ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણપતિદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગણપતિદાસ [               ]: દુહા-ચોપાઈ અને ૩૬ સુધીનો સંખ્યાંક દર્શાવતાં પદોમાં રચાયેલા આ કવિના ‘પ્રાણજીવન-ગ્રંથ’ (મુ; તૂટક)માં આરંભમાં કૃષ્ણભક્તિનું મહિમાગાન અને પછીથી કૃષ્ણ સાથેના વિહારનું પ્રેમલક્ષણા ભક્તિના ભાવભર્યું આલેખન છે. કૃતિ : પથિક, ડિસે. ૧૯૭૯ - .‘કવિ ગણપતનો પ્રાણજીવન ગ્રંથ’, વિનોદ પંડ્યા. [શ્ર.ત્રિ.]