ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણકીર્તિ ભટ્ટારક-૧

Revision as of 10:54, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગુણકીર્તિ(ભટ્ટારક)-૧ [ઈ.૧૫૭૪માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘શ્રેણિકપૃચ્છા/પ્રશ્નોત્તર’ (ર.ઈ.૧૫૭૪) ગુણકીર્તિ તેમ જ ગુણભૂષણને નામે નોંધાયેલ મળે છે તે એક જ કૃતિ હોવા સંભવ છે. જો તેમ હોય તો ખરેખરું કર્તૃત્વ કોનું છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]