ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષેમકુશલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ક્ષેમકુશલ [ઈ.૧૬૦૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં મેઘમુનિના શિષ્ય. આ કવિએ ૪૬૬ કડીની ‘લૌકિકગ્રંથોક્તધર્માધર્મવિચારસૂચિકા-ચતુષ્પદિકા’ (ર.ઈ.૧૬૦૧/સં. ૧૬૫૭, વૈશાખ સુદ ૧૦, શુક્રવાર), ૪૬૨ કડીની ‘રૂપસેનકુમાર-રાસ’, ૭૮ કડીની ‘શ્રાવકાચાર-ચોપાઈ’, ૪૨ કડીની ‘વિમલાચલ/શત્રુંજયસ્તવન’ અને હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ આદિ પરની સઝાયો - એ કૃતિઓની રચના કરી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧, ૩(૧); ૨. મુપૂગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]