ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમવિજય-૨ ક્ષેમવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ખેમવિજય-૨/ક્ષેમવિજય [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. જિતવિજયશિષ્ય વિનયવિજયના શિષ્ય અને દીપવિજયના ગુરુબંધુ. આ કવિએ દુહા-દેશીબદ્ધ ૧૫ ઢાળનું ‘શાંતિનાથના પંચકલ્યાણકનું સ્તવન’ (ર.ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, જૈત્ર વદ ૧૧, રવિવાર; મુ.), ‘કુમતિઅઠાવનપ્રશ્નોત્તર-રાસ/પ્રતિમાપૂજા-વિચાર-રાસ’ (ર.ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, આસો વદ ૧૩, મંગળવાર) તથા અધૂરી ચોવીસી(૨ સ્તવન મુ.)ની રચના કરેલી છે. કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧(+સં.); ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ર.સો.]