ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મગમાળા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મગમાળા

પન્નાલાલ પટેલ

મગમાળા (પન્નાલાલ પટેલ; ‘જિંદગીના ખેલ’, ૧૯૪૧) મોંઘી ડોશીએ મરતી વેળા સોનાની મગમાળા બ્રાહ્મણ જદુરામને આપવાનું કહેલું પણ પુત્ર જગજીએ પોતા પાસે રાખી મૂકી. છેવટે કુટુંબ પર વીતવા માંડતાં એ માળા બાહ્મણ ડાહ્યારામને આપી દીધી. ડાહ્યારામની પત્ની મગમાળા સાથે ડોશીનું ભૂત આવ્યું છે એવી બીકમાં મૃત્યુ પામે છે. ડાહ્યારામ માળા જદુરામને જઈને આપી આવે છે લોકવહેમના સ્તર નીચે અપારધવૃત્તિના વળને આ વાર્તા કલાત્મક રીતે વ્યંજિત કરે છે.
ચં.