ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુરત્ન-૧

From Ekatra Wiki
Revision as of 12:27, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સાધુરત્ન-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિના શિષ્ય. ૪૦૦ ગ્રંથાગ્રની ‘નવતત્ત્વવિવરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૦૦ આસપાસ) તથા સંસ્કૃતમાં ‘યતિજિતકલ્પવૃત્તિ’ (ર.ઈ.૧૪૦૦) અને ‘નવતત્ત્વ-અવચૂરિ’ નામની કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ :  ૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]