કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪. તમે શું કહેશો?

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૪. તમે શું કહેશો?

તરફડાટ એટલે…?
તમે કહેશો
જલ બહાર આણેલી
કોઈ માછલીને પૂછી જુઓ!
પણ
ઘૂઘવતા ઉદધિની ભીતર
જે
કોરું કોરું તરફડે
એને
તમે શું કહેશો?


(વિદેશિની, પૃ. ૨૮-૨૯)