ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજસોમ-૧

From Ekatra Wiki
Revision as of 04:57, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રાજસોમ-૧ [ઈ.૧૬૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં જયકીર્તિના શિષ્ય. ૧૨ કડીનું ‘સમયસુંદર-ઉપાધ્યાય-ગીત’ (ર.ઈ.૧૬૪૬ પછી; મુ.), ‘કલ્પસૂત્ર (૧૪ સ્વપ્ન)-વ્યાખ્યાન’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, શ્રાવણ સુદ ૬), ‘ઇરિયાવહી મિથ્યા દુષ્કૃત્યસ્વપ્ન’ પર બાલાવબોધ, ‘ફારસી-સ્તવન’ તથા ‘શ્રાવક આરાધના(ભાષા)’-એ કૃતિઓના કર્તા. કર્તાની પ્રસ્તુત કૃતિઓમાંથી ‘શ્રાવક-આરાધના(ભાષા)’ એ કૃતિને ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’ ખરતરગચ્છના સમયસુંદરની પરંપરામાં જયકીર્તિના શિષ્ય રાજરત્નની ગણે છે જે સાચું નથી. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]