સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સતાધારનું યાત્રાધામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સતાધારનું યાત્રાધામ

પણ મેં કરી તેવી સુસ્તી ગીરના કોઈ પ્રવાસી ન કરી બેસતા. સતાધારની જગ્યા ન જોનારની સાચી સોરઠ-યાત્રા નથી જમા થવાની. આજે એ જગ્યાની શી દશા હશે તે તો જાણનારા જાણે. પણ સતાધાર એટલે તો સોરઠી લોકસંસ્કૃતિનું એક માર્મિક ક્રાંતિ-બિંદુ. સતાધારનો સ્થાપનાર ગીગો ભગત : સોરઠની ઘણી ઘણી હલકી મનાતી મુસલમાન ગધઈ જાતિનો ગીગલો : કોમે તો હલકો, પણ માતૃકૂખે તો નપાવટથી ય નપાવટ. એની માતાનું નામ લાખુ