કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/અવ ન રહી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪. અવ ન રહી

અવ ન રહી કંઈ ભીતિ!
હે સુન્દર, હે મધુર, સુમંગલ,
તેં પાઈ તુજ પ્રીતિ!

અવ છોને ઘનઘોર નિશા હો,
તિમિરથકી ચકચૂર દિશા હો,
હૃદય વિષે દીપક પ્રકટિત તુજ
ગાઈ રહ્યો દ્યુતિ-ગીતિ!

આ અપંગને પાંખ મળી શું!
જનમઅંધને આંખ મળી શું!
આ અતિ ચંચલ ભવભટકંતની
અચલ કરી ધ્રુવસ્થિતિ!
(‘પદ્મા’, પૃ. ૩૧)