ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યસાગરશિષ્ય

Revision as of 12:56, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સૌભાગ્યસાગરશિષ્ય [ઈ.૧૪૫૨માં હયાત] : લબ્ધિસાગરસૂરિની પરંપરાના વડતપગચ્છના જૈન સાધુ. વસ્તુ, દુહા, ચોપાઈ વગેરે છંદોની ૪ ઢાળમાં વિભક્ત ૫૧ કડીના ‘ચંપકમાલા-રસ’ (ર.ઈ.૧૪૫૨/સં. ૧૫૦૮, આસો સુદ ૭)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. મુપુગૂહસૂચી. [કી.જો.]