ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/ત્રેપનસિંહ ચાવડા જીવે છે
Jump to navigation
Jump to search
ત્રેપનસિંહ ચાવડા જીવે છે
રમેશ પારેખ
ત્રેપનસિંહ ચાવડા જીવે છે (રમેશ પારેખ; ‘સ્તનપૂર્વક’, ૧૯૮૬) વર્ષોથી બંધ મ્યુઝિયમમાં છબીની ફ્રેમમાં રહેલા ત્રેપનસિંહ નાયક સાથે હસીને વાતોએ ચડે છે અને અંતે ચોપનમા સિંહે જેનો કરપીણ શિકાર કર્યો હતો એ રા. રા. ત્રેપનસિંહ ચાવડાની હયાતીની નાયકને ભાળ મળે છે. કપોલકલ્પિતના તત્ત્વથી વ્યંગમાં વિસ્તરતું કથાનક વિશિષ્ટ હયાતીના પ્રશ્નને વક્રતાથી ધારણ કરે છે.
ચં.