અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/પ્રકાશકનું નિવેદન

Revision as of 11:11, 15 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રકાશકનું નિવેદન|}} {{Poem2Open}} મહાદેવભાઈ દેસાઈ જન્મશતાબ્દી વર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રકાશકનું નિવેદન

મહાદેવભાઈ દેસાઈ જન્મશતાબ્દી વર્ષમાં એમનું વિસ્તૃત જીવનચરિત્ર પ્રસિદ્ધ કરવાનું મહાદેવભાઈ દેસાઈ જન્મશતાબ્દી સમિતિએ વિચાર્યું. ‘આ ચરિત્ર કોણ લખે?’ તેના જવાબમાં સહુની લાગણી એક જ હતી: નારાયણભાઈ લખે તો ઉત્તમ. અને પિતૃતર્પણરૂપે આ કામ તેમણે સ્વીકાર્યું અને એક વર્ષનો સમય આપી આ ગ્રંથ તૈયાર કર્યો. તે બદલ સમિતિ તેમનો આભાર માને છે. આમ, શતાબ્દી નિમિત્તે, વર્ષો સુધી યાદ રહે તેવી, મહામૂલી ભેટ શ્રી નારાયણભાઈ પાસેથી આ ચરિત્રરૂપે આપણને મળી છે.

નવજીવન ટ્રસ્ટ તરફથી મહાદેવભાઈ દેસાઈ જન્મશતાબ્દી સમિતિને મળેલા આર્થિક સહયોગને કારણે, शुक्रतारक समा महादेवभाई ગ્રંથની જેમ જ આ ચરિત્ર પણ ગુજરાતી વાચકોને રાહતદરે આપવાનું શક્ય બન્યું છે. સમિતિ તે બદલ નવજીવન ટ્રસ્ટનો આભાર માને છે.

શ્રી ચી. ના. પટેલે આ ગ્રંથ લખાતો હતો ત્યારથી આખું લખાણ જોઈ-તપાસી આપ્યું તથા ‘ગાંધીજીના ગણેશ અને હનુમાન’ રૂપે આ પુસ્તકની પ્રસ્તાવના દ્વારા સ્વ. મહાદેવભાઈના જીવન અને કાર્યનો પરિચય કરાવવાનું કામ, તેમની માંદગી વચ્ચે પણ શ્રમ લઈને કરી આપ્યું, તે બદલ અમે તેમના આભારી છીએ.

એ જ રીતે લેખકના નિવેદનમાં ઉલ્લેખાયેલ અનેક ભાઈ-બહેનો તથા સંસ્થાઓનો ગ્રંથ તૈયાર કરવામાં વિવિધ રીતે સહકાર મળ્યો છે તે સહુના તથા પુસ્તકનું સરસ મુદ્રણ કરી આપવા માટે નવજીવન મુદ્રણાલયના અમે આભારી છીએ.

ગુજરાત આ ચરિત્રને આવકારશે એવી આશા છે.