ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મોરબંગલો
Jump to navigation
Jump to search
મોરબંગલો
હરિકૃષ્ણ પાઠક
મોરબંગલો (હરિકૃષ્ણ પાઠક; ‘મોરબંગલો’, ૧૯૮૮) પિતાની બદલી થતાં વતન અને એનાં ઘર: મોરબંગલોથી વિખૂટા પડ્યા પછી વર્ષો વીત્યે નાયક પોતાને ગામ જઈ ચડે છે. પુરાણી સ્મૃતિઓ સાથે ગામપ્રવેશ કરતો નાયક વતનનાં બદલાયેલાં નાક-નકશાથી દુભાઈ જાય છે ને મોરબંગલો જોવાનું માંડી વાળી વળતી બસ પકડવા પાછો ફરે છે. શૈશવની ખોવાયેલી દુનિયા માટેના ઝુરાપાનું નિરૂપણ આ વાર્તાની કરોડરજ્જુ છે.
ર.