સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સતાધારનું યાત્રાધામ

Revision as of 11:30, 13 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સતાધારનું યાત્રાધામ

પણ મેં કરી તેવી સુસ્તી ગીરના કોઈ પ્રવાસી ન કરી બેસતા. સતાધારની જગ્યા ન જોનારની સાચી સોરઠ-યાત્રા નથી જમા થવાની. આજે એ જગ્યાની શી દશા હશે તે તો જાણનારા જાણે. પણ સતાધાર એટલે તો સોરઠી લોકસંસ્કૃતિનું એક માર્મિક ક્રાંતિ-બિંદુ. સતાધારનો સ્થાપનાર ગીગો ભગત : સોરઠની ઘણી ઘણી હલકી મનાતી મુસલમાન ગધઈ જાતિનો ગીગલો : કોમે તો હલકો, પણ માતૃકૂખે તો નપાવટથી ય નપાવટ. એની માતાનું નામ લાખુ