ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૩

From Ekatra Wiki
Revision as of 15:41, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વલ્લભ-૩[ ] : બીલ પરગણાના મહિસાના વતની. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. આ કવિને નામે ‘ભક્તમાળ(નાની)’ નામની કૃતિ મળે છે. ‘ગુજરાતના સારસ્વતો’ આ કવિને ઈ.૧૯મી સદીના ગણે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી.[ર.સો.]