ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરમણ

Revision as of 08:48, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કરમણ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : કબીરપંથી. મોરારસાહેબ(અવ. ઈ.૧૮૪૯)ના શિષ્ય. તેમના નામે બાહ્યાચારની નિરર્થકતા નિર્દેશતું ૫ કડીનું ૧ ભજન (મુ.) મળે છે. કૃતિ : સતવણી. [નિ.વો.]