ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમરસાગર [ઈ.૧૬૯૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પરંપરામાં પુણ્યસાગરના શિષ્ય. ‘ઉપદેશરત્નાકર’ને આધારે રચાયેલ ૬૧/૬૩ ઢાળના ‘રત્નચૂડચોપાઈ-રાસ’(ર. ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, મધુ માસ સુદ ૭/૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]