સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/દિલાવર લોકસંસ્કાર

Revision as of 11:30, 13 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દિલાવર લોકસંસ્કાર

સોરઠી લોકસંસ્કારને હું ‘દિલાવર’ શબ્દે ઓળખાવું છું તેની પાછળ મારું આવાં ધર્મપાત્રોનું ને થાનકોનું દર્શન છે. હવે તમે જ મને કહો, કોઈ પણ જવાબ આપો, ગીગાભગતની તવારીખને જૂની, જુનવાણી ગણશો? કે નિત્ય નવી? જબાલાના પિતૃહીન પુત્ર જાબાલની કથા આપણા ઉપનિષદ-કાલના આર્ય ઇતિહાસનું સુવર્ણ-પાનું શોભાવે છે. લાખુના દીકરા ગીગલાને સંતપદે સ્થાપનાર સોરઠી લોકસમાજ એવું જ એક સુવર્ણ-પાનું નથી લખી ગયો શું?