ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયરત્ન-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયરત્ન-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરસૂરિના શિષ્ય. ‘જંબૂ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૬૪/સં. ૧૭૨૦, કારતક વદ ૨, ગુરુવાર; સ્વલિખિત પ્રત ઈ.૧૬૭૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [હ.યા.]