ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણરંગ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણરંગ(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. પ્રમોદમાણિક્યના શિષ્ય. ‘શત્રુંજયયાત્રાપરિપાટી’ (ર.ઈ.૧૫૫૦), ૩૨ કડીના ‘સામાયિક વૃદ્ધ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૩/સં. ૧૬૪૯, કારતક -), ૨૩ કડીના ‘અજિત-સમવસરણસ્તવન’, ‘અષ્ટોતરશત-નવકારવાલી-મણકા-સ્તવન’, ૧૫ કડીના ‘જિનપ્રતિમા-સ્તવન’ તથા ૧૫ અને ૫ કડીના ૨ ‘પાર્શ્વનાથસ્તોત્ર’ના કર્તા. ગુણરંગને નામે નોંધાયેલી ૮ કડીની ‘આર્દ્રકુમાર-સઝાય’ (લે.ઈ.૧૫૭૮)ના કર્તા આ કવિ હોય એવી સંભાવના છે. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [ક.શે.]