ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાશીદાસ-૨

Revision as of 07:50, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કાશીદાસ-૨ [ઈ.૧૮૧૮માં હયાત] : પેટલાદ પરગણાના ચાચરવેદી મોઢ બ્રાહ્મણ. ભગવાનની ભક્તવત્સલતાનું સરળ શૈલીમાં નિરૂપણ કરતી ૧૨ પદની ‘નરસિંહની હૂંડી’ (૨. ઈ.૧૮૧૮/સં. ૧૮૭૪, ચૈત્ર સુદ ૩, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : નકાદોહન(+સં.). [ચ.શે.]