ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કીર્તિવિમલ : આ નામે ૫ કડીની ‘નવકારમંત્રની સઝાય’ (મુ.), ૪ કડીની ‘ગોડીપાર્શ્વનાથની સ્તુતિ’ (મુ.) તથા ૮ કડીની ‘વિજયસિંહસૂરિ-સઝાય’ મળે છે તે કયા કીર્તિવિમલ છે તે નક્કી થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]