર્જન કરવાનું તો સૌ કોઈ શીખી શકે: જીવન જીવવાની કળા જો કે આપણે સૌએ આપણા દમ પર શીખવી પડે.”
“ચેતનાના ક્ષેત્રમાં આપણે ગમે તે કરીએ, જીવનનું દુઃખ ક્યારેય ખતમ નથી થતું.”
"આપણી ઈચ્છા અનુસાર આપણે કશુંક અદ્ભુત, પૂરી રીતે અને નિષ્ઠાથી સિદ્ધ કરીએ તેને મહત્વાકાંક્ષા ન કહેવાય; મહત્વાકાંક્ષામાં ડર ન હોય.”
“આપણે જયારે કોઈ વિશેષ આસ્થા, રૂઢિમાં જકડાઈ જઈએ છીએ, અથવા આપણા ઝંડાના ચિંથરા વડે કોઈ રાષ્ટ્રીયતાની પૂજા કરીએ છીએ, ત્યારે આપણે બહુ રક્ષાત્મક હોઈએ છીએ, અને એટલે આક્રમક હોઈએ છીએ.”
“જીવનનું મહત્ત્વ જીવવામાં છે.”
“આપણા વિશેની ધારણા આપણે અસલમાં કોણ છીએ તેનાથી બચવાનો રસ્તો છે.”
“દુનિયામાં દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે લડાઈ કરી રહી છે. એક માણસ બીજા માણસ કરતાં ઉતરતો છે. કોઈ પ્રેમ નથી, કોઈ આદર નથી, કોઈ વિચાર નથી. દરેક વ્યક્તિ કશુંક બનવા માંગે છે. સંસદનો એક સભ્ય નેતા બનવા માંગે છે, વડાપ્રધાન બનવા માંગે છે વગેરે. નિરંતર લડાઈ જારી છે. આપણો સમાજ એક વ્યક્તિનો બીજી વ્યક્તિ વિરુદ્ધ એક નિરંતર સંઘર્ષ છે, અને એ સંઘર્ષને કશુંક બનવાની મહત્વાકાંક્ષા કહેવામાં આવે છે. વડીલ લોકો આપણને આવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તમારે મહત્વકાંક્ષી બનવું જોઈએ, તમારે કશુંક બનવું જોઈએ, તમારે અમીર પુરુષ કે અમીર સ્ત્રી સાથે લગ્ન કરવાં જોઈએ, તમને સારા મિત્રો હોવા જોઈએ. એટલે, જૂની પેઢી, જે ડરેલી છે, જે દિલથી કુરૂપ છે, તે તમને તેના જેવા બનાવવાની કોશિશ કરે છે અને તમે પણ તેમના જેવા બનવા માંગો છો કારણ કે તમને એમાં ગ્લેમર દેખાય છે. જયારે રાજ્યપાલ આવે છે, ત્યારે સૌ ઝૂકી જાય છે...”
“મહત્વકાંક્ષી વ્યક્તિને ક્યારેય તેના અસલી લક્ષ્યની ખબર પડતી નથી.”
{{Poem2Close}}
{{Poem2Close}}