ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પ્રસાદજીની બેચેની
Jump to navigation
Jump to search
પ્રસાદજીની બેચેની
સુન્દરમ્
પ્રસાદજીની બેચેની (સુન્દરમ્; ‘ઉન્નયન’, ૧૯૪૫) વેશ્યાગમનના અનુભવે ને વેશ્યાઓ સાથે શરીરસુખ માણ્યા પછી હંમેશ સ્વસ્થ ને પ્રસન્ન રહેતા શિવપ્રસાદજી એક વેશ્યા સાથે શરીરસુખ માણ્યા પછી એ વેશ્યાના ‘યા રહીમ! યા રસૂલ’ શબ્દોથી કેમ બેચેન બની જાય છે તેનું આલેખન લેખકે કર્યું છે. શિવપ્રસાદજીના અંતરાત્માને ઢંઢોળવામાં આ વાક્ય નિમિત્ત બને છે. વાર્તાનું અંતિમ વાક્ય પણ દ્યોતક છે. જ.
ચં.