ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયવિમલશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયવિમલશિષ્ય [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દુહા અને દેશીમાં રચાયેલા ૧૯ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન’ - (૨.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, મહાવદ ૭, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. [કી.જો.]