ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવિમલ

From Ekatra Wiki
Revision as of 06:33, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રામવિમલ [ઈ.૧૭૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરત્નની પરંપરામાં કુશલવિમલના શિષ્ય. ૬૫ કડીના ‘સૌભાગ્યવિજ્યનિર્વાણ-રાસ’ (સાધુગુણ-રાસ)’ (ર.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, ફાગણ વદ ૭; સ્વલિખિતપ્રત) અને ૭ કડીના ‘ઋષભજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭-‘દો ઐતિહાસિક રાસોંકા સાર’, અગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]