ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાનંદ

From Ekatra Wiki
Revision as of 11:34, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મહાનંદ : આ નામે ૨૪ કડીની ‘કુમતિસુમતિની સઝાય’(મુ.), ૬ કડીનું ‘ધર્મજિન-સ્તવન’(મુ.), ૧૦ કડીનું ‘મહાવીર-અષ્ટક’(મુ.), ૧૩ કડીનું ‘મહાવીર-સ્તવન’(મુ.), ૭ કડીની ‘રાજુલની સઝાય’ (મુ.), ૧૧ અને ૧૯ કડીની ‘સ્થૂલભદ્રજીની સઝાય’ (મુ.) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા મહાનંદ-૨ હોવાની શક્યતા છે, પણ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. પ્રાસપસંગ્રહ : ૧; ૩. લોંપ્રપ્રકરણ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]