ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋદ્ધિવિજય-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઋદ્ધિવિજય-૪ [ ] : જૈન સાધુ. વજ્રસિંહની પરંપરામાં મેરુવિજયના શિષ્ય. ૫ કડીની ‘ચેતનને શિખામણની સઝાય’(મુ.), ૧૩ કડીની ‘ધનગિરિમુનિ-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૭ કડીની ‘વિષયરાગનિવારક-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ; ૩. સજ્ઝાયમાળા(પં.) સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]