ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાલદાસ-૧

Revision as of 07:31, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગોપાલદાસ-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. નરોડાના વતની. ઈ.૧૫૨૯ની ગુજરાતયાત્રા વખતે વલ્લભાચાર્યે એમને વૈષ્ણવ બનાવ્યા. એમનું કૃષ્ણભક્તિનું ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે. કૃતિ : પુગુસાહિત્યકારો - ૧ પદ (+સં.).[કી.જો.]